ગુજરાત
રાજકોટમાં માર્ચ-2025માં આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન
આફ્રિકા અને સાઉથ ઇસ્ટ એશિયાના 30 જેટલા દેશોમાંથી 200 કરતા વધુ ડેલિગેટસ આવવાની ધારણા
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આગામી તારીખ 11 થી 13 માર્ચ 2025 દરમ્યાન એન.એસ.આઈ.સી ગ્રાઉન્ડ, 80 ફૂટ નો રોડ, અમુલ સર્કલ ખાતે એસ.વી.યુ.એમ. 2025 આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું ભવ્ય આયોજન સતત 11 મી વખત થવા જઈ રહ્યું છે. આ વેપાર મેળામાં સ્થાનિક અને રાજ્ય/રાષ્ટ્રીય કક્ષા એથી લગભગ 20 થી 25 હજાર મુલાકાતીઓ મુલાકાત લેશે. 30 કરતા વધુ દેશો માંથી 200 કરતા વધુ વિદેશી ગ્રાહકો પણ ભાગ લ્યે તેવી સંભાવના છે.પ્રદર્શનમાં પ્રવેશ વિના મુલ્યે રહેશે પરંતુ પ્રવેશ માટે બિઝનેસ કાર્ડ સાથે હોવું જરૂૂરી રહેશે. પ્રદર્શન નો સમય સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. એસ.વી.યુ.એમ. 2025 આંતરરાષ્ટ્રીય વેપાર મેળો એક માત્ર સફળ અને પરિણામ દાયક છે જેમાં આજ સુધીમાં 60 જેટલા દેશોમાંથી 1200 કરતા વધુ વિદેશી ગ્રાહકો આવી ચુક્યા છે અને હજારો કરોડનો નિકાસ વેપાર પણ થયો છે.
એસ.વી.યુ.એમ 2025 આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં વિદેશના દેશો જેમ કે ધાના, સુદાન, બુર્કિનાફાસો, ટોગો, તાન્ઝાનિયા, ઝામ્બિયા, ઝિમ્બાબ્વે, યુગાન્ડા, કેન્યા, સેનેગલ, કોંગો, ગેબોન, બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, શ્રીલંકા, સહીત ના 30 કરતા વધુ દેશોમાંથી 200 કરતા વધુ ડેલિગેટ્સ/બિઝનેસમેન મુલાકાત લેશે. તેઓ ડદિવસ રાજકોટ રોકાશે અને વિવિધ ફેક્ટરીઓની મુલાકાત પણ લેશે.પ્રદર્શન અંગેની માહિતી મળતા જ 28 દેશોમાંથી 107 વિદેશી ડેલિગેટ્સ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવા માં આવ્યું છે અને 15 કંપનીઓએ પોતાના સ્ટોલ બુક કરાવી લીધેલ છે. તમામ માહિતી પ્રદર્શનની વેબસાઈટ તદીળતવજ્ઞૂ.ભજ્ઞળ ઉપર રોજેરોજ અપડેટ કરવામાં આવી રહેલ છે.આ પ્રદર્શન માં સ્થાનિક 160 થી વધુ કંપનીઓ ભાગ લઇ શકે અને વિદેશી કંપનીઓ સાથે પોતાના બિઝનેસ ગોઠવી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે.
સંસ્થા દ્વારા નિકાસ વેપાર વૃદ્ધિના લાભ નાનામાં નાના ઉદ્યોગોને મળે તે માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ખુબજ ઓછા અથવા નજીવા ખર્ચે આંતરરાષ્ટ્રીય વેપાર વૃદ્ધિની તક એક માત્ર એસ.વી.યુ.એમ 2025 આંતરરાષ્ટ્રીય વેપાર મેળા દ્વારા મળી રહી છે.આ વર્ષે એસ.વી.યુ.એમ 2025 આંતરરાષ્ટ્રીય વેપાર મેળા માં ભાગ લેનાર એકમોને ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એમડીએ સબસીડીની સ્કીમ મુજબ લગભગ નજીવા મુલ્યે કહી શકાય તે રીતે સ્ટોલ આપવામાં આવશે. એકમોને ફક્ત સબસીડી મંજુર થાય ત્યાં સુધી સ્ટોલની રકમનું રોકાણ કરવાનું રહેશે.
દેશી મેળો અને વિદેશી વેપાર, સૌરાષ્ટ્ર કચ્છ માં હટાણું કરવા આવશે વિદેશી ગ્રાહકો નો સિદ્ધાંત 100 ટકા યથાર્થ સાબિત થઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ ની સમગ્ર ટિમ સૌરાષ્ટ્ર કચ્છ ના ઉત્પાદકો, અને નિકાસકારોને આ એસ.વી.યુ.એમ 2025 આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં ભાગ લેવા અને મુલાકાત લેવા ભાવભર્યું જાહેર આમંત્રણ આપે છે. શોને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પરાગ તેજૂરા, ઉપપ્રમુખો મહેશ નગદીયા તથા પ્રભુદશભાઈ તન્ના, મંત્રી ભુપતભાઇ છાટબાર, ટ્રસ્ટી પદુભાઇ રાયચુરા, રાજુભાઈ સંઘવી તથા સુરેશ તન્ના જહેમત ઉઠાવી રહ્યા છે.
સંસ્થા દ્વારા પ્રતિષ્ઠિત વ્યાપારીઓ અને ઉદ્યોગકારોની કમિટીની રચના કરવામાં આવી જેમાં ચેરમેન તરીકે વિશાલ ગોહેલ તથા સભ્યો તરીકે કેતન વેકરીયા, મોક્તિક ત્રિવેદી, મયુર ખોખર, દીવેન પડિયા, નિશ્ચલ સંઘવી, જીગ્નેશ સોઢા, અંકુર સૂચક, દિનેશભાઇ વસાણી, હેમાંગ સોલંકી, અંકુર દવે, ખુશી હરસોરા, જયેશ દવે, હર્ષ ખોલીયાની નિમણૂંક કરવામાં આવેલ છે જેઓ વેપાર મેળા ની સફળતા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.
ગુજરાત
કોઈનો દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં, નોટ લખી યુવાનનો આપઘાત
શહેરના રેલનગરમાં આવાસ ટાઉનશીપમાં રહેતા યુવાને કોઈના દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં તેવી સ્યુસાઈડ નોટ લખી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં આવેલી ભગીની ટાઉનશીપમાં રહેતા અક્ષય ભીમજીભાઈ સરવૈયા (ઉ.વ.24) નામના યુવાને ગઈકાલે સાંજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં પ્રનગર પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોિસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસને મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે કોઈનો દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં, મારા મોત માટે હું જ જવાબદાર છું તેમ લખેલું હતું.
પ્રાથમિક તપાસમાં મૃતક અક્ષય એક બહેનનો એકનો એક મોટો ભાઈ હતો તે અગાઉ સીટીબસમાં નોકરી કરતો હતો તેના પિતા રીક્ષાચાલક છે. યુવાને આ પગલું શા માટે ભરી લીધું? તે અંગે પરિવારજતો પણ અજાણ હોયપોલીસે આપઘાતનું કારણ જાણ તપાસ હાથ ધરી છે. જ્યારે એકના એકપુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
ગુજરાત
વાગુદડના ધમાલિયા સાધુના આશ્રમ પર બુલડોઝર ફર્યું
ત્રણ કરોડની 3000 ચો.મી. સરકારી જમીન દબાણમુક્ત કરાવાઇ: લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ તોળાતી કાર્યવાહી
કાલાવડ રોડ પર વાગુદડ ગામમાં મહંતયોગી ધરમનાથ ઉર્ફે જીજ્ઞેશ ધામેલીયા દ્વારા સરકારી ખરાબાની 3000 ચોરસ મીટર જગ્યા ઉપર આશ્રમ બનાવી અને દબાણ કરી કબજો કરવામાં આવ્યો હતો. આ આશ્રમમાંથી તાજેતરમાં જ ગાંજાના છોડવા પણ ઝડપાયા હતા. સરકારી જમીન પર કબજો જમાવતા તંત્ર દ્વારા નોટીસ ફટકારવાામં આવી હતી. નોટીસનો જવાબ નહીં આપતા રાજકોટ કલેકટરના માર્ગદર્શન અને સુચનાથી આજે ત્રણ કરોડની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલ આશ્રમના દબાણ ઉપર બુલડોઝર ફેરવી અને ખુલ્લી કરાવાઇ હતી.
રાજકોટના ભાગોળે આવેલ વાગુદડ ગામે વિવાદિત યોગી ધર્મનાથ સાધુના આશ્રમ આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. રાજકોટ જિલ્લા કલેકટર ની સૂચના મુજબ લોધિકા મામલતદાર તેમજ ફાયરની અને પોલીસને બંદોબસ્ત વચ્ચે યોગી ધર્મનાથ સાધુના આશ્રમ પર બુલડોઝર ફર્યું હતું. વાગુદાળ -વાજડીવડનો સર્વે નંબર 32 પર સરકારી જમીન પર આશ્રમ બનાવી લેવામાં આવ્યો હતો જે આજે તંત્ર દ્વારા 3000 ચો. મી જેટલી જમીન ખુલી કરવામાં આવી હતી આ જમીનની બજારની અંદાજિત કિંમત 3 કરોડ રૂૂપિયા જેટલી આંકવામાં આવી હતી અને આગામી દિવસોમાં ફરી કોઈ દબાણ ન કરે તે માટે જમીનને ફરતે આગામી દિવસોમાં બાઉન્ડ્રી દિવાલ બાંધવામાં આવશે
પરમહંતયોગી ધરમ નાથ ઉર્ફે જીજ્ઞેશ ધામેલીયા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી દબાણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ અનુસંધાને આગામી દિવસોમાં કલેક્ટર તંત્ર દ્વારા સાધુ સામે લેનગ્રેબિંગની ફરિયાદ પણ નોંધાય તેવી શક્યતાઓ છે. આગામી દિવસોમાં મામલતદાર દ્વારા લેનગ્રેબિંગ કમિટીને આ અંગે ભલામણ કર્યા બાદ સરકાર તરફથી ફરિયાદી બને અને મહંત સામે ફરિયાદ નોંધાય તેવી સુત્રોમાં ચર્ચા થઇ રહી છે. કલેકટર તંત્ર જિલ્લામાં રહેલા બે હજારથી વધુ ધાર્મિક દબાણ પર નોટીસો આપવામાં આવી છે. અને ટૂંક સમયમાં જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે
ગુજરાત
રાજકોટ શહેર-જિલ્લાના 22 નાયબ મામલતદારોની બદલી
બે વર્ષથી એક જ જગ્યાએ રહેલા નાયબ મામલતદારો બદલ્યા
દિવાળીના હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકોટ જિલ્લા કલેકર પ્રભવ જોશી દ્વારા દિવાળી પહેલા નાયબ મામલતારોને બદલી કરવામાં આવી છે. એક સાથે રાજકોટ શહેર અને ગ્રામ્યના 22 જેટલા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. એક જ જગ્યાએ બે વર્ષથી પણ વધુ સમય રહેલા નાયબ મામલતારોની બદલી કરવામાં આવી છે.
જિલ્લા કલેકટર પ્રભાવ જોશી દ્વારા ગઈકાલે 22 જેટલા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી હતી. મુખ્યત્વે ઘણા સમયથી ખાલી જગ્યાઓ પડેલી જગ્યા ઉપર બદલી કરવામાં આવી છે તેમજ અન્ય તે મહેસુલ પુરવઠા દબાણ સહિતની જગ્યાઓ બે વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા નાયબ મામલેદારોની બદલી જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવી છે ત્યારે દિવાળી પહેલા બદલી કરવામાં આવતા જ નાયબ મામલતારોને દિવાળી પણ બગડી છે.
આગામી દિવસોમાં નાયબ મામલતદારોના પ્રમોશન પણ આવી શકે છે અને રાજકોટ જિલ્લાના છ જેટલા નાયબ મામલતદારને મામલતદારના પ્રમોશન તેવી શક્યતાઓ છે. તે પહેલા કલેકટર દ્વારા નાયબ મામલતદારોની બદલીનો મોટો ઘાણવો કાઢવામાં આવ્યો છે.
કલેકટરો સાથે રેવન્યુ સચિવની રેવ્યૂ બેઠક
રાજકોટ સહિત રાજ્યભરના કલેકટરો સાથે રેવન્યુ સચિવ દ્વારા આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેવન્યુ અને દબાણો અંગે માહિતી મેળવવામાં આવી હતી તેમજ વિવિધ કલેકટરો અને કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી સમયમાં સરકારી જમીનો ખુલ્લી કરવા અંગેની પણ માહિતીઓ કલેકટર પાસેથી રેવન્યુ સચિવએ મેળવી હતી.
-
ક્રાઇમ14 hours ago
ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ
-
રાષ્ટ્રીય12 hours ago
બહુચરાઈ હિંસાના આરોપીઓ આવ્યા સામે,મુખ્ય આરોપી સરફરાઝનું એન્કાઉન્ટર,નેપાળ ભાગી રહ્યા હતા
-
આંતરરાષ્ટ્રીય1 day ago
નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ
-
રાષ્ટ્રીય1 day ago
10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની
-
ગુજરાત1 day ago
મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર
-
ગુજરાત1 day ago
શેઠ હાઇસ્કૂલનું ગ્રાઉન્ડ શરદોત્સવ માટે નહીં મળતા કોંગ્રેસના ધરણાં
-
ગુજરાત1 day ago
શાકભાજીના કચરામાંથી ખાતર બનાવતા પ્લાન્ટની મુલાકાત લેતા મ્યુનિ.કમિશનર દેસાઇ
-
ગુજરાત1 day ago
શહેરમાં લટકતા જોખમી 1270 બોર્ડ-બેનરો ઉતારતી મનપા