જનતાનો ટેક્સ જનતામાં વાપરવા, ભ્રષ્ટ કોન્ટ્રાકટરોને બ્લેક લિસ્ટ કરવા સહિત અનેક મુદ્દાઓ સાથે આમ આદમી પાર્ટી પ્રજા વચ્ચે
મોરબી મહાનગરપાલિકાની 2026 ની પ્રથમ ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી જોરશોરથી મેદાનમાં ઉતરી છે. મોરબીના 13 વોર્ડના 52 ઉમેદવારો આપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. આ નિમિત્તે આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરિયાની આગેવાનીમાં મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો હતો. સાથે તમામ ઉમેદવારોએ શપથ પણ લીધા હતા.
આપ નેતા પંકજ રાણસરિયાએ જણાવ્યું હતું કે, મોરબીની જનતાને ભાજપ સામે એક મજબૂત વિકલ્પની જરૂૂર છે અને મતદારોને વિશ્વાસ અપાવવા માટે અઅઙ ના તમામ 52 ઉમેદવારોએ સોગંદનામું કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, “અમે જનતાના સેવક છીએ. ચૂંટાયા પછી કોઈ પણ ઉમેદવાર 5 વર્ષ સુધી પક્ષપલટો નહિ કરે. જો કોઈ કોન્ટ્રાકટર ભ્રષ્ટાચાર કરતો પકડાશે તો તેને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવામાં આવશે. જનતાના ટેક્સના પૈસા જનતાના વિકાસ માટે જ વપરાશે. જો કોઈ ઉમેદવાર પોતાના વચનો પૂરા નહિ કરી શકે અને પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જશે, તો તે સ્વેચ્છાએ રાજીનામું આપી દેશે.”
