જામનગરના જોગવડ ગામે શ્રમિક યુવાનનો ફાંસો ખાઈ આપઘાત

જામનગર નજીક જોગવડ ગામમાં રામદુત નગર વિસ્તારમાં એક ભાડાના મકાનની અવાવરુ ઓરડીમાં આજથી બે દિવસ પહેલાં મૂળ પશ્ચિમ બંગાળના વતની મંગલ માજી ગુરુપદ માજી નામના…

જામનગર નજીક જોગવડ ગામમાં રામદુત નગર વિસ્તારમાં એક ભાડાના મકાનની અવાવરુ ઓરડીમાં આજથી બે દિવસ પહેલાં મૂળ પશ્ચિમ બંગાળના વતની મંગલ માજી ગુરુપદ માજી નામના 21 વર્ષના પરપ્રાંતીય શ્રમિક યુવાને સિમેન્ટના પિઢીમાં ઓઢણી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.

આ બનાવ અંગે રઘુવીરસિંહ ગુલાબસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં મેઘપર- પડાણાના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.એન. થાનકી બનાવના સ્થળે દોડી ગયા હતા, અને પરપ્રાંતિય શ્રમિક યુવાનના મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું છે, જ્યારે તેના વાલી વારસદારને શોધવા માટેની કવાયત હાથ ધરી છે. તેણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું. એ જાણવા માટે પોલીસ ઊંડાણ પૂર્વકની તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *