Connect with us

ગુજરાત

હરસિધ્ધિ મંદિરની જમીન પર કોંગ્રેસ સરકારમાં થયેલા દબાણો હટાવવા માંગ

Published

on


દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામમાં શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરની જમીન પર થયેલ કથિત ગેરકાયદેસર કબજા અને તેને લગતા વિવાદે ફરી એકવાર રાજકીય ગરમાવો વધાર્યો છે.
મળતી માહિતી મુજબ, મંદિરની જગ્યામાં વાતાવરણ બગાડતી દુકાનો ગેરકાયદેસર રીતે કોઇ હક્ક-હિસ્સા વગર વસેલી હતી. મંદિરની સંચાલક સંસ્થાના અનન્ય મૂળ અધિકારી જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ આ દુકાનો હટાવવાની કાર્યવાહી કરી હતી. પરંતુ, તત્કાલીન કોંગ્રેસ સરકારના આદેશથી પોલીસે દુકાનદારોને ફરીથી તે જગ્યાએ વસાવી દીધા હતા. આ પછી, રાજ્ય સરકારનાં કહેવાથી લગતાવડગતા મહેસૂલનાં અધિકારીઓ દ્વારા દુકાનોની પાછળના દરિયાની ખાડીને કાંઠેથી આશરે દશેક મીટર સુધી બૂરીને ત્યાં એક સરકારી ખરાબાનો રેવન્યુ સર્વે નંબર બતાવી દીધો હતો, જે હકીકતમાં ત્યાંથી અમુક કિલોમીટર દૂરનો હતો.


બાદમાં, આ દુકાનમાલિકોને કાયદાના નિયમોની બિલ્કુલ વિરુદ્ધ રીતે અડધું બૂરેલા દરિયા ઉપર અને અડધું મંદિરની મૂળ સનદની જગ્યા ઉપર બિલ્કુલ નાના-નાના પ્લોટો બનાવી તેને ત્યાંથી દૂરના રેવન્યુ સર્વે નંબર આપી ફાળવી દીધા હતા. હવે, હાલની ભાજપાની રાજ્ય સરકાર આ ગેરકાયદેસર કૃત્યને સુધારશે કે સ્વીકારશે તે જોવાનું રહે છે. આ મામલે ગ્રામજનોમાં ભારે રોષ છે અને તેઓ સરકાર પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે.

ક્રાઇમ

ગુજરાતમાં ડ્રગ્સ બનાવી 7 રાજ્યમાં મોકલવાના કાવતરાનો પર્દાફાશ

Published

on

By

દુબઇથી વિરેન્દ્ર વસોયા ઉર્ફે વીરૂ યુકેના સતવિંદર મારફતે ડ્રગ્સ ઘુસાડતો હતો: ગુજરાતમાં ફાર્મા કંપનીમાં રીફાઇન કરીને દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ, પશ્ર્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં સપ્લાય કરાતું હતું


દુબઈ સ્થિત ગેંગસ્ટર વિરેન્દ્ર બસોયા ઉર્ફે વીરુની સૂચના પર યુકેનો દાણચોર સતવિંદર તેને દરિયાઈ માર્ગે ગુજરાતમાં પહોંચાડતો હતો. ગુજરાતમાંથી તેને દિલ્હી અને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતી હતી.
દિલ્હી અને ગુજરાતમાંથી 13 હજાર કરોડ રૂૂપિયાના ડ્રગ્સ ઝડપાયાના મામલામાં નવા ખુલાસા થઈ રહ્યા છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન, સ્પેશિયલ સેલને જાણવા મળ્યું કે દાણચોરોનું નેટવર્ક દિલ્હી, પંજાબ, કાશ્મીર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં ફેલાયેલું છે. પભારતનો નકામા માલથ સૌથી પહેલા ગુજરાતમાં પહોંચ્યો હતો.


આ નેટવર્કમાં આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક દાણચોરોનો સમાવેશ થાય છે. દુબઈ સ્થિત કિંગપિન વીરેન્દ્ર બસોયા ઉર્ફે વીરુની સૂચના પર, યુકેનો દાણચોર સતવિંદર તેને દરિયાઈ માર્ગે ગુજરાતમાં લઈ જતો હતો, જ્યાં કાચા માલને ફાર્માસ્યુટિકલ કંપનીમાં રિફાઈન કરીને દિલ્હી મોકલવામાં આવતો હતો, જેનો ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે ઉપયોગ થતો હતો. દાણચોરી આ પછી તેને અન્ય રાજ્યોમાં સપ્લાય કરવામાં આવ્યો હતો. હજુ પણ ઘણા આરોપીઓ ફરાર છે.


કોકેઈનનું ક્ધસાઈનમેન્ટ ગુજરાતમાં પહોંચાડનારા અનેક ફરાર આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીઓએ એવો પણ ખુલાસો કર્યો છે કે અત્યાર સુધીમાં ઝડપાયેલા લગભગ 1,300 કિલો કોકેઈનનું ક્ધસાઈનમેન્ટ દક્ષિણ અમેરિકન દેશોના દાણચોરો દ્વારા ગુજરાતની ડ્રગ્સ કંપનીમાં પહોંચાડવામાં આવ્યું હતું. જોકે, આ ગેંગનો પર્દાફાશ થતાં જ નેટવર્ક સાથે સંકળાયેલા ઘણા મોટા ખેલાડીઓ, ખાસ કરીને યુકેના નાગરિકો અને તેના નેટવર્ક સાથે સંકળાયેલા દાણચોરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ગુજરાતમાં પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓ – વિજય ભેસનિયા, અશ્વની રામાણી, બ્રિજેશ કોઠિયા, મયુર દેસલે અને વડોદરાના રહેવાસી અમિત – યુકે સ્થિત હેન્ડલર્સ સાથે નજીકના સંબંધો ધરાવતા હતા.


ટોળકીના કોઈને પણ ખબર ન હતી કે કોણ શું કામ કરે છે. વાસ્તવમાં, આ નેટવર્ક મુખ્યત્વે દુબઈના વીરેન્દ્ર બસોયા, યુકેના સતવિંદર અને ભારતના તુષાર ગોયલ દ્વારા સંચાલિત હતું. ત્રણેયનું પોતાનું અલગ નેટવર્ક હતું. ત્રણેય લોકલ નેટવર્ક સાથે જોડાયેલા લોકો સાથે કોડ વર્ડ્સમાં વાત કરતા હતા. દાણચોરીને છુપાવવા માટે આનો ઉપયોગ સંદેશાવ્યવહારના માધ્યમ તરીકે થતો હતો. અત્યાર સુધીમાં 13 હજાર કરોડ રૂૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.


ઉલ્લેખનીય છે કે 2 ઓક્ટોબરે સ્પેશિયલ સેલે દિલ્હીના મહિપાલપુરમાં એક વેરહાઉસમાંથી 560 કિલોથી વધુ કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો હતો. તેની કિંમત 5,620 કરોડ રૂૂપિયા આંકવામાં આવી હતી અને ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં અન્ય બે અમૃતસર અને ચેન્નાઈમાંથી ઝડપાયા હતા. આ કેસમાં હજુ પણ ઘણા તસ્કરો ફરાર છે, જેમને સ્પેશિયલ સેલ શોધી રહી છે.

Continue Reading

ગુજરાત

બર્ધન ચોકમાંથી દબાણો દૂર કરતી એસ્ટેટ શાખા

Published

on

By

ટ્રાટફિકને અડચણરૂપ 7 પથારા, રેકડી કબજે: 15 વાહનો ડિટેઇન કરાયા

જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં તહેવારોને અનુલક્ષીને આજે મોડી સાંજે ટ્રાફિક શાખા, સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફ અને જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સંયુક્ત રીતે દબાણ દૂર કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દરબારગઢ સર્કલથી માંડવી ટાવર સુધીના ભાગમાં પોલીસ અને એસ્ટેટ શાખા ની સંયુક્ત કામગીરીને લઈને ધંધાર્થીઓમાં નાસભાગ થઈ ગઈ હતી. ઉપરોક્ત વિસ્તારમાં ટ્રાફિકને અડચણ રૂૂપ હોય એવા 7 પથારા કબજે કરી લેવાયા હતા, જ્યારે 1 રેકડી પણ કબજે કરી લઈ જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રાફિકને અડચણરૂૂપ રીતે રાખવામાં આવેલા 15 વાહનો પણ ટ્રાફિક શાખા દ્વારા ડિટેઇન કરી લેવામાં આવ્યા હતા.


જામનગરના સીટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડા ખુદ ટ્રાફિક ઝુંબેશનમાં જોડાયા હતા, અને તેઓની સાથે સિટી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. આ ઉપરાંત જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાના દબાણ હટાવ અધિકારી યુવરાજસિંહ ઝાલા અને તેની ટીમ આ ઝુંબેશમાં ખડે પગે રહી હતી, જયારે ટ્રાફિક શાખાના પી.આઇ. એમ. બી. ગજ્જરની સૂચનાથી પી.એસ.આઇ. કંડોરિયા અને ટ્રાફિક શાખાની ટીમ પણ સંયુક્ત રીતે ઝુંબેશ માં જોડાઈ હતી, અને દરબારગઢ સર્કલથી માંડવી ટાવર સુધીનો રસ્તો ખુલ્લો કરાવી દેવાયો હતો.

જેથી સીટી બસ સહિતના અનેક વાહનો સાંજના સમયે સરળતાથી પસાર થઈ ગયા હતા. દિવાળીના તહેવારને અનુલક્ષીને લોકોની ખરીદી માટે ખૂબ જ ભીડ રહે છે, ત્યારે પોલીસ તેમજ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવા માટેની વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

Continue Reading

ગુજરાત

હૈદરાબાદમાં મૃત્યુ પામેલા અગ્નિવીરને મહેતા કોલેજમાં શ્રદ્ધાંજલિ અપાઇ

Published

on

By

કોલેજના વિદ્યાર્થી ભાઇ-બહેનો અને અઇટઙના કાર્યકર્તાઓએ આપી શ્રદ્ધાંજલિ

જામકંડોરણા તાલુકા ના આચવડ ગામ ના વિશ્વરાજસિંહ મહિપતસિંહ ગોહિલ જેઓ જામનગર ની પંચવટી કોલેજ મા અભ્યાસ કરતા હતા. તેઓની ભારતીય સેનામા અગ્નિવીર ની તાલીમ હૈદરાબાદ મા ચાલી રહી હતી, તે દરમ્યાન દેવલાલી ફાયરીંગ રેન્જ મા ગન નું ભ્રષ્ટ ફાયર થતા તેઓ વીરગતિ પામ્યા.

અગ્નીવિર અતંર્ગત તાલીમ દમિયાન હૈદરાબાદ મા વીરગતિ પામેલા જામનગર વી. એમ. મહેતા કોલેજ ના વિદ્યાર્થી વિશ્વરાજસિંહ ગોહિલ ને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા આજે કોલેજ મેદાન મા શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી. જેમાં કોલેજનાં પ્રિન્સિપાલ અને અન્ય પ્રાધ્યાપકો પણ જોડાયા હતા.

Continue Reading
ક્રાઇમ3 mins ago

ગુજરાતમાં ડ્રગ્સ બનાવી 7 રાજ્યમાં મોકલવાના કાવતરાનો પર્દાફાશ

ગુજરાત4 mins ago

બર્ધન ચોકમાંથી દબાણો દૂર કરતી એસ્ટેટ શાખા

ગુજરાત7 mins ago

હૈદરાબાદમાં મૃત્યુ પામેલા અગ્નિવીરને મહેતા કોલેજમાં શ્રદ્ધાંજલિ અપાઇ

ગુજરાત10 mins ago

જામજોધપુરના વસંતપુર ગામના વૃધ્ધનો ગળેફાંસો ખાઇ આપઘાત

ગુજરાત13 mins ago

જી.જી.હોસ્પિટલના સર્જરી વિભાગમાં તબીબોની અછતથી દર્દીઓ હેરાન

ગુજરાત13 mins ago

જીયાણા ગામે કૂવામાંથી નવજાત શિશુની લાશ મળી

ક્રાઇમ17 mins ago

રાજકોટના સોની વેપારી સાથે રૂા.2.56 કરોડની ઠગાઈ

ગુજરાત18 mins ago

માતાના મઢે દર્શને જતા પદયાત્રીનું અજાણ્યા ટેમ્પોની ઠોકરે મોત

ક્રાઇમ19 mins ago

દેવભૂમિ દ્વારકામાં ગૌવંશની હત્યાથી અરેરાટી

ગુજરાત20 mins ago

તળાજાના જુના સાંગાણા ગામના બે સિંહ મહેમાન બન્યા

આંતરરાષ્ટ્રીય2 days ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ક્રાઇમ2 days ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

રાષ્ટ્રીય18 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

આંતરરાષ્ટ્રીય18 hours ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

આંતરરાષ્ટ્રીય2 days ago

પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ

આંતરરાષ્ટ્રીય2 days ago

ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા

ગુજરાત2 days ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત2 days ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

આંતરરાષ્ટ્રીય2 days ago

ઇજિપ્તમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસનો અકસ્માત, 12 લોકોનાં મોત, 33 ગંભીર

ગુજરાત19 hours ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

Trending