કચ્છ
કચ્છની ધરા ફરી ધ્રુજી!!! ખાવડામાં આવ્યો 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકો ઘરની બહાર દોડી આવ્યા
કચ્છમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. કચ્છના ખાવડામાં આજે વહેલી સવારે 3.54 વાગ્યે 4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ખાવડાથી 47 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ હતું.
કચ્છના ખાવડામાં 4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 બતાવાઈ છે. અ ભૂકંપના લીધે અફરા-તફરી મચી ગઇ હતી અને લોકો ઊંઘમાંથી ઊઠીને ઘરની બહાર દોડ્યા હતાં.
ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છના ખાવડાથી લગભગ 47 કિ.મી. ઉત્તરપૂર્વમાં નોંધાયુ હતું. ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.
કચ્છ
મુન્દ્રામાં લાકડાના ભુંસાના નામે આવેલા સાત ક્ધટેનરમાંથી આઠ કરોડના કાજુ પકડાયા
ગાંધીધામ DRI શાખાનું ઓચિંતુ ચેકિંગ, વિયેતનામથી મુન્દ્રા ઇમ્પોર્ટ થયા હતા
ડીઆરઆઈ, ગાંધીધામની શાખાએ મુંદ્રામાં એક મોટા દાણચોરીના પ્રયાસને નાકામ કરતા લાકડાના ભુંસાના નામે આવેલા 7 ક્ધટેનરમાંથી 8 કરોડના કાજુ પકડી પાડ્યા હતા.ઠીક દિવાળી પહેલા જ્યારે ડ્રાયફ્રુટ્સની બજાર ગરમી પકડે છે ત્યારે દાણચોરો પણ ડ્રાયફુટની સ્મગલીંગ માટે સક્રિય થઈ જતા હોય છે. આવી સ્થિતિમાં ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટીલેજન્સની ગાંધીધામ શાખાને મળેલી ચોક્કસ બાતમીના આધારે વીયેતનામથી મુંદ્રા ઈમ્પોર્ટ થયેલા 7 ક્ધટેનરને રોકીને તપાસ આરંભાઈ હતી.જેમાંથી લાકડાનો ભુંસો કે જે અગરબતી માટે પણ કામ આવે છે, તેની સાથે છુપાવેલા કાજુના પેકેટ્સ મળી આવ્યા હતા, જેની ગણના કરતા તે અંદાજે 100 મેટ્રીક ટન થવા જાય છે. ભારતીય બજારો અનુસાર આ કાજુની કિંમત 8 કરોડ થવા જાય છે.
ડીઆરઆઈની પ્રાથમિક તપાસમાં નવસારી, બરોડા, વાપીના એક સમુહએ એક કંપની બનાવીને આ આયાત કરી હોવાનું ખુલ્યુ હતું, જેમના સબંધીતોનીઓન રેકર્ડ ભુંસો જ ડિક્લેર કરાયો છે, જેની કિંમત 25 લાખ આસપાસ છે, ત્યારે જો કદાચ કસ્ટમ પકડીને ક્ધટેનર ખોલીને ચેક પણ કરે તો પકડાય નહી તે માટે ક્ધટેનરમાં ચોતરફ લાકડાનો ભુંસો ભરી નાખવામાં આવ્યો હતો અને તેની વચ્ચોવચ્ચ કાજુના પેકેટ્સ રખાયા હતા.
ધ્રાંગધ્રામાં તબીબની પત્ની સાથે છેડતી, ત્રણ શખ્સો સામે નોંધાતો ગુનો
ગુજરાત મિરર, સુરેન્દ્રનગર તા.17 ધ્રાંગધ્રાના પ્રતિષ્ઠિત ડોક્ટરના પત્ની સાથે તેમના દવાખાના પૂર્વ કર્મચારી અને અન્ય 3 શખસ દ્વારા પગારના પૈસા બાબતને લઈને ડોક્ટરના ઘરે ગયા હતા. જ્યાં જઈને ડોક્ટરની પત્ની ઉપર હુમલો કરી છેડછાડ કર્યાની ધ્રાંગધ્રા સીટી પોલીસમાં 4 શખસ સામે ફરિયાદ નોધાઈ હતી. ધ્રાંગધ્રામા રહેતા આર્મીના પૂર્વ અધિકારી અને પ્રતિષ્ઠિત ડોક્ટર શંકર દત્તાના ઘરે દવાખાનાના પૂર્વ કર્મચારી તાહીર અને અન્ય 3 શખસ ગયા હતા. ઉપરાંત મહિલા પર હુમલો કરી છેડછાડ કરાઈ હતી. સીટી પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ કે.એચ.ડોડીયા કરી રહ્યા છે. ડોક્ટરના ઘરના સીસીટીવી કેમેરાની તપાસ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કચ્છ
કચ્છના કંડલાની એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરવા ઉતરેલા 5 શ્રમિકના મોત
વહેલી પરોઢે કેમિક્લની ટાંકી સાફ કરતી વેળા સર્જાયેલી દુર્ઘટના, એક-બીજાને બચાવવા જતા પાંચ શ્રમિકોએ જીવ ગુમાવ્યો
કચ્છના કંડલા ખાતે વધુ એક ઉદ્યોગમાં ગંભીર દૂર્ઘટના સર્જાયેલ છે. કંડલાની ઇમામી એગ્રોટેક કંપનીમાં ગુંગળાઇ જવાથી કરૂણ મોત નિપજ્યા હતા.
કંડલા બંદર નજીક આવેલી ઈમામી એગ્રોટેક કંપનીમાં આજે વહેલી સવારે કેમિકલ ટેન્કની સફાઈ દરમિયાન પાંચ લોકોના મોત નીપજ્યા હતાં. મૃતકોમાં સુપરવલાઇઝર સહિત ટેન્ક ઓપરેટર અને ત્રણ હેલ્પરનો સમાવેશ થાય છે. આ ઘટનામાં મૃત્યુ પામનારમાં સિદ્ધાર્થ તિવારી, અજમત ખાન, આશિષ ગુપ્તા, આશિષ કુમાર અને સંજય ઠાકોર નામના કામદારોનું કેમિકલ ટાંકામાં ગેસ ગળતરથી મોત નીપજ્યું હતુ.
મળતી માહિતી મુજબ, બનાવી રાત્રે સાડા બારથી એક વાગ્યાની આસપાસ સર્જાયો હતો. પ્રોડક્શનમાં વપરાતા ખાદ્યતેલનો નકારો કદડો (સ્લજ) ટેન્કમાં એકઠો થયો હતો. જેને સાફ કરવા સુપરવાઇઝર ટેન્ક ઉપર ચઢીને નિરીક્ષણ કરતો હતો. તે સમયે ટેન્કમાંથી ઉત્પન્ન થયેલાં ઝેરી ગેસના કારણે તે બેભાન થઈને ટેન્કની અંદર પડી ગયો હતો. જોકે, સુપરવાઇઝરને બચાવવા માટે ટેન્ક ઓપરેટરોએ પણ અંદર ઝંપલાવ્યું હતું. બંને જણાંને ગૂંગળામણ થતાં જોઈ બાજુમાં રહેલાં ત્રણ હેલ્પરોએ પણ એક પછી એખ ટેન્કમાં કૂદકો માર્યો.
કચ્છ (પૂર્વ)ના પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે લગભગ 1 વાગ્યે એક એગ્રોટેક પેઢીમાં આ ઘટના બની હતી.તેમણે કહ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે કામદારો કંપનીના એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઈમાં રોકાયેલા હતા.
એસપી બાગમારે વધુમાં ઉમેર્યું કે, જ્યારે એક કર્મચારી ટેન્કમાં રહેલા કાદવને દૂર કરવા માટે ટાંકીમાં પ્રવેશ્યો, ત્યારે તે બેભાન થઈ ગયો. જ્યારે અન્ય બે કામદારો તેને બચાવવા માટે ટાંકીની અંદર દોડી ગયા, ત્યારે તેઓ પણ બેભાન થઈ ગયા. બે અન્ય લોકો તેનું અનુસરણ કર્યું, અને પછી તમામ પાંચ વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા અને ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા પરંતુ ત્યાં હાજર અન્ય કામદારો તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં પાંચેયને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. કંડલા પોલીસ સ્ટેશનમાં આ દુર્ઘટના અંગે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.
બીજી તરફ કંડલા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, ખાદ્ય તેલ અને બાયોડીઝલના ઉત્પાદન સાથે સંકળાયેલી ફર્મ ઈમામી એગ્રોટેકમાં આ અકસ્માત થયો હતો. જેમાં સિદ્ધાર્થ તિવારી, અજમત ખાન, આશિષ ગુપ્તા, આશિષ કુમાર અને સંજય ઠાકુરનું મોત થયું છે.
કચ્છ
રાજકોટ માવતર ધરાવતી પરિણીતાએ છૂટાછેડા વગર બીજા લગ્ન કરતા ફરિયાદ
પત્ની, સસરા અને બીજા પતિ વિરૂદ્ધ છેપિંડીનો ગુનો નોંધ્યો
કચ્છના અબડાસા તાલુકાના તેરાની પરિણીતાએ છૂટાછેડા લીધા વિના બીજા લગ્ન કરી ઘરસંસાર માંડીને પુત્રીને જન્મ આપતાં પતિએ તેની પત્ની, બીજા પતિ તથા રાજકોટ રહેતા તેમના સસરા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.આ અંગે નલિયા પોલીસ મથકે તેરાના વીરભદ્રસિંહ જીલુભા સોઢાએ નોંધાવેલી વિગતવાર ફરિયાદ મુજબ રાજકોટના રણજિતસિંહ જાડેજાની પુત્રી ભાગ્યશ્રીબા સાથે તા.19/11/18ના કોઠારા ખાતે સમાજના સમૂહલગ્નમાં લગ્ન થયા હતા અને તેરામાં તેઓ સંયુક્ત પરિવારમાં રહેતા હતા. ફરિયાદીનો પત્ની ભાગ્યશ્રીબા સાથે વૈચારિક મતભેદો થતાં પાંચેક વર્ષ પૂર્વે ભાગ્યશ્રીબાને તેના પોતાના ઘરે તેડી ગયા હતા.
આ બાદ ફરિયાદીના પત્ની અને સસરાએ ભરણપોષણ તેમજ ઘરેલુ હિંસા અંગેની ફરિયાદ નોંધાવી હતી જે હાલ જ્યુડિશીયલ પેન્ડિંગ છે. આ ઉપરાંત કોર્ટ કેસ દાખલ કર્યા છે.આરોપી ભાગ્યશ્રીબાના ફરિયાદી સાથે છૂટાછેડા ન થયા હોવાની જાણ છતાં તેના પિતા રણજિતસિંહે ભાગ્યશ્રીના બીજા લગ્ન આરોપી હિતેન્દ્રસિંહ ભુરૂૂભા વાઘેલા (રહે. સાણંદ) સાથે કરાવી તેઓના આ ગેરકાયદેસર અનૈતિક લગ્ન જીવનથી એક પુત્રી નામે હિમાંશીબા વાઘેલાનો જન્મ તા.4/3/23ના થયો છે.
ઉપરાંત આરોપી ભાગ્યશ્રીબાએ ફરિયાદી પતિ પાસેથી પૈસા પડાવવા માટે રાજકોટ તેમજ ગાંધીનગર કોર્ટમાં અલગ અલગ સરનામાં દર્શાવી ભરણ પોષણની અરજીઓ કરી છે.આમ, ફરિયાદી સાથે લગ્ન ચાલુમાં હોવાની જાણ છતાં કૃત્ય કરાતાં આરોપી ભાગ્યશ્રીબા વિરભદ્રસિંહ સોઢા(રહે.રામાવતની ડેલી ગોધાવી, સાણંદ),તેમનો બીજો પતિ હિતેન્દ્રસિંહ ભુરુભા વાઘેલા (રહે.સાણંદ) અને સસરા રણજિતસિંહ જાડેજા(રહે.સરકારી કોલોની બ્લોક નંબર.1/8,બહુમાળી ભવન પાછળ રેસકોર્સ રોડ,રાજકોટ) વિરુદ્ધ છેતરપિંડી-વિશ્વાસઘાત સહિતની વિવિધ કલમો તળે ફરિયાદ નોંધાવી છે.
-
આંતરરાષ્ટ્રીય2 days ago
SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા
-
ક્રાઇમ2 days ago
ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો
-
રાષ્ટ્રીય19 hours ago
10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની
-
આંતરરાષ્ટ્રીય20 hours ago
નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા
-
ગુજરાત2 days ago
પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ
-
ગુજરાત2 days ago
આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત