Connect with us

ગુજરાત

ગુરુકુળ ખાતે ગુણાતીતાનંદ સ્વામીનો જન્મોત્સવ ભક્તિભાવથી ઉજવાયો

Published

on

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, ઢેબર રોડ રાજકોટ ખાતે શરદપૂર્ણિમાનો ઉત્સવ અને ભગવાન શ્રી સ્વામિનારાયણના દીક્ષિત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો 239મો જન્મોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવેલ. પ્રારંભમા સ્વામિનારાયણ ભગવાનનું મહંત સ્વામીએ તુલસીદલથી જનમંગલ સ્તોત્ર દ્વારા પૂજન કરેલ.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, ત્રંબાના વિદ્યાર્થીઓએ મણીયારો રાસની રમઝટ બોલાવી હતી, બાદમાં ભાયાવદર ગુરુકુલના વિદ્યાર્થીઓએ નવીન ઠેસ રાસ રજૂ કર્યો હતો.આ પ્રસંગે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટના વિદ્યાર્થીઓએ થનગનાટ ભર્યા ઢાલ તલવારના રાસ સાથે તલવારોના વિવિધ દાવો પ્રસ્તુત કરેલ, જેને જોઈને સહુ આશ્ચર્યચકિત થયા હતા.


શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સત્સંગ યુવક મંડળના યુવાનોએ કાઠીયાવાડમાં એક સમયના પ્રખ્યાત વાલેરા વરુ નું રૂૂપક રજૂ કરેલ. વાલેરા વરુને ગુણાતીતાનંદ સ્વામીનો સંગ થવાથી ફક્ત સાત દિવસમાં ગરાસ અપાવેલો અને જેના નામથી પ્રજા થરથરતી હતી એવા આ વાલેરા વરુ પછી સ્વામિનારાયણ ભગવાનના એકાંતિક ભક્ત બને છે, તેની ખુબ જ સરસ નાટક દ્વારા રજૂઆત કરી હતી. કૃષ્ણપ્રિયદાસજી સ્વામીએ તેમના વક્તવ્યમાં જન્મજ્યંતી નિમિતે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના પાવન પ્રસંગો વર્ણવ્યા હતા. ગુરુ મહારાજ દેવકૃષ્ણદાસજી સ્વામી તથા મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામીએ આશીર્વાદ પાઠવ્યા હતાં.


આ તકે ગુરુકુલ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા નૂતન દિવાળી કેલેન્ડરનું વિમોચન સદગુરુ સંતોના હાથે કરવામાં આવ્યું હતું. હરિપ્રિયદાસજી સ્વામીએ એક બુંદ પ્રોજેક્ટ અંગેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પશાસ્ત્રીજી મહારાજે ફક્ત 1 રુપિયામાં બાળકોને ભણાવ્યા હતા. હાલની મોંઘવારીમાં પણ 77 વર્ષ બાદ પણ રાજકોટ ગુરુકુલમાં ફક્ત 1 રુપિયા પ્રતિદિન લવાજમમાં વિદ્યાર્થીઓને ભણતર સાથે સંસ્કારો મેળવી રહ્યાં છે.

આ વિદ્યાદાનનું સદાવ્રત અવિરત ચાલુ રહે અને હજારો જરૂૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને તેનો લાભ મળતો રહે તે હેતુથી ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠન દ્વારા આ કાર્યમાં સહયોગી બનવા માટે પએક બુંદથ પ્રોજેક્ટ શરૂૂ કરવામાં આવેલ છે. જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સમાજ શ્રેષ્ઠીઓ જોડાઈ રહ્યા છે. આ તકે એક બુંદ પ્રોજેક્ટમાં જોડાયેલા હરિભક્તોને નૂતન કેલેન્ડર આપી ગુરુ મહારાજે આશીર્વાદ આપ્યા હતા. શરદપૂર્ણિમા ઉત્સવમાં વિવિધ ગુરુકુલોમાંથી પધારેલા સંતો નારાયણદાસ સ્વામી , કૃષ્ણપ્રિય સ્વામી, રામાનુજ સ્વામી, કૃષ્ણસ્વરૂૂપદાસજી સ્વામી, ગોવિંદ સ્વામી, જ્ઞાનજીવનદાસજી સ્વામી, આનંદપ્રિય સ્વામી વગેરે સંતો યજમાનશ્રીઓ અને હરિભક્તોએ ભગવાન શ્રી સ્વામિનારાયણની ચાર આરતીઓ ઉતારી ધન્યતા અનુભવેલ. અંતમાં ભગવાનને દૂધ પૌવાનો પ્રસાદ ધરાવ્યા બાદ સહુ ભાવિક ભક્તો, વિદ્યાર્થીઓ તેમજ મહિલા ભકતોએ દૂધ પૌઆના પ્રસાદનો આસ્વાદ માણ્યો હતો.

ગુજરાત

કોઈનો દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં, નોટ લખી યુવાનનો આપઘાત

Published

on

By

શહેરના રેલનગરમાં આવાસ ટાઉનશીપમાં રહેતા યુવાને કોઈના દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં તેવી સ્યુસાઈડ નોટ લખી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.


જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં આવેલી ભગીની ટાઉનશીપમાં રહેતા અક્ષય ભીમજીભાઈ સરવૈયા (ઉ.વ.24) નામના યુવાને ગઈકાલે સાંજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં પ્રનગર પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોિસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસને મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે કોઈનો દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં, મારા મોત માટે હું જ જવાબદાર છું તેમ લખેલું હતું.


પ્રાથમિક તપાસમાં મૃતક અક્ષય એક બહેનનો એકનો એક મોટો ભાઈ હતો તે અગાઉ સીટીબસમાં નોકરી કરતો હતો તેના પિતા રીક્ષાચાલક છે. યુવાને આ પગલું શા માટે ભરી લીધું? તે અંગે પરિવારજતો પણ અજાણ હોયપોલીસે આપઘાતનું કારણ જાણ તપાસ હાથ ધરી છે. જ્યારે એકના એકપુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Continue Reading

ગુજરાત

વાગુદડના ધમાલિયા સાધુના આશ્રમ પર બુલડોઝર ફર્યું

Published

on

By

ત્રણ કરોડની 3000 ચો.મી. સરકારી જમીન દબાણમુક્ત કરાવાઇ: લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ તોળાતી કાર્યવાહી

કાલાવડ રોડ પર વાગુદડ ગામમાં મહંતયોગી ધરમનાથ ઉર્ફે જીજ્ઞેશ ધામેલીયા દ્વારા સરકારી ખરાબાની 3000 ચોરસ મીટર જગ્યા ઉપર આશ્રમ બનાવી અને દબાણ કરી કબજો કરવામાં આવ્યો હતો. આ આશ્રમમાંથી તાજેતરમાં જ ગાંજાના છોડવા પણ ઝડપાયા હતા. સરકારી જમીન પર કબજો જમાવતા તંત્ર દ્વારા નોટીસ ફટકારવાામં આવી હતી. નોટીસનો જવાબ નહીં આપતા રાજકોટ કલેકટરના માર્ગદર્શન અને સુચનાથી આજે ત્રણ કરોડની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલ આશ્રમના દબાણ ઉપર બુલડોઝર ફેરવી અને ખુલ્લી કરાવાઇ હતી.


રાજકોટના ભાગોળે આવેલ વાગુદડ ગામે વિવાદિત યોગી ધર્મનાથ સાધુના આશ્રમ આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. રાજકોટ જિલ્લા કલેકટર ની સૂચના મુજબ લોધિકા મામલતદાર તેમજ ફાયરની અને પોલીસને બંદોબસ્ત વચ્ચે યોગી ધર્મનાથ સાધુના આશ્રમ પર બુલડોઝર ફર્યું હતું. વાગુદાળ -વાજડીવડનો સર્વે નંબર 32 પર સરકારી જમીન પર આશ્રમ બનાવી લેવામાં આવ્યો હતો જે આજે તંત્ર દ્વારા 3000 ચો. મી જેટલી જમીન ખુલી કરવામાં આવી હતી આ જમીનની બજારની અંદાજિત કિંમત 3 કરોડ રૂૂપિયા જેટલી આંકવામાં આવી હતી અને આગામી દિવસોમાં ફરી કોઈ દબાણ ન કરે તે માટે જમીનને ફરતે આગામી દિવસોમાં બાઉન્ડ્રી દિવાલ બાંધવામાં આવશે


પરમહંતયોગી ધરમ નાથ ઉર્ફે જીજ્ઞેશ ધામેલીયા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી દબાણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ અનુસંધાને આગામી દિવસોમાં કલેક્ટર તંત્ર દ્વારા સાધુ સામે લેનગ્રેબિંગની ફરિયાદ પણ નોંધાય તેવી શક્યતાઓ છે. આગામી દિવસોમાં મામલતદાર દ્વારા લેનગ્રેબિંગ કમિટીને આ અંગે ભલામણ કર્યા બાદ સરકાર તરફથી ફરિયાદી બને અને મહંત સામે ફરિયાદ નોંધાય તેવી સુત્રોમાં ચર્ચા થઇ રહી છે. કલેકટર તંત્ર જિલ્લામાં રહેલા બે હજારથી વધુ ધાર્મિક દબાણ પર નોટીસો આપવામાં આવી છે. અને ટૂંક સમયમાં જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે

Continue Reading

ગુજરાત

રાજકોટ શહેર-જિલ્લાના 22 નાયબ મામલતદારોની બદલી

Published

on

By

બે વર્ષથી એક જ જગ્યાએ રહેલા નાયબ મામલતદારો બદલ્યા

દિવાળીના હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકોટ જિલ્લા કલેકર પ્રભવ જોશી દ્વારા દિવાળી પહેલા નાયબ મામલતારોને બદલી કરવામાં આવી છે. એક સાથે રાજકોટ શહેર અને ગ્રામ્યના 22 જેટલા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. એક જ જગ્યાએ બે વર્ષથી પણ વધુ સમય રહેલા નાયબ મામલતારોની બદલી કરવામાં આવી છે.


જિલ્લા કલેકટર પ્રભાવ જોશી દ્વારા ગઈકાલે 22 જેટલા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી હતી. મુખ્યત્વે ઘણા સમયથી ખાલી જગ્યાઓ પડેલી જગ્યા ઉપર બદલી કરવામાં આવી છે તેમજ અન્ય તે મહેસુલ પુરવઠા દબાણ સહિતની જગ્યાઓ બે વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા નાયબ મામલેદારોની બદલી જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવી છે ત્યારે દિવાળી પહેલા બદલી કરવામાં આવતા જ નાયબ મામલતારોને દિવાળી પણ બગડી છે.


આગામી દિવસોમાં નાયબ મામલતદારોના પ્રમોશન પણ આવી શકે છે અને રાજકોટ જિલ્લાના છ જેટલા નાયબ મામલતદારને મામલતદારના પ્રમોશન તેવી શક્યતાઓ છે. તે પહેલા કલેકટર દ્વારા નાયબ મામલતદારોની બદલીનો મોટો ઘાણવો કાઢવામાં આવ્યો છે.

કલેકટરો સાથે રેવન્યુ સચિવની રેવ્યૂ બેઠક
રાજકોટ સહિત રાજ્યભરના કલેકટરો સાથે રેવન્યુ સચિવ દ્વારા આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેવન્યુ અને દબાણો અંગે માહિતી મેળવવામાં આવી હતી તેમજ વિવિધ કલેકટરો અને કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી સમયમાં સરકારી જમીનો ખુલ્લી કરવા અંગેની પણ માહિતીઓ કલેકટર પાસેથી રેવન્યુ સચિવએ મેળવી હતી.

Continue Reading
રાષ્ટ્રીય8 hours ago

ફરી રેલ દુર્ઘના..આસામમાં લોકમાન્ય તિલક એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, હેલ્પલાઈન નંબર જાહેર

રાષ્ટ્રીય9 hours ago

ડેન્ગ્યુના દર્દીએ ભૂલથી પણ ન ખાવી આ વસ્તુઓ, વધી જશે તકલીફ અને રિકવરીમાં થશે સમસ્યા

રાષ્ટ્રીય9 hours ago

‘UPમાં એન્કાઉન્ટર નહીં પરંતુ હત્યા થઇ રહી છે…’ બહરાઇચ હિંસા મામલે અખિલેશ યાદવે યોગી સરકાર પર કર્યા આકરા પ્રહારો

Sports9 hours ago

શિખર ધવનનું સુખ અને સફળતાનું સમીકરણ,જાણો કઈ રીતે મેળવી સફળતા

ગુજરાત9 hours ago

કોઈનો દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં, નોટ લખી યુવાનનો આપઘાત

ગુજરાત10 hours ago

વાગુદડના ધમાલિયા સાધુના આશ્રમ પર બુલડોઝર ફર્યું

ગુજરાત10 hours ago

રાજકોટ શહેર-જિલ્લાના 22 નાયબ મામલતદારોની બદલી

રાષ્ટ્રીય10 hours ago

ચિટફંડ કેસમાં EDના સહારા ગ્રૂપની વિવિધ ઓફિસો પર દરોડા

રાષ્ટ્રીય10 hours ago

મથુરામાં વીજથાંભલા સાથે ગાડી ટકરાયા બાદ રિવર્સ લેવા જતા ચાર કચડાઇ મર્યા

રાષ્ટ્રીય10 hours ago

બિહારમાં લઠ્ઠાકાંડ 28ને ભરખી ગયો, 25થી વધુ સારવારમાં, 3ની ધરપકડ

ક્રાઇમ14 hours ago

ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ

રાષ્ટ્રીય11 hours ago

બહુચરાઈ હિંસાના આરોપીઓ આવ્યા સામે,મુખ્ય આરોપી સરફરાઝનું એન્કાઉન્ટર,નેપાળ ભાગી રહ્યા હતા

આંતરરાષ્ટ્રીય1 day ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

રાષ્ટ્રીય1 day ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

ગુજરાત1 day ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

ગુજરાત1 day ago

શેઠ હાઇસ્કૂલનું ગ્રાઉન્ડ શરદોત્સવ માટે નહીં મળતા કોંગ્રેસના ધરણાં

ગુજરાત1 day ago

શાકભાજીના કચરામાંથી ખાતર બનાવતા પ્લાન્ટની મુલાકાત લેતા મ્યુનિ.કમિશનર દેસાઇ

ગુજરાત1 day ago

શહેરમાં લટકતા જોખમી 1270 બોર્ડ-બેનરો ઉતારતી મનપા

ગુજરાત1 day ago

ફાયર વિભાગ માટે 3.54 કરોડના 4 વાહનોનું લોકાર્પણ

ગુજરાત1 day ago

ગોંડલ તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરો

Trending