સૌરાષ્ટ્રભરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને બહાર પહોંચ્યો છે તાવ અને લુ લાગવાના બનાવો વધી રહ્યા છે ત્યારે 16 દિવસની માસુમ બાળકીને તાવ ભરખી જતા પરિવારમાં શોકની લાગણી છવાઈ જેવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ જામનગરના ધુળસીયા ગામે રહેતા કિંજલબેન મેહુલભાઈ શીખલીયા નામની પરણીતા એ 16 દિવસ પહેલા પુત્રીને જન્મ આપ્યો હતો.
અને તેનું નામ પ્રાનવી રાખશુ હતું ઘરમાં પ્રાન્વી તેના માતા સાથે કાલાવડના ખેરડી ગામે નાના દામજીભાઈ ના ઘરે હતી જેમનો વખતથી પુત્રી સ્વચ્છતા હતી. જોકે છેલ્લા પાંચ દિવસથી તાવ આવતો હોય તેથી ખાનગી હોસ્પિટલમાંથી દવા ચાલુ હતી દરમિયાન ગત રાતે અચાનક તબિયત બગડતા તેણીને બેભાન હાલતમાં સારવાર માટે અત્રેની જેવી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ભરના તબીબે મૃત જાહેર કરી હતી. મૃતક બાળકીના પિતા જામનગરમાં દવાના ગોડાઉનમાં નોકરી કરે છે એકની એક પુત્રીના મોતથી પરિવારમાં શોક લાગણી છવાઈ જવા પામી છે.
