એક ટીમમાં 6 વિદેશી સહિત 18 ખેલાડીઓની છૂટ
મહિલા પ્રીમિયર લીગની આગામી સીઝનને લઈને મહત્વપૂર્ણ જાહેરાત સામે આવી છે. આગામી સીઝન પહેલાં યોજાનારી ખેલાડીઓની હરાજી 28 ઓક્ટોબરે કોચીમાં યોજાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 16 સપ્ટેમ્બરના રોજ ઠઙકની તમામ પાંચ ફ્રેન્ચાઇઝીઓને હરાજીની તારીખ અને સ્થળ અંગેની માહિતી આપી છે. આ જાહેરાત સાથે હવે તમામ ટીમો માટે આગામી સીઝન પહેલાં પોતાની ટીમનું સંતુલન નક્કી કરવાની પ્રક્રિયા વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે.
હરાજી પહેલાં ટીમો માટે રિટેન્શન અને રિલીઝ પ્રક્રિયા પર ખાસ ધ્યાન આપવું પડશે. તમામ પાંચ ફ્રેન્ચાઇઝીઓએ 28 સપ્ટેમ્બર સુધીમાં કયા ખેલાડીઓને ટીમમાં જાળવી રાખવાના છે અને કયા ખેલાડીઓને મુક્ત કરવાના છે તેનો નિર્ણય લેવો પડશે. ત્યારબાદ હરાજીમાં ટીમોને પોતાની જરૂૂરિયાત પ્રમાણે ખેલાડીઓ પસંદ કરવાની તક મળશે. આ કારણે આગામી થોડા અઠવાડિયા ઠઙકની તમામ ટીમો માટે નિર્ણાયક રહેશે.
ક્રિકબઝના અહેવાલ મુજબ, BCCIએ બુધવારે તમામ પાંચ ઠઙક ફ્રેન્ચાઇઝીઓ સાથે હરાજી સંબંધિત વિગતો સત્તાવાર રીતે શેર કરી છે. હરાજી માટે 28 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી છે અને તેનું આયોજન કોચીમાં થશે.હવે ફ્રેન્ચાઇઝીઓ પાસે પોતાની ટીમમાં ફેરફાર કરવા માટે મર્યાદિત સમય છે.
28 સપ્ટેમ્બર સુધીમાં રિટેન અને રિલીઝ થનારા ખેલાડીઓ અંગે નિર્ણય લેવો પડશે. આ નિર્ણય પછી હરાજીમાં કઈ ટીમ પાસે કેટલું બજેટ ઉપલબ્ધ રહેશે તે પણ સ્પષ્ટ થશે. ઠઙકની એક ટીમમાં વધુમાં વધુ 18 ખેલાડીઓ હોઈ શકે છે. તેમાં છ સુધીના વિદેશી ખેલાડીઓનો સમાવેશ થઈ શકે છે. વર્તમાન ચક્ર માટે ટીમો માટે ₹15 કરોડની સેલેરી કેપ નક્કી કરવામાં આવી છે. તેથી હરાજી પહેલાં ખેલાડીઓને જાળવી રાખવાના નિર્ણયમાં માત્ર ખેલાડીનું પ્રદર્શન જ નહીં, પરંતુ ટીમના ઉપલબ્ધ બજેટ અને સ્ક્વોડની જરૂૂરિયાત પણ મહત્વપૂર્ણ રહેશે.
