ધોરાજીના દિવંગત ખેડૂતના પરિવારને 22 લાખની સહાય ચૂકવતી સહકારી સંસ્થા

ધોરાજીની એક સહકારી સંસ્થાએ તેના દિવંગત ખેડૂત સભાસદના પરિવારને ₹22 લાખની વીમા સહાય પૂરી પાડી છે. ધોરાજી વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આ આર્થિક…

ધોરાજીની એક સહકારી સંસ્થાએ તેના દિવંગત ખેડૂત સભાસદના પરિવારને ₹22 લાખની વીમા સહાય પૂરી પાડી છે. ધોરાજી વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આ આર્થિક ટેકો અર્પણ કરવામાં આવ્યો હતો, જે સહકારી ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

મંડળીના સભાસદ વ્રજલાલ બચુભાઈ કોયાણીનું થોડા સમય પૂર્વે અકસ્માતે નિધન થયું હતું. તેમના અવસાન બાદ, પરિવારને આર્થિક મુશ્કેલીમાંથી બહાર લાવવા માટે સહકારી સંસ્થાઓ દ્વારા મદદ કરવાનો નિર્ણય લેવાયો હતો.

રાજકોટ જિલ્લા બેંક અને મંડળી દ્વારા લેવામાં આવેલી વીમા પોલિસી અંતર્ગત તેમના વારસદાર શાંતાબેન વ્રજલાલ કોયાણીને આ સહાય ચૂકવવામાં આવી છે.આ કુલ ₹22 લાખની સહાય ત્રણ અલગ-અલગ પોલિસીઓ હેઠળ પ્રાપ્ત થઈ છે.

રાજકોટ જિલ્લા બેંકના યુવા ચેરમેન અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના હસ્તે દિવંગત ખેડૂતના વારસદારને ₹22 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *