ગુજરાત
ખંભાળિયામાં ઝેરી ટીકડા ખાઈ આપઘાત
ખંભાળિયામાં આવેલી કણઝાર હોટલ પાસે રહેતા પ્રકાશભાઈ ધીરજલાલ જાદવાણી નામના 40 વર્ષના યુવાને ગત તારીખ 16 ના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવાના ટીકડા પી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ કિશોરભાઈ ધીરજલાલ જાદવાણી (ઉ.વ. 50, રહે. જામપર) એ અહીંની પોલીસને કરી છે.
બાઈક સ્લીપ
ઓખા મંડળના મીઠાપુર નજીક આવેલા મૂળવેલ તથા મૂળવાસર ગામ વચ્ચે જી.જે. 37 એલ 3696 નંબરના મોટા સાયકલ લઈને જઈ રહેલા રઘુકુમાર નરેશ પ્રસાદ કુસવાહા (મૂળ રહે. બિહાર, હાલ સુરત) એ પોતાનું મોટરસાયકલ પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા આ મોટરસાયકલ સ્લીપ થઈ જવા પામ્યું હતું. જેના કારણે બાઇકની પાછળ બેઠેલા તેમના મિત્ર હરીસંગભા નાગશીભા કેરને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત બાદ આરોપી રઘુકુમાર તેનું મોટરસાયકલ લઇને નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે મૃતક હરીસંગભાના પિતા નાગશીભા કાયાભા કેર (ઉ.વ. 64, રહે. હાલ જામનગર, મૂળ રહે. ગોરીંજા – દ્વારકા)ની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે આરોપી બાઈક ચાલક રઘુકુમાર નરેશ પ્રસાદ સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.પી. રાજપુત દ્વારા હાથ ધરવામાં આવી છે.
ગુજરાત
ટ્રાફિક માટે સમસ્યારૂપ બનેલા સર્કલો તોડવાનું શરૂ
કોટેચા ચોક અને રૈયા ટેલિ. એક્સચેન્જના સર્કલ તોડી નાના કરાયા
ગ્રીનલેન્ડ ચોકડી, ભક્તિનગર, સોરઠિયાવાડી, જિલ્લા પંચાયત ચોક સહિત અન્ય સાત સર્કલો પણ તોડાશે
રાજકોટ શહેરમાં વકરી રહેલી ટ્રાફિક સમસ્યામાં રસ્તાઓ ઉપર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા ટ્રાફિક સર્કલો પણ જવાબદાર હોવાનો રિપોર્ટ આવતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી રસ્તા દબાવીને બનાવવામાં આવેલા મોટા સર્કલો તોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. અને આજે કાલાવડ રોડ ઉપરના કોટેચા સર્કલ ઉપરાંત 150 ફૂટ રીંગ રોડ પર આવેલા રૈયા ટેલીફોન એક્સચેન્જ સર્કલ તોડીને રસ્તા ખુલ્લા કરાયા હતાં અને આ સર્કલો નાના કરી ટ્રાફિક સમસ્યા હળવી કરવા કોર્પોરેશન દ્વારા પ્રયાસો શરૂ કરાયા છે.
આ સિવાય શહેરના અન્ય સાત સર્કલો પણ તોડી નાના કરવામાં આવનાર છે. જેમાં ગ્રિનલેન્ડ ચોકડી, ભક્તિનગર સર્કલ, આજીડેમ સર્કલ, સોરઠિયાવાડી સર્કલ, ચૂનારાવાડ ચોક સર્કલ, જિલ્લા પંચાયત ચોક સર્કલ અને આજી વસાહતમાં આવેલા અમૃલ સર્કલનો સમાવેશ થાય છે. આ સર્કલો પણ આગામી દિવસોમાં તોડીને નાના કરવામાં આવનાર છે.
મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યું હતુ ંકે, શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત પ્રયાસો ચાલી રહ્યા છે. તેના ભાગરૂપે શહેરના મુખ્યમાર્ગો ઉપર આવેલા મોટા સર્કલો તોડી નાના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખાસ કરીને શહેરના 9 જેટલા સર્કલો અગ્રતાના ધોરણે નાના કરવા પોલીસ દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી. જેના પગલે આજે કોટેચા ચોક સર્કલ અને રૈયા ટેલિફોન એક્સચેન્જ સર્કલ તોડી તેને રિડિઝાઈન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
જ્યારે આગામી દિવસોમાં અન્ય સાત સર્કલો પણ તોડી પાડી રિડિઝાઈન કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, દર મહિને રાજકોટ મહાનગરપાલિકાના ઈજનેરો અને ટ્રાફિક પોલીસના અધિકારીઓ વચ્ચે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે બેઠક મળે છે. આ બેઠકમાં શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા અંગે ચર્ચા કરી જરૂરી આયોજનો કરવામાં આવે છે. જેના ભાગરૂપે 9 જેટલા સર્કલો અગ્રતાના ધોરણે તોડવા નિર્ણય લેવામાં આવ્યો છે.
ક્રાઇમ
રાજ્યભરમાં EDના દરોડા, એકસાથે 23 સ્થળોએ સર્ચ ઓપરેશન, કરોડા રૂપિયાની ટેક્સ ચોરીના પાડયા દરોડા
રાજ્યમાં દિવાળી પહેલાં જ EDએ 23થી વધુ જગ્યાઓ પર દરોડા પાડયા છે. બનાવતી કંપનીના મામલામાં હવે EDએ એન્ટ્રી કરી છે. અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, વેરાવળ ,રાજકોટ સુરત, કોડીનારમાં દરોડા પાડવામાં આવ્યા છે. EDએ નવેસરથી ફરિયાદ દાખલ કરી દરોડાનું ઓપરેશન હાથ ધર્યું છે. CGSTના કૌભાંડ અંગે રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર રાજ્યમાં અમદાવદ, જુનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત કોડીનાર સહીત ૭ શહેરોના ૨૩ થી વધુ જગ્યાઓ પર ઇડીએ દરોડા પડ્યા હતા. 200થી વધુ નકલી કંપનીઓ ખોલીને કરોડોની ટેક્સ ચોરીના કેસમાં અમદાવાદ પોલીસ બાદ કેન્દ્રીય એજન્સી ત્રાટકી છે, આ કેસમાં અગાઉ ૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
કરોડો રૂપિયાના GST કૌભાંડ મામલે અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 5 આરોપીઓની ધરપકડ કરી છે. બોગસ કંપની બનાવીને બોગસ બિલિંગ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. અગાઉ અબ્દુલ હાફિઝ, અબ્દુલ કાદરી, એઝાઝ માલદાર, ધ્રુવીના સંચાલક દેવરાણી સહિત પાંચની ધરપકડ કરી હતી.
ક્રાઇમ
ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ
ખંભાળિયામાં રહેતા એક મુસ્લિમ પરિવારના સગીર દ્વારા પોતાના ફઈ ઉપર દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ સામે આવ્યો છે.
ખંભાળિયા શહેરના આ ચકચારી બનાવની જાણવા માટે વિગત મુજબ શહેરના એક વિસ્તારમાં રહેતા સગીર વયના કિશોર દ્વારા પોતાના પુખ્ત વયના ફઈબા ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ બનાવને અનુલક્ષીને અહીંના ડી.વાય.એસ.પી. ડો. હાર્દિક પ્રજાપતિ તેમજ પી.આઈ. બી.જે. સરવૈયાની ટીમ દ્વારા ફરિયાદ દાખલ કરવા તેમજ સગીર વયના કિશોરની અટકાયત કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.
ભોગ બનનાર આ મુસ્લિમ યુવતી અસ્થિર મગજની હોવાનું પણ બહાર આવ્યું છે. આ બનાવમાં સગીરના કાકા દ્વારા અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને અનુલક્ષીને પોલીસ દ્વારા સગીર વયના કિશોરની અટકાયત કરી, આ દુષ્કર્મ કેસમાં કપડાં સહિતના અન્ય પુરાવાઓ એકત્ર કરાયા હતા. સાથે સાથે ભોગ બનનાર યુવતીનું પણ મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું.
આજના ડિજિટલ અને મોબાઈલના યુગમાં સગીર વયના કિશોર દ્વારા ફઈ સાથે દુષ્કર્મ કરવાના આ બનાવે સભ્ય સમાજમાં ભારે ચર્ચા જગાવી છે.
-
આંતરરાષ્ટ્રીય2 days ago
SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા
-
ક્રાઇમ2 days ago
ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો
-
રાષ્ટ્રીય22 hours ago
10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની
-
આંતરરાષ્ટ્રીય22 hours ago
નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા
-
ગુજરાત2 days ago
પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ
-
ગુજરાત2 days ago
આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત