ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ભાઈ પટેલ સાથે જૂનાગઢના પ્રતિનિધિ મંડળે રૂૂબરૂૂ મુલાકાત કરી ગિરનારના વિકાસ બાબતે વિગતવાર ચર્ચા કરી હતી.
આ પ્રસંગે જૂનાગઢથી પધારેલા ભારત સાધુ સમાજના પ.પૂ. મુક્તાનંદ બાપુ, ત્રિલોકનાથ આશ્રમના મહંત શેરનાથજી બાપુ અને ભારતી આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુ ઉપરાંત જૂનાગઢના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય સંજયભાઈ કોરાડિયા મહેન્દ્રભાઈ મશરૂૂ પ્રદીપભાઈ ખીમાણી ગૌરવભાઇ રૂૂપારેલિયા શૈલેષભાઈ દવે યોગિભાઈ પઢિયાર ઉપસ્થિત રહ્યા
ગુજરાતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાના માવજતરૂૂપ પવિત્ર તીર્થધામ ગિરનાર પર્વત તથા ભવનાથ તળેટીને વિકસિત કરવા અને સુવિધાઓના વિસ્તરણ સંદર્ભે ચર્ચા કરી.
