મહાનગરપાલિકા દ્વારા અમુક તહેવારો નિમિતે શહેરના કત્તલખાનાઓ બંધ રાખવા તેમજ માસ-મચ્છી, મટનનું વેચાણ અને સંગ્રહ ન કરવા માટે સુચના આપી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે. જેમાં આગામી તા. 25ના રોજ સાધુ વાસવાણી મિટલેસડે નિમિતે મનપા વિસ્તારના તમામ કતલખાનાઓ બંધ રાખવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આગામી સાધુવાસવાણી મીટલેસ ડે નિમિતે તા. 25ના રોજ એક દિવસ માટે મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારનાકતલખાના બંધ રાખવા ફરમાવવામાં આવે છે. સબંધ કર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી એન જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એક્ટ 1949ની કલમ 329 અને 326 તથા વેંચાણે લીધેલ રાજકોટ મહાનગર પાલિકાના બાયલોજ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે જેની સબંધ કર્તા તમામે ગંભીર નોંધ લેવી.
