લાંચના પુરાવા તરીકે જપ્ત થયેલું સોનું વેપારીને પરત કરવાનો કોર્ટનો ઇનકાર

રેલવે ભરતી કૌભાંડના કેસમાં વડોદરાના એક જ્વેલરને જપ્ત કરાયેલા 650 ગ્રામ સોનાના બારનો કબજો પરત કરવાનો સીબીઆઈ કોર્ટે ઇનકાર કરી દીધો છે. સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ…

રેલવે ભરતી કૌભાંડના કેસમાં વડોદરાના એક જ્વેલરને જપ્ત કરાયેલા 650 ગ્રામ સોનાના બારનો કબજો પરત કરવાનો સીબીઆઈ કોર્ટે ઇનકાર કરી દીધો છે. સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ ડી જી રાણાએ જણાવ્યું હતું કે, અસ્થિર બુલિયન માર્કેટની કિંમતને ધ્યાનમાં રાખીને અને ગુના સાથેના તેના જોડાણને કારણે સોનાને જ્વેલરને સોંપી શકાય નહીં.

આ કૌભાંડમાં, રેલવે અધિકારીઓએ નોકરીના ઉમેદવારો પાસેથી લાખો રૂૂપિયાની લાંચ માંગી હતી અને લાંચની રકમ (રૂૂ. 58 લાખ)ને સોનામાં રૂૂપાંતરિત કરવાની માંગ કરી હતી. વડોદરાના પધનરાજ જ્વેલર્સથના રાજેન્દ્ર લાડલાએ આ પૈસાને સોનામાં રૂૂપાંતરિત કરવા માટે પહરિકૃષ્ણ જ્વેલર્સથના અમૃતલાલ સોની પાસેથી સોનાના બાર ખરીદ્યા હતા. પશ્ચિમ રેલવેના ડેપ્યુટી ચીફ કોમર્શિયલ મેનેજર એસ કે તિવારીને બાર સોંપતી વખતે લાડલા સીબીઆઈની જાળમાં પકડાઈ ગયા હતા, અને તપાસ એજન્સીએ સોનાના બાર જપ્ત કર્યા હતા.

હરિકૃષ્ણ જ્વેલર્સના માલિક અમૃતલાલ સોનીએ સીબીઆઈ કોર્ટમાં અરજી કરીને 650 ગ્રામ સોનાની કસ્ટડી માંગી હતી. સોનીએ દાવો કર્યો હતો કે તેઓ ગુના સાથે સંકળાયેલા નથી અને માત્ર સોનું વેચ્યું છે, તેથી સીબીઆઈએ પૈસા જપ્ત કર્યા હોવાથી સોના પર તેમનો અધિકાર છે. જોકે, ન્યાયાધીશ ડી જી રાણાએ સોનીની અરજીને ફગાવી દેતા જણાવ્યું હતું કે, જપ્ત કરાયેલા સોનાના બાર લાંચના વ્યવહારને અને તેના સોનામાં રૂૂપાંતરને સાબિત કરવા માટેની એક નિર્ણાયક કડી છે.

કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે અરજદારે પોતે જ સ્વીકાર્યું છે કે તેણે આ સોનું લાડલાને વેચી દીધું હતું, તેથી તે હવે તેની માલિકીનો દાવો કરી શકે નહીં. ઉપરાંત, કોર્ટે ઉમેર્યું હતું કે સોનાના ભાવમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, તેથી તેના વધઘટ થતા મૂલ્યને ધ્યાનમાં રાખીને, જ્યાં સુધી ટ્રાયલ ચાલશે ત્યાં સુધી જપ્ત કરાયેલી મિલકત કોર્ટની કસ્ટડીમાં સુરક્ષિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *