જાહેરાતોની 300 કરોડની કમાણી ગુમાવશે, ટિકિટોનું રિફંડ આપવું પડશે, પીસીબીના ભંડોળ પર કાપ મૂકાશે
ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો માત્ર રમત નથી હોતો, પરંતુ એક જંગી ’આર્થિક ઉત્સવ’ હોય છે. જોકે, પાકિસ્તાન સરકારે 2026 ના ’ટી-20 વર્લ્ડ કપ’ માં ભારત સામે રમવાનો ઇનકાર કરતા ક્રિકેટના અર્થતંત્રમાં ભૂકંપ આવી ગયો છે.
પાકિસ્તાન સરકારે સ્પષ્ટ કર્યું હતું કે તેમની ટીમ ટુર્નામેન્ટમાં ભાગ લેશે પરંતુ 5 February એ શ્રીલંકામાં ભારત સામે મેદાનમાં નહીં ઉતરે. આ એક નિર્ણયને કારણે વૈશ્વિક ક્રિકેટને અંદાજે ₹<4500 Crore (500 Million)નું જંગી નુકસાન થવાની ભીતિ છે. નિષ્ણાતોના મતે, આ મેચનું મૂલ્ય પ્રસારણ, સ્પોન્સરશિપ અને ટિકિટ વેચાણ મળીને આટલું આંકવામાં આવે છે.
આ નુકસાનનો સૌથી મોટો ફટકો જાહેરાત ક્ષેત્રે પડશે. ભારત-પાક હાઈ-વોલ્ટેજ મેચ માટે જાહેરાતનો સ્લોટ સૌથી મોંઘો હોય છે. કંપનીઓ Secondsની જાહેરાત માટે ₹ 2.5 Millionથી ₹4 Million ચૂકવવા તૈયાર હતી. માત્ર જાહેરાતોમાંથી જ અંદાજે ₹300 ઈજ્ઞિયિ ની કમાણી થવાની ધારણા હતી, જે મેચ રદ થવાથી હવે શૂન્ય થઈ જશે.
માત્ર બ્રોડકાસ્ટર્સ જ નહીં, પરંતુ ક્રિકેટ બોર્ડને પણ આર્થિક નુકસાન વેઠવું પડશે. મીડિયા રિપોર્ટ્સ દાવો કરે છે કે મેચ ન યોજાવાને કારણે ભારત અને પાકિસ્તાન બોર્ડને સંયુક્ત રીતે આશરે 200 Crore (<2 Billion) સુધીનો ફટકો પડી શકે છે. આ રકમ મેચ ફી અને અન્ય વ્યાવસાયિક કરારો સાથે જોડાયેલી હોય છે.
ટિકિટ વેચાણની આવક પર પણ પાણી ફરી વળ્યું છે. સામાન્ય રીતે ભારત-પાક મેચની ટિકિટો સૌથી મોંઘી હોય છે અને ગણતરીની મિનિટોમાં વેચાઈ જાય છે. હવે મેચ રદ થવાથી આયોજકોએ વેચાયેલી ટિકિટોના પૈસા રિફંડ કરવા પડશે, જે આર્થિક નુકસાનની સાથે સાથે એક મોટી વ્યવસ્થાપકીય સમસ્યા પણ બની રહેશે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) માટે આ નિર્ણય આત્મઘાતી સાબિત થઈ શકે છે. ICC ની કુલ આવકમાંથી પાકિસ્તાનને 5.75% હિસ્સો મળે છે, જે અંદાજે 34.51 Million (આશરે ₹316 Crore) જેટલો થાય છે. ભારત સામે ન રમવાને કારણે અને આવક ઘટવાને કારણે ઙઈઇ ને મળતા આ ભંડોળ પર પણ કાપ મુકાઈ શકે છે અથવા જોખમ ઊભું થઈ શકે છે.
ટૂંકમાં, રાજકીય કારણોસર લેવાયેલો આ નિર્ણય ક્રિકેટના ચાહકો માટે નિરાશાજનક અને ક્રિકેટના અર્થતંત્ર માટે વિનાશક સાબિત થયો છે. આ મેચ રદ થવાથી જે આર્થિક ખાડો પડ્યો છે, તેની ભરપાઈ કરવી ICC અને આયોજકો માટે મુશ્કેલ બની રહેશે.
