જામકંડોરણાના દડવીમાં ભૂલથી આવેલી તમીલ યુવતીને અમરધામમાં આશરો મળ્યો

તામિલનાડુના તિરુવલ્લી થી 2200 કીલોમીટર નું અંતર કાપી તમિલ અજાણી મહિલા અસ્થિર મગજ કે અન્ય કારણોસર જામકંડોરણા ના દળવી આવી પહોંચી. જામકંડોરણા ના પીઆઇ વાધિયા…

તામિલનાડુના તિરુવલ્લી થી 2200 કીલોમીટર નું અંતર કાપી તમિલ અજાણી મહિલા અસ્થિર મગજ કે અન્ય કારણોસર જામકંડોરણા ના દળવી આવી પહોંચી. જામકંડોરણા ના પીઆઇ વાધિયા દ્વારા તીરુવલ્લી પોલીસ સ્ટેશનમાં ફોન કરી આ મહિલા કોણ છે અને કયા કારણોસર અહીં આવી પહોંચી બાબતની ખરાઈ કરી હતી. અભયમની ટીમ દ્વારા દડવી થી લઈ ને જામકંડોરણા પોલીસ સ્ટેશન અને બાદમાં અમરધામ આશ્રમ ખાતે આશ્રય આપ્યો હતો જામકંડોરણા પી આઈ વાધીયા દ્વારા તમિલનાડુ ખાતે ટેલિફોનિક તપાસ કરીને મહિલા કોણ છે ગુમસુદા ફરિયાદ તેઓના પરિવાર તરફથી કરવામાં આવી છે કે નહીં તમામ તપાસ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *