Connect with us

ક્રાઇમ

ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ

Published

on

ખંભાળિયામાં રહેતા એક મુસ્લિમ પરિવારના સગીર દ્વારા પોતાના ફઈ ઉપર દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ સામે આવ્યો છે.

ખંભાળિયા શહેરના આ ચકચારી બનાવની જાણવા માટે વિગત મુજબ શહેરના એક વિસ્તારમાં રહેતા સગીર વયના કિશોર દ્વારા પોતાના પુખ્ત વયના ફઈબા ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ બનાવને અનુલક્ષીને અહીંના ડી.વાય.એસ.પી. ડો. હાર્દિક પ્રજાપતિ તેમજ પી.આઈ. બી.જે. સરવૈયાની ટીમ દ્વારા ફરિયાદ દાખલ કરવા તેમજ સગીર વયના કિશોરની અટકાયત કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.

ભોગ બનનાર આ મુસ્લિમ યુવતી અસ્થિર મગજની હોવાનું પણ બહાર આવ્યું છે. આ બનાવમાં સગીરના કાકા દ્વારા અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને અનુલક્ષીને પોલીસ દ્વારા સગીર વયના કિશોરની અટકાયત કરી, આ દુષ્કર્મ કેસમાં કપડાં સહિતના અન્ય પુરાવાઓ એકત્ર કરાયા હતા. સાથે સાથે ભોગ બનનાર યુવતીનું પણ મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું.

આજના ડિજિટલ અને મોબાઈલના યુગમાં સગીર વયના કિશોર દ્વારા ફઈ સાથે દુષ્કર્મ કરવાના આ બનાવે સભ્ય સમાજમાં ભારે ચર્ચા જગાવી છે.

ક્રાઇમ

ગુજરાતમાં અસામાજિક તત્તવો બેફામ બન્યા, શામળાજી-મોડાસા હાઇવે પર બસ પર પથ્થરમારો

Published

on

By


શામળાજી મોડાસા હાઇવે પર અસામાજિક તત્વો બેફામ બન્યા છે,મોડી રાત્રે મોટી ઇસસરોલ પાસે ચાલુ વાહનો પર પથ્થરમારો કર્યો હોવાની વાત સામે આવી છે.ખાનગી લકઝરી બસ અને ટ્રક પર પથ્થરમારો કરી અસામાજિક તત્વો ફરાર થઈ ગયા હતા જેમાં ત્રણ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે અને વાહનોના કાચ પણ તૂટયા છે.પોલીસે પથ્થરબાજોની શોધખોળ કરી શરૂૂ.શામળાજી મોડાસા હાઈવે પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો છે,ટ્રક અને ખાનગી લકઝરી બસ રોડ પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન આ પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે,અચાનક પથ્થરમારો થવાથી મુસાફરો પણ ગભરાઈ ગયા હતા,મોટા પથ્થરો હોવાથી કાચ પણ તૂટયા હતા જેને લઈ મુસાફરોને મોઢાના તેમજ હાથના ભાગે ઈજા પહોંચી હતી,ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અને પોલીસે આસપાસના ગામોમાં શોધખોળ શરૂૂ કરી હતી.


સમગ્ર ઘટનામાં પોલીસે અજાણ્યા વ્યકિતઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે,ઘટનાની જાણ થતાની સાથે જ ટીંટોઈ પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ શરૂૂ કરી છે,આસપાસના ગામોમાં અસામાજિક તત્વો હોય તેની પૂછપરછ શરૂૂ કરી છે અને ટૂંક સમયમાં પોલીસ આરોપીઓને ઝડપી લેશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે,પોલીસના રાત્રિના પેટ્રોલિંગ પર પણ સવાલ ઉભા થાય છે,જો પોલીસનું પેટ્રોલિંગ આ રોડ પર હોય તો આવી ઘટના કદાચ થતા અટકી ગઈ હોત.


ઘટનાની જાણ થતાની સાથે જ આસપાસના ગામોમા પોલીસનું પેટ્રોલિંગ રાઉન્ડ ધ કલોક ચાલુ થઈ ગયું છે અને આજ દિન સુધીમાં આરોપીઓ હાથે ઝડપાઈ જાય તેવી કવાયત કરવામાં આવી રહી છે,અરવલ્લી જિલ્લામાં ઘણી વાર આવી ઘટનાઓ બને છે જેમાં અચાનક વાહનચાલકો પર પથ્થરમારો કરવામાં આવે છે,બનાસકાંઠાના દાંતા જિલ્લામાં પણ આવી ઘટના બને છે,ત્યારે મુસાફરો તમે પણ આ રોડ પર નિકળો તો તમારે પણ ધ્યાન રાખવું જરૂૂરી છે નહીતર તમારે પણ આ પથ્થરોનો સામનો કરવો પડશે.

Continue Reading

ક્રાઇમ

ભુવા ફૂડ એન્ડ બેવરેજીસના ડાયરેક્ટરને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની જેલ

Published

on

By

ગોંડલની પ્યોર પેટ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી ખરીદ કરવામાં આવેલી પ્લાસ્ટિકની વસ્તુ ની ચુકવણી પેટે આપેલા 6.77 લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં ભુવા ફૂડ એડ બેવરેજિસના ના ડાયરેક્ટરને એક વર્ષની સજા અને વળતર ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે.


વધુ વિગત મુજબ ગોંડલ સ્થિત પ્યોર પેટ ઇડસ્ટ્રીઝ પાસેથી પભૂવા ફૂડ એંડ બેવરેજીસ ઓ. પી. સી. પ્રા. લી. એ પેટ પ્રીકોમસ્ત્રસ્ત્ર નામનું પ્લાસ્ટિકની ખરીદી કરી હતી. રૂૂપિયા ચૂકવવા માટે કંપનીના ડાયરેક્ટર પ્રકાશભાઈ ડી. ભૂવા એ રૂૂા. 6,77,205 નો ચેક લખી આપેલો. જે ચેક ફરિયાદી બેન્ક માં જમા કરાવતાં નસ્ત્રવસૂલાત વગર પરત કરેલ. જેમાં કાયદાની જોગવાઈ મુજબ ડિમાંડ નોટિસ આરોપીને બજવવામાં આવેલી હતી. જે નોટિસ આરોપી ને મળી જવા છતાં આરોપી દ્વારા યેક મુજબની રકમ ફરિયાદીને ન ચૂકવતાં અંતે અદાલત સમક્ષ કેસ દાખલ કરવામાં આવેલો હતો.અદાલત દ્વારા કાયદા મુજબ ના સિદ્ધાંત અને ફરિયાદીના વકીલ અભિષેક એન. શુક્લા અને જય ડી. બરદાના દ્વારા કરેલ દલીલ અને ઉચ્ચ ન્યાયાલય ના ચુકાદાને ધ્યાને રાખી ને આરોપી કંપની પભૂવા ફૂડ એડ બેવરેજીસ ઓ. પી. સી. પ્રા. લી. ના ડાયરેક્ટર પ્રકાશભાઈ ડી. ભૂવા ને વર્ષ ની કેદ ની સજા અને રૂૂા. 6,77,205 વળતર ચૂકવવાનો હુકમ ફરમાવેલો છે. વળતર ચૂકવવા માં કસૂર ઠરે તો વધુ 6 માસની કેદ ની સજા નો હુકમ અદાલત દ્વારા કરવામાં આવેલો છે.


આ કામના ફરિયાદી-પ્યોર પેટ ઇંડસ્ટ્રીઝ વતી શુક્લા લીગલ સર્વિસીસની સિનિયર એડવોકેટ નલીનકુમાર કે. શુક્લા, અભિષેક એન. શુકલા, ભરત ટી. ઉપાધ્યાય. જય એન શુક્લા, જય ડી. બરદાના, અજય કે, પરમાર, દર્શિત સી. પાટડિયા, ભાગવી એમ. પંડયા, મિતલ આર. ખખ્ખર, અજય એન. રાઠોડ, વિશ્વરાજસિંહ કે. ગોહિલ, અવનિ એસ. બાપત્ત અને સહાયક તરીકે ભુવન કે. ડાંગર તથા નિકેત એસ. જોષી રોકાયા હતા.

Continue Reading

ક્રાઇમ

આટકોટ કન્યા છાત્રાલયની છાત્રાના દુષ્કર્મનો મામલો હાઇકોર્ટમાં: આરોપી રાદડિયાના જામીન રદ કરવા અરજી

Published

on

By


જસદણ તાલુકાના આટકોટ ગામે આવેલ ડી.બી. પટેલ ક્ધયા છાત્રાલયમાં અભ્યાસ પૂર્ણ કરી રેકટર તરીકે નોકરી કરતી યુવતીએ મધુકાન્ત ટાઢાણી તથા વિરનગર ગામે રહેતા છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડીયા વિરૂૂધ્ધ આટકોટ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધવતા આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. આરોપીને જેલહવાલે રહેલા આરોપી પરેશ રાદડીયાએ સૌરાષ્ટ્રના ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી મારફત રાજકોટની સેશન્સ અદાલતમાં જામીન પર મુકત થવા જામીન અરજી કરી હતી. જે જામીન અરજી સુનાવણી અર્થે આવતા મુખ્યત્વે એવી રજુઆત કરેલ કે, પિડીતા પોતે ભણેલ-ગણેલ અને પોતાનું સારૂૂં નરસું સમજવા સક્ષમ છે, તેમજ કહેવાતો બનાવ બન્યાના એક વર્ષ બાદ ફરીયાદની હકીકત જાહેર કરેલ છે અને ફરીયાદીએ આ બનાવની જાણ આજદિન સુધી હોસ્ટેલ, કોલેજ કે સ્કુલના કોઈ પણ વ્યક્તિને જાણ કરેલ નથી તથા તેમના પરીવારને પણ આજદિન સુધી આવી કોઈ જાણ કરેલ ન હોય તેમજ હાલની ફરીયાદ રાજકીય રાગદ્વેશના કારણે ઉભી કરવામાં આવેલ હોય, હાલની ફરીયાદ થતા અગાઉ આટકોટ ક્ધયા છાત્રાલયના ટ્રસ્ટી ઉપર 20 થી 25 લોકોએ છાત્રાલયમાં ગેરકાયદેસર ધુસી જઈ મારામારી તથા લુંટ ચલાવેલ હોવાની ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી. જે ફરીયાદનો ખાર રાખી વેર લેવા અને રાજકીય વિરોધીઓને અને ટ્રસ્ટીઓને ખોટા કેસમાં ફસાવી દેવા હાલનની ફરીયાદ ઉભી કરી આરોપીને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવેલ છે.

આરોપી કયારેય ભોગ બનનારને મળેલ નથી તેમજ આરોપીએ પોતાની સત્યતા સાબીત કરવા માટે કોર્ટ સમક્ષ લાઈ ડીટેકશન ટેસ્ટ તથા નાર્કો ટેસ્ટ કરવા તૈયારી બતાવેલ છે, જે હકીકતો ધ્યાને લેવામાં આવે તો પરેશ રાદડીયા વિરૂૂધ્ધ ગુન્હાના પ્રાથમિક તત્વો આકર્ષાતા નથી જેથી જામીન મુકત કરવા ભારપૂર્વક રજુઆતો કરેલ હતી. કોર્ટે આરોપી આરોપી પરેશ રાદડીયાને જામીન મુક્ત કરતા ફરિયાદી પીડિતાના વકીલ દ્વારા ટ્રાયલ કોર્ટના હુકમને હાઇકોર્ટમાં પડકારી જામીન અરજી રદ કરવા અરજી કરી છે. જે અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે ટ્રાયલ કોર્ટે દુષ્કર્મના આવા અતિસંવેદનશીલ કેસમાં આરોપી પરેશ રાદડિયાને માત્ર પંદર જ દિવસમાં જામીન આપી દીધા છે. ટ્રાયલ કોર્ટ દ્વારા સુપ્રીમકોર્ટ દ્વારા જારી સંબંધિત ચુકાદા અને માર્ગદર્શિકાને અવગણવામાં આવ્યા છે. ખાસ કરીને આરોપીને જામીન આપતાં પહેલા પીડિતાનો પક્ષ ટ્રાયલ કોર્ટ દ્વારા સાંભળવામાં જ આવ્યો નથી. પીડિતા તરફથી ટ્રાયલ કોર્ટમાં આરોપીની જામીન અરજીની સુનાવણીમાં વિરોધ કરવા હેતુસર પક્ષકાર તરીકે જોડાવા અરજી પણ કરી હતી પરંતુ તેણીને સાભળ્યા વિના જ ટ્રાયલ કોર્ટે આરોપીને જામીન આપી દીધા હતા. ટ્રાયલ કોર્ટનો હુકમ સુપ્રીમકોર્ટના પ્રસ્થાપિત સિધ્ધાંતોની વિરૃધ્ધનો હોઈ તેને રદબાતલ ઠરાવવો જોઈએ અને આરોપી પરેશ રાદડિયાના જામીન રદ કરવા જોઇએ.

Continue Reading
ગુજરાત19 mins ago

કોઈનો દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં, નોટ લખી યુવાનનો આપઘાત

ગુજરાત24 mins ago

વાગુદડના ધમાલિયા સાધુના આશ્રમ પર બુલડોઝર ફર્યું

ગુજરાત28 mins ago

રાજકોટ શહેર-જિલ્લાના 22 નાયબ મામલતદારોની બદલી

રાષ્ટ્રીય33 mins ago

ચિટફંડ કેસમાં EDના સહારા ગ્રૂપની વિવિધ ઓફિસો પર દરોડા

રાષ્ટ્રીય36 mins ago

મથુરામાં વીજથાંભલા સાથે ગાડી ટકરાયા બાદ રિવર્સ લેવા જતા ચાર કચડાઇ મર્યા

રાષ્ટ્રીય40 mins ago

બિહારમાં લઠ્ઠાકાંડ 28ને ભરખી ગયો, 25થી વધુ સારવારમાં, 3ની ધરપકડ

ગુજરાત40 mins ago

સાયબર ક્રાઇમના છેતરપિંડીના ગુનામાં નાસતો-ફરતો શખ્સ રાજસ્થાનથી ઝડપાયો

ગુજરાત42 mins ago

યાર્ડમાં જણસીઓના ઢગલા: આવક બંધ કરાઈ

ગુજરાત45 mins ago

ભ્રષ્ટ અધિકારી વિરુદ્ધ 99789 42501 પર ફરિયાદ કરો: ACB

ગુજરાત45 mins ago

શહેરમાંથી વધુ 578 બોર્ડ-બેનર ઉતારી 50 રેંકડી કરી જપ્ત

ક્રાઇમ5 hours ago

ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ

રાષ્ટ્રીય24 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

આંતરરાષ્ટ્રીય1 day ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

ગુજરાત1 day ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

ગુજરાત1 day ago

શાકભાજીના કચરામાંથી ખાતર બનાવતા પ્લાન્ટની મુલાકાત લેતા મ્યુનિ.કમિશનર દેસાઇ

ગુજરાત1 day ago

શેઠ હાઇસ્કૂલનું ગ્રાઉન્ડ શરદોત્સવ માટે નહીં મળતા કોંગ્રેસના ધરણાં

ગુજરાત1 day ago

શહેરમાં લટકતા જોખમી 1270 બોર્ડ-બેનરો ઉતારતી મનપા

રાષ્ટ્રીય2 hours ago

બહુચરાઈ હિંસાના આરોપીઓ આવ્યા સામે,મુખ્ય આરોપી સરફરાઝનું એન્કાઉન્ટર,નેપાળ ભાગી રહ્યા હતા

ગુજરાત1 day ago

ગોંડલ તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરો

ગુજરાત1 day ago

ફાયર વિભાગ માટે 3.54 કરોડના 4 વાહનોનું લોકાર્પણ

Trending