દ્વારકામાં અંદાજિત 4.50 કિ.મી. લંબાઈના ફોર લેન બાયપાસ રોડનું નિર્માણ કરાશે

ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકા ખાતે છેલ્લા થોડા વર્ષોમાં શ્રદ્ધાળુઓનો પ્રવાહ વધ્યો છે ત્યારે રાજ્ય સરકાર પણ રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો વિકાસ…

ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકા ખાતે છેલ્લા થોડા વર્ષોમાં શ્રદ્ધાળુઓનો પ્રવાહ વધ્યો છે ત્યારે રાજ્ય સરકાર પણ રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો વિકાસ માટે પ્રયાસો હાથ ધરી રહી છે. જેના અનુસંધાને પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં શહેરીજનો અને પર્યટકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળે તેવા હેતુથી અંદાજિત 4.50 કિમી લંબાઈનો ફોર લેન બાયપાસ રોડનું નિર્માણ હાથ ધરવામાં આવશે. આ ફોર લેન બાયપાસ રોડ સાથે બને બાજુ આધુનિક વોટર ડ્રેનેજ સિસ્ટમ, રિફ્લેક્ટિવ સાઈન બોર્ડ, રોડ માર્કિંગ, ઝીબ્રા ક્રોસિંગ, મેટલ ક્રેશ બેરિયર, સેફ્ટી રેલીંગ, સ્પીડ વોર્નિંગ સાઇન, ટ્રાફિક કંટ્રોલ એલિમેન્ટ્સ, ફૂટપાથ, સ્ટ્રીટ લાઇટ સહિત સુવિધાઓ વિકસાવવામાં આવશે. ઉપરાંત, બાયપાસની બંને બાજુઓ પર બ્યુટીકિફિકેશન, ગ્રીન બેલ્ટ, લેન્ડસ્કેપિંગ, મીડિયમ ડેવલોપમેન્ટ કરવામાં આવશે. જેના પરિણામે દ્વારકા ખાતે આવતા પર્યટકોની મુસાફરી સુગમ અને સુરક્ષિત બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *