માધાપર ચોકડી સર્વિસ રોડ ઉપર મોતની ખાઇ

રાજકોટમાં જામનગર રોડ ઉપર માધાપર ચોકડીએ બનેલો ઓવરબ્રીજ શરૂ થઇ ગયા બાદ લાંબા સમય પછી સર્વિસ રોડ શરૂ કરવામાં આવ્યો છે.પરંતુ કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે વાહન…

રાજકોટમાં જામનગર રોડ ઉપર માધાપર ચોકડીએ બનેલો ઓવરબ્રીજ શરૂ થઇ ગયા બાદ લાંબા સમય પછી સર્વિસ રોડ શરૂ કરવામાં આવ્યો છે.પરંતુ કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે વાહન ચાલકો ઉપર સતત અકસ્માતનું જોખમ રહે છે. આ સર્વિસ રોડ ઉપર બોક્ષ ગટરનું કામ ચાલી રહ્યું છે પરંતુ કોન્ટ્રાકટર દ્વારા બેરીકેડ કે ચેતવણીના બોર્ડ મારવામાં આવ્યા ન હોવાથી નાના વાહન ચાલકો ખાડામાં પડે તો સળીયા આરપાર નીકળી જાય તેવી સ્થિતિ છે. આટલુ બેદરકારીપૂર્વક કામ ચાલી રહ્યું હોવા છતાં જવાબદાર અધિકારીઓ અંધારામાં છે કે, આંખ મીચામણા કરી રહ્યા છે તે સવાલ ઉઠે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *