ઉમિયાધામ સિદસરમાં શ્રી1ા શતાબ્દી મહોત્સવનું સમાપન

  યુવા, મહિલા, શૈક્ષણિક અને પ્રોફેશનલ, ડોકટર સહિત 10 સંમેલનો યોજાયા રાજકીય, સામાજિક મહાનુભાવો, સંતોએ પાટીદારોને પ્રેરક સંદેશો આપ્યો ખોબા જેવડા સિદસરમાં લાખો લોકોની વ્યવસ્થા…

 

યુવા, મહિલા, શૈક્ષણિક અને પ્રોફેશનલ, ડોકટર સહિત 10 સંમેલનો યોજાયા રાજકીય, સામાજિક મહાનુભાવો, સંતોએ પાટીદારોને પ્રેરક સંદેશો આપ્યો

ખોબા જેવડા સિદસરમાં લાખો લોકોની વ્યવસ્થા દ્વારા પાટીદારોએ બેનમૂન મેનેજમેન્ટનું ઉદાહરણ આપ્યું

માં ઉમિયાની આરાધના સાથે સરસ્વતીની સાધના ના સુત્ર સાથે ઉમિયાધામ સિદસર ખાતે યોજાયેલા પાંચ દિવસના શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં લાખો ભાવિકો ઉમટી પડયા હતા. પરંતુ ઉમિયાધામ સિદસર દ્રારા વિવિધ સમિતિઓની રચના કરી લોકો માટે બેનમુન વ્યવસ્થા અને મેનેજમેન્ટ થકી મહોત્સવને સફળ બનાવ્યો હતો. માં ઉમિયાના ચરણે શિશ ઝુકાવી પાટીદારોએ સમાજના વિકાસ માટે સવાયા સંકલ્પથી સમાજ વિકાસની નવી દિશાનો પ્રારંભ કર્યો છે. ઉમિયાધામ સિદસર દ્રારા આગામી સમગ્ર વર્ષ દરમ્યાન જ્ઞાનસમૃધ્ધિ રથનું સમગ્ર સૈારાષ્ટ્રમાં પરીભમ્રણ થશે.
પાંચ દિવસના શ્રી 1ા શતાબ્દી મહોત્સવમા ચુવા, મહિલા, સામાજિક, સરરસતા, કર્મયોગી, શૈક્ષણિક અને પ્રોફેશનલ-ડોકટરો સહીત 10 જેટલા સંમેલનમાં વિવિધક્ષેત્રના રાજકીય, સામાજિક અગ્રણીઓ, સંતો, વકતાઓએ પાટીદાર સમાજને સમાજ વિકાસની પ્રગતિ માટે પ્રેરક સંદેશો આપ્યો હતો. પાંચ દિવસના મહોત્સવમાં યજ્ઞ. ફિલ્મ નિર્દશન, વ્યસન મુકિત, રકતદાન શિબિર, અંગદાનના સંકલ્પ, આનંદમેળો સહીતના આયોજનમાં સૈારાષ્ટ્રભરના તાલુકા-ગ્રામ્ય વિસ્તારોના લાખો પાટીદારે ભાગ લઇ સિદસર ખાતે માં ઉમિયાના દર્શન દરી ધન્યતા અનુભવી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.

તા.ર9 રવિવારના સવારે ઉમિયાધામ સિદસર ખાતે યોજાયેલા શૈક્ષણિક સંમેલનમાં અખીલ હિન્દુ ધર્મ આચાર્ય સભા ના સંયોજક અને મહામંત્રી અખિલ ભારતીય સંત સમિતિના ક્ધવીનર સ્વામી કો. પરમાત્માનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતુ કે, હિન્દુ સમાજ માટે આદર્શ મર્યાદા પુરૂૂસોતમ રામ છે. સર્વના હ્રદયમાં રામની સ્થાપના કરવાનું કામ શિક્ષકનુ છે. શિક્ષણ થકી પ્રગતિશીલ બનેલા પાટીદાર સમાજનો ફાળો ગુજરાતમાં મોખરે છે. અને ભારતને 5 મી વિશ્વસતા બનાવવા પટેલ સમાજનું યોગદાન મહતમ છે.

શ્રી 1ા શતાબ્દી મહોત્સવના સમાપન પ્રસંગે પાટીદાર સમાજે મા ઉમિયાની છત્રછાયામાં સંગઠન અને એકતાની સાથોસાથ શિક્ષણ અને પરિશ્રમ થકી પ્રગતિનો પાયો નાખ્યો છે. આગામી 2031 સુધીમાં ઉમિયા માતાજી મંદિર સિદસર દ્રારા ઉમિયા માતાજી સમુધ્ધી યોજના-3 ના માધ્યમથી રૂૂા. 400 કરોડના સામાજીક, શૈક્ષણિક વિકાસકાર્યોના સંકલ્પ સાથે મહોત્સવનું સમાપન થયુ છે. દિલેર પાટીદાર દાતાઓ અને ભામાશાઓ ની સખાવત થી આગામી દિવસોમાં રાજકોટના ઈશ્વરીયા ખાતે 1500 થી વધુ વિદ્યાર્થીઓ માટે 32 વિધા જગ્યામાં સ્કૂલ, ગર્લ્સ-બોયસ હોસ્ટેલ, લાયબ્રેરી, સ્પોર્ટ સંકુલ અને સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર, સહીતની સુવિધા ધરાવતું ’શ્રી ઉમા શૈક્ષણિક સંકુલ’ રૂૂા. 100 કરોડના ખર્ચે ત્રણ તબકકામાં નિર્માણ પામશે. તેમજ ઉમિયાધામ સિદસરના સામાંકાઠે 30 વિધા જગ્યામાં યાત્રીકો માટે અતિથિગૃહ, મલ્ટીપર્પઝ હોલ, પાર્ટી પ્લોટ, ગાર્ડન, પાટીદાર અસ્મિતા કેન્દ્ર, સ્મૃતિમંદિર, રીવરફ્રન્ટ રૂૂા. 2પ કરોડના ખર્ચે નિર્માણ થશે.

સૌરાષ્ટ્રમાં વસતા અઢી લાખથી વધુ પરિવારોની નવી પેઢીના ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ ખાતે 100 કરોડાના ખર્ચે ગર્લ્સ તથા બોયઝ હોસ્ટેલ તેમજ ગાંધીનગર ખાતે રૂૂા. 40 કરોડના ખર્ચે નવી બોયઝ હોસ્ટેલ, રાજકોટ નજીક એઇમ્સ પાસે 10 કરોડના ખર્ચે આરોગ્યભવન, બનાવવા ઉપરાંત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠીઓના સહયોગથી રૂૂા. 50 કરોડની શૈક્ષણિક લોન, વૃક્ષારોપણ અને પ્રાકૃતિક ખેતી જળસંચય, ગ્રામ્ય વિકાસની પ્રવૃતીઓ માટે 15 કરોડ, તેમજ વિવિધ સામાજીક પ્રવૃતિઓ માં 10 કરોડ, તેમજ ભગવાન રામની જન્મભૂમી અયોધ્યા ખાતે ઉમા અતિથિ ગૃહ બનાવવા માટે રૂૂા. 25 કરોડ ના ખર્ચે નિર્માણ સહીતના આયોજનો ઉમિયા માતાજી મંદિર સિદસરના માધ્યમથી થશે.

ઉદ્યોગ સંમેલનમાં અધ્યક્ષ સ્થાનેથી બોલતા ઉમિયાધામના ઉપપ્રમુખ અને મહોત્સ્વના યજમાન જગદિશભાઈ કોટડીયાએ જણાવ્યું હતું કે, હાલમાં હીરા ઉદ્યોગ, ડીઝલ એન્જીન, સિરામીક ઉદ્યોગ સહીતના આઠ ઉદ્યોગો જે મુખ્યત્વે પાટીદારો ચલાવી રહ્યા છે. જેની દેશ ભરમાં સૈાથી વધુ રેવન્યુ સરકારને રળી આપવાનો જશ મળી રહ્યો છે. ત્યારે પાટીદારોએ એક વ્યવસાયને બદલે અલગ અલગ વ્યવસાય તરફ વિઝન કેળવીને આગળ વધવું જોઈએ. માં ઉમિયાની નિશ્રામાં સમાજ વિકાસની હરણફાળ ભરાઈ રહી છે ત્યારે, ઉદ્યોગપતિઓ મન મુકીને દાન આપીને આ યાત્રામાં જોડાય તેવી અપીલ કરી હતી. આજના સંમેલનમાં ગુજરાત ભરમાંથી આવેલા ઉદ્યોગપતિઓએ માં ઉમિયાના ચરણોમાં દાનનો વરસાદ કર્યો હતો. યુવા ઉદ્યોગપતિ રાજન વડાલીયા, શૈલેષ વૈશ્નાણી,ફાલ્કન ગ્રુપ સાથે જોડાયેલા પરીતાબેન કોટડીયા અને અમેરીકાથી આવેલા કોમલબેન દિપકભાઈ ગોવાણીએ પ્રાસંગીક ઉદબોધન કરી શિક્ષણ બાળકોની કેળવણી અને મહિલાઓની ઉદ્યોગ ક્ષેત્રમાં ભાગીદારીની વાત કરી હતી. શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે હેલીકોપ્ટર ન આવી શકતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સિદસર આવી શકયા ન હતા.

શનિવારે રાત્રે મહોત્સવમાં પાંચ દિવસ શ્રમદાન અને સમયદાન આપનાર 6પ00 જેટલા સ્વયંસેવકોને બિરદાવ્યા હતા. મહોત્સવને સફળ બનાવવા ઉમિયાધામ સિદસર દ્રારા શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં 102 સમિતિના 6પ00 જેટલા સ્વયંસેવકોનો સન્માન સમારંભ યોજાયો હતો જેમાં ઉમિયા માતાજી મંદિરના પ્રમુખ જેરામભાઈ વાંસજાલીયા, ચેરમેન મોલેશભાઈ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ, ઉમિયા સમૃદિધ યોજનાના ક્ધવીનર બી.એચ.ધોડાસરા, ઉપપ્રમુખ ચિમનભાઈ શાપરીયા, જગદિશભાઈ કોટડીયા, ક્ધવીનરો ગોવિંદભાઈ વરમોરા, મનસુખભાઈ પાણ, શૈલેષભાઈ વૈશ્નાણી, તથા સહ યજમાન પુનીતભાઈ ચોવટીયાએ, રમણીકભાઈ ભાલોડીયા ભુપતભાઈ ભાયાણી સહીતના ટ્રસ્ટીઓ તથા હોદેદારોએ આભાર વ્યકત કરી સ્વયંસેવકોના અદકેરા સન્માન કર્યા હતા.અને પાટીદાર સમાજના ઉત્થાન માટે અમલી બનાવાયેલી 400 કરોડની શ્રી ઉમીયા સમૃધ્ધિ યોજના-3 ના માધ્યમથી જ્ઞાન સમૃધ્ધિ રથ સૌરાષ્ટ્રના 12 જીલ્લાના 750 થી વધુ ગામોમાં પરીભ્રમણ કરશે તેવી જાહેરાત ઉમિયાધામ સિદસર દ્રારા કરવામાં આવી હતી.

ર0ર7માં રાષ્ટ્રીય કક્ષાનો ઉમા ઓદ્યોગિક એકસ્પો દિલ્હીમાં યોજાશે: મૌલેશ ઉકાણી
શ્રી 1ા શતાબ્દી મહોત્સવના ચોથા દિવસે યોજાયેલા ઉદ્યોગ વેપાર સંમેલનમાં ઉમિયાધામ સિદસરન ચેરમેન અને શ્રી 1ા શતાબ્દી મહોત્સવના ચેરમેન મોલેશભાઈ ઉકાણીએ જણાવ્યું હતું કે, નાણા એટલે કે લક્ષ્મીની ત્રણ ગતિ છે. પૈસાને વેડફવા, વાપરવા અને વાવવા આજના સમયે પાટીદાર સમાજ પૈસાને વાપરતો અને વાવતા તો સીખી ગયો છે પરંતુ પૈસાને ખોટી રીતે વેડફતો પણ થઈ ગયો છે. આવનારા સમયમાં આ દુષણને દુર કરી પાટીદારોએ પરસેવાના ટીપાની કમાણી સમાજના હિતમાં ખર્ચવી પડશે. આયુર્વેદિક ક્ષેત્રે 3000 થી વધુ પ્રોડકટ બનાવનાર બાન લેબના એમ.ડી. ઉકાણીએ સૌરાષ્ટ્ર ગુજરાતના પરિશ્રમી અને ટેલેન્ટેડ પાટીદાર ઉદ્યોગકારને પ્લેટફોર્મ પુરુ પાડવા શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના નેજા હેઠળ 2027 સુધીમાં રાષ્ટ્રીય કક્ષાનો ઉમા એકસ્પો દેશના પાટનગર દિલ્હીમાં યોજાવાની ઘોસણા કરી છે. સમાજમાં વધતા જતા દુષણો બાબતે ટકોર કરતા ઉમિયાધામ સિદસરના ચેરમેન મૌલેશભાઈ ઉકાણીએ ચિંતા વ્યકત કરતા આજકાલ સમાજના યુવાનો વ્યસનોના રવાડે ચડી પરિવાર અને સમાજનું પતન નોતરે છે. મહિલાઓ પુરૂૂષોને વ્યસનો ન કરવા વિનંતી કરતી પરંતુ, હવે તે બાબતે મહિલાઓ લીબરલ થતી જાય છે. પરિવારમાં જરૂૂરી સમજણના વાતાવરણનો અભાવ જોવા મળી રહ્યો છે. વ્યસન બાબતે મા-બાપ સંતાનોને સ્વયંશિસ્ત અને સંસ્કારોનું લેશન આપવાનું ચુકી જાય છે. કહેવાથી નહી પરંતુ, વાણી વર્તન અને વ્યવહારથી સંતાનો શીખતા હોય છે. ત્યારે વાલીઓને વ્યસન કરતા જોતા બાળકો પણ આ રવાડે ચડે છે. સફળતા માટે ખોટા રસ્તે જવાની જરૂૂર નથી અને મહોત્સવના માધ્યમથી દરેક પરિવારે પોતે વ્યસનથી દુર રહી વ્યસનમૂકત સમાજનું નિર્માણ કરવામાં સહભાગી થવું જોઈએ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *