ગુજરાત
નાગરિક બેંક બચાવો સમિતિને લપડાક, આવતીકાલે ચૂંટણી
મહેન્દ્ર શેઠ, શુભમ દોશી, અભય ઠક્કર સહિતના 6 શેર હોલ્ડરે ડેલિગેટ સિસ્ટમથી ચૂંટણી રોકવા કરેલ વાંધા અરજી કોર્ટે ફગાવી
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ચુંટણી પ્રક્રિયા તા. 18-10-2024ને શુક્રવારથી થવા જઈ રહેલ છે. જેનું જાહેરનામુ તા. 4-10-2024ના રોજ પ્રસિદ્ધ થયેલ છે. તાજેતરમાં થયેલ નવા કાયદા મુજબ હવેથી મલ્ટીસ્ટેટ કો-ઓપરેટીવ બેંકની ચુંટણી કો- ઓપરેટીવ ઇલેકશન ઓથોરીટી (ન્યુ દિલ્હી) દ્વારા કરાવવામાં આવશે. આ નવા નિયમ મુજબ રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ડિરેકટરોની ચુંટણી કો-ઓપરેટીવ ઇલેકશન ઓથોરીટી (ન્યુ દિલ્હી) દ્વારા થશે. જે અંતર્ગત કો-ઓપરેટીવ ઇલેકશન ઓથોરીટી દ્વારા રાજકોટ જીલ્લા કલેકટરશ્રીને રીર્ટનીંગ ઓફિસર તરીકે નિયુક્ત કરેલ છે. આ દરમિયાન કેટલાક શેર હોલ્ડરો પૈકી મહેન્દ્રભાઈ શેઠ, શુભમ વિબોધભાઈ દોશી, અભય ઠક્કર સહિત અન્ય ત્રણ દ્વારા આ ચુંટણી પ્રક્રિયામાં અડચણો ઉભી કરવા માટે વર્ષોથી કાયદાનુસાર થતી ચુંટણી પ્રક્રિયા સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવેલ. કાયદાકીય જોગવાઇ અનુસાર વર્ષોથી થતી ડિરેકટરોની ચુંટણી કે જેમાં બેંકના ડેલિગેટ ભાગ લઈ શકે છે.
સેન્ટ્રલ રજીસ્ટ્રાર દ્વારા માન્ય ડેલિગેટ સીસ્ટમ 2003થી અમલમાં છે. તે ડેલિગેટ સીસ્ટમને ચેલેન્જ કરતી અરજી અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ. જેની સુનાવણી નામદાર જસ્ટીસ અનિરુદ્ધ માયી સાહેબની કોર્ટમાં ચાલેલ. જેમાં હીયરીંગ દરમિયાન અરજદારોની દલીલો સાંભળી કોર્ટને દલીલમાં તથ્ય ન જણાતા અરજદારોની ઝાટકણી કાઢી ચુંટણી સામે કોઈપણ જાતનો મનાઈ હુકમ આપેલ નથી. ડેલિગેટ પ્રથા નિયમાનુસાર નથી અને સમગ્ર ચુંટણી પ્રક્રિયાને ખોરંભે ચડાવવાના બદઇરાદે થયેલ અરજી ઉપર નામદાર હાઇકોર્ટે કોઈ વચગાળાનો સ્ટે કે અન્ય કોઈ દાદ ન આપી આવા અરજદારના લકઝરી લીટીગેશનને ઉડાડી દેતા ચુંટણી પ્રક્રિયા જાહેર થયેલ ચુંટણી કાર્યક્રમ મુજબ જ આગળ વધશે તે સુનિતિ થઈ ગયેલ છે.
વિશેષમાં, અરજદાર પૈકી મહેન્દ્રભાઈ શેઠ, જે પેટ્રીયા હોટલમાં મેનેજર છે. જેમના ઘરમાં જ તેમના પુત્રવધુ ડેલિગેટની ચુંટણી લડીને ડેલીગેટ બનેલ છે. તે લોકો જ વર્ષો જુની નિયમાનુસારની પરંપરાને તોડીને ચુંટણીમાં અવરોધ ઉભા કરવાના હેતુથી નામદાર હાઇકોર્ટ સુધી દોડી ગયા હતા. આવી જ રીતે અન્ય એક અરજદાર શુભમ દોશી છે જે બેંકમાંથી સજા પામેલ કર્મચારી વિબોધભાઈ દોશીના દીકરા છે અને બેંક પ્રત્યે દ્વેષભાવથી તેના દીકરાને અરજદાર બનાવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. વિરુદ્ધ કેટલાક બેંકના ડિફોલ્ટરો, હિતશત્રુઓ, જુના અને સજા પામેલ કર્મચારીઓનો શંભુમેળો યેનકેન પ્રકારે બેંકને બદનામ કરવાના હેતુથી ચુંટણી સમયે જ બેંકનો જશ ખાટવા, કેટલાક લોકોને મહોરું બનાવીને ચુંટણી પાછી ઠેલવા પ્રયત્ન કરતા હતા. તેમને નામદાર ગુજરાત હાઇકોર્ટ તરફથી લપડાક મળી છે. બેંકની કાયદાકીય તથા બાય-લોઝની જોગવાઈ મુજબ બેંકના તમામ ડેલિગેટશ્રીઓ ડિરેકટરની આવનારી ચુંટણીમાં ભાગ લઇ શકશે. સમગ્ર ચુંટણી પ્રક્રિયામાં રીટર્નીંગ ઓફિસર તરીકે જીલ્લા કલેકટરશ્રી, રાજકોટની નિમણુંક કો-ઓપરેટીવ ઇલેકશન ઓથોરીટી દ્વારા કરવામાં આવેલ છે.
ગુજરાત
કોઈનો દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં, નોટ લખી યુવાનનો આપઘાત
શહેરના રેલનગરમાં આવાસ ટાઉનશીપમાં રહેતા યુવાને કોઈના દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં તેવી સ્યુસાઈડ નોટ લખી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં આવેલી ભગીની ટાઉનશીપમાં રહેતા અક્ષય ભીમજીભાઈ સરવૈયા (ઉ.વ.24) નામના યુવાને ગઈકાલે સાંજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં પ્રનગર પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોિસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસને મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે કોઈનો દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં, મારા મોત માટે હું જ જવાબદાર છું તેમ લખેલું હતું.
પ્રાથમિક તપાસમાં મૃતક અક્ષય એક બહેનનો એકનો એક મોટો ભાઈ હતો તે અગાઉ સીટીબસમાં નોકરી કરતો હતો તેના પિતા રીક્ષાચાલક છે. યુવાને આ પગલું શા માટે ભરી લીધું? તે અંગે પરિવારજતો પણ અજાણ હોયપોલીસે આપઘાતનું કારણ જાણ તપાસ હાથ ધરી છે. જ્યારે એકના એકપુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
ગુજરાત
વાગુદડના ધમાલિયા સાધુના આશ્રમ પર બુલડોઝર ફર્યું
ત્રણ કરોડની 3000 ચો.મી. સરકારી જમીન દબાણમુક્ત કરાવાઇ: લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ તોળાતી કાર્યવાહી
કાલાવડ રોડ પર વાગુદડ ગામમાં મહંતયોગી ધરમનાથ ઉર્ફે જીજ્ઞેશ ધામેલીયા દ્વારા સરકારી ખરાબાની 3000 ચોરસ મીટર જગ્યા ઉપર આશ્રમ બનાવી અને દબાણ કરી કબજો કરવામાં આવ્યો હતો. આ આશ્રમમાંથી તાજેતરમાં જ ગાંજાના છોડવા પણ ઝડપાયા હતા. સરકારી જમીન પર કબજો જમાવતા તંત્ર દ્વારા નોટીસ ફટકારવાામં આવી હતી. નોટીસનો જવાબ નહીં આપતા રાજકોટ કલેકટરના માર્ગદર્શન અને સુચનાથી આજે ત્રણ કરોડની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલ આશ્રમના દબાણ ઉપર બુલડોઝર ફેરવી અને ખુલ્લી કરાવાઇ હતી.
રાજકોટના ભાગોળે આવેલ વાગુદડ ગામે વિવાદિત યોગી ધર્મનાથ સાધુના આશ્રમ આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. રાજકોટ જિલ્લા કલેકટર ની સૂચના મુજબ લોધિકા મામલતદાર તેમજ ફાયરની અને પોલીસને બંદોબસ્ત વચ્ચે યોગી ધર્મનાથ સાધુના આશ્રમ પર બુલડોઝર ફર્યું હતું. વાગુદાળ -વાજડીવડનો સર્વે નંબર 32 પર સરકારી જમીન પર આશ્રમ બનાવી લેવામાં આવ્યો હતો જે આજે તંત્ર દ્વારા 3000 ચો. મી જેટલી જમીન ખુલી કરવામાં આવી હતી આ જમીનની બજારની અંદાજિત કિંમત 3 કરોડ રૂૂપિયા જેટલી આંકવામાં આવી હતી અને આગામી દિવસોમાં ફરી કોઈ દબાણ ન કરે તે માટે જમીનને ફરતે આગામી દિવસોમાં બાઉન્ડ્રી દિવાલ બાંધવામાં આવશે
પરમહંતયોગી ધરમ નાથ ઉર્ફે જીજ્ઞેશ ધામેલીયા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી દબાણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ અનુસંધાને આગામી દિવસોમાં કલેક્ટર તંત્ર દ્વારા સાધુ સામે લેનગ્રેબિંગની ફરિયાદ પણ નોંધાય તેવી શક્યતાઓ છે. આગામી દિવસોમાં મામલતદાર દ્વારા લેનગ્રેબિંગ કમિટીને આ અંગે ભલામણ કર્યા બાદ સરકાર તરફથી ફરિયાદી બને અને મહંત સામે ફરિયાદ નોંધાય તેવી સુત્રોમાં ચર્ચા થઇ રહી છે. કલેકટર તંત્ર જિલ્લામાં રહેલા બે હજારથી વધુ ધાર્મિક દબાણ પર નોટીસો આપવામાં આવી છે. અને ટૂંક સમયમાં જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે
ગુજરાત
રાજકોટ શહેર-જિલ્લાના 22 નાયબ મામલતદારોની બદલી
બે વર્ષથી એક જ જગ્યાએ રહેલા નાયબ મામલતદારો બદલ્યા
દિવાળીના હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકોટ જિલ્લા કલેકર પ્રભવ જોશી દ્વારા દિવાળી પહેલા નાયબ મામલતારોને બદલી કરવામાં આવી છે. એક સાથે રાજકોટ શહેર અને ગ્રામ્યના 22 જેટલા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. એક જ જગ્યાએ બે વર્ષથી પણ વધુ સમય રહેલા નાયબ મામલતારોની બદલી કરવામાં આવી છે.
જિલ્લા કલેકટર પ્રભાવ જોશી દ્વારા ગઈકાલે 22 જેટલા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી હતી. મુખ્યત્વે ઘણા સમયથી ખાલી જગ્યાઓ પડેલી જગ્યા ઉપર બદલી કરવામાં આવી છે તેમજ અન્ય તે મહેસુલ પુરવઠા દબાણ સહિતની જગ્યાઓ બે વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા નાયબ મામલેદારોની બદલી જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવી છે ત્યારે દિવાળી પહેલા બદલી કરવામાં આવતા જ નાયબ મામલતારોને દિવાળી પણ બગડી છે.
આગામી દિવસોમાં નાયબ મામલતદારોના પ્રમોશન પણ આવી શકે છે અને રાજકોટ જિલ્લાના છ જેટલા નાયબ મામલતદારને મામલતદારના પ્રમોશન તેવી શક્યતાઓ છે. તે પહેલા કલેકટર દ્વારા નાયબ મામલતદારોની બદલીનો મોટો ઘાણવો કાઢવામાં આવ્યો છે.
કલેકટરો સાથે રેવન્યુ સચિવની રેવ્યૂ બેઠક
રાજકોટ સહિત રાજ્યભરના કલેકટરો સાથે રેવન્યુ સચિવ દ્વારા આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેવન્યુ અને દબાણો અંગે માહિતી મેળવવામાં આવી હતી તેમજ વિવિધ કલેકટરો અને કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી સમયમાં સરકારી જમીનો ખુલ્લી કરવા અંગેની પણ માહિતીઓ કલેકટર પાસેથી રેવન્યુ સચિવએ મેળવી હતી.
-
ક્રાઇમ17 hours ago
ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ
-
રાષ્ટ્રીય15 hours ago
બહુચરાઈ હિંસાના આરોપીઓ આવ્યા સામે,મુખ્ય આરોપી સરફરાઝનું એન્કાઉન્ટર,નેપાળ ભાગી રહ્યા હતા
-
આંતરરાષ્ટ્રીય2 days ago
નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ
-
રાષ્ટ્રીય2 days ago
10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની
-
ગુજરાત2 days ago
મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર
-
ગુજરાત2 days ago
શેઠ હાઇસ્કૂલનું ગ્રાઉન્ડ શરદોત્સવ માટે નહીં મળતા કોંગ્રેસના ધરણાં
-
ગુજરાત2 days ago
શાકભાજીના કચરામાંથી ખાતર બનાવતા પ્લાન્ટની મુલાકાત લેતા મ્યુનિ.કમિશનર દેસાઇ
-
ગુજરાત2 days ago
શહેરમાં લટકતા જોખમી 1270 બોર્ડ-બેનરો ઉતારતી મનપા