ગૌશાળા, પાંજરાપોળોને પ્રતિ પશુદીઠ મળતી સબસીડી વધારીને રૂા.100 કરવા માંગ

ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગિરીશ શાહે ગુજરાતના પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ, સંદીપ કુમાર (ઈંઅજ), ડામોરજી, ગૌ સેવા…

ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગિરીશ શાહે ગુજરાતના પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ, સંદીપ કુમાર (ઈંઅજ), ડામોરજી, ગૌ સેવા આયોગ અને ગૌચર વિકાસ બોર્ડની મુલાકાત લીધી. બેઠક દરમિયાન, પશુપાલન ક્ષેત્રે નવી પહેલો અને સુધારા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં દેશી ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવો, પશુ કલ્યાણને પ્રોત્સાહન આપવું, ગૌચર જમીનનો વિકાસ, પાંજરાપોળો અને ગૌશાળાઓની માળખાકીય સુવિધાઓ માટે ભંડોળની ફાળવણી, મુખ્ય મંત્રી ગૌમાતા પોષણ યોજનાની સબસિડીમાં વધારો કરી પ્રતિ પશુદીઠ મળતી, દૈનિક, કાયમી સબસીડીની રકમ રૂૂ. 100 કરવી, પશુપાલન વ્યવસ્થાપનમાં સુધારો અને પ્રાકૃતિક ખેતીમાં રોકાયેલા ખેડૂતોને સહાય પૂરી પાડવી સહિતની બાબતો પર અર્થપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.


અત્રે ઉલેખ્ખનીય છે કે ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગિરીશ શાહ, અને સાથી ટીમનાં માર્ગદર્શનમાં દેશનાં અનેક રાજ્યોમાં છેલ્લા એક વર્ષથી રાજ્યોનાં મુખ્યમંત્રી, પશુપાલન મંત્રી ઈત્યાદિને રૂૂબરૂૂ મળી જીવદયા, ગૌસેવાનાં અનેકવિધ મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી રહી છે અને આ અંગે ખુબ સારી સફળતા પણ પ્રાપ્ત થઇ છે. હાલમાં દેશનાં 8 રાજ્યોમાં પશુદીઠ સબસીડી શરુ થઇ ગઈ છે તેમજ મહારાષ્ટ્ર રાજ્યમાં ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો પણ પ્રાપ્ત થયો છે. ભવિષ્યમાં પણ આવા કાર્યો થતાં રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *