ગુજરાત
રાજકોટમાં 20 કરોડના ખર્ચે બનેલ ‘ઉમાભવન’નું લોકાર્પણ
ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસરના કાર્યાલયનો પણ પ્રારંભ: સિદસર ખાતે ડિસેમ્બર-2024માં ઉજવાશે સેવા શતાબ્દી મહોત્સવ
કડવા પાટીદાર આસ્થાનું કેન્દ્ર ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્રારા થતા સામાજીક સેવાકીય પ્રવૃતિઓ માટે રાજકોટ ખાતે રૂૂા. 20 કરોડના ખર્ચે નિર્માણાધીન ‘ઉમા ભવન’ નું તા. 13 ઓકટોબર દશેરાના દિવસે મુખ્યદાતા જીવનભાઈ ગોવાણીના હસ્તે લોકાર્પણ થયું હતું.
આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાએ સમાજ વ્યવસ્થાઓ તથા પાટીદાર સંસ્થાઓની ભૂમીકા અંગે વકતવ્ય આપ્યું હતું. ઉમિયા માતાજી મંદિર સિદસરના રાજકોટ કાર્યાલય તરીકે આધુનીક સુવિધા સભર રૂૂા. 20 કરોડના ખર્ચે નિર્માણાધીન ‘ઉમા ભવન’ નું લોકાર્પણ તથા દાતા સન્માન કાર્યક્રમમાં મુખ્ય દાતા જેઠીબેન ગોરધનભાઈ ગોવાણી પરિવારના જીવનભાઈ ગોવાણી તથા દિપકભાઈ ગોવાણી, પ્રાર્થનાહોલના દાતા લાભુબેન ડાયાભાઈ ઉકાણી પરિવારના સોનલબેન તથા મૌલેશભાઈ ઉકાણી, વહીવટી કાર્યાલયના દાતા મગનલાલ મોહનભાઈ ફળદુ (ટોટાવાળા) પરિવાર, શૈક્ષણિક પ્રવૃત્તિ ફલોરના ઓરપેટ ઓમની ઉચ્ચ શિક્ષણ સહાયક ટ્રસ્ટ-રાજકોટ, ઉતારા ફલોરના દાતા ધનજીભાઈ આણંદજીભાઇ માકાસણા (પૂર્વ ધારાસભ્ય), પ્રાર્થના હોલ વિંગ-5 દાતા સનહાર્ટ ગ્રુપ, મીટીંગ હોલના દાતા સ્વ ઠાકશીભાઇ નરશીભાઈ ધમસાણીયા પરિવાર, ટ્રસ્ટ ઓફિસના દાતા ફાલ્કન ગ્રુપના જગદીશભાઈ કોટડીયા, લીફટના દાતા ભૂપતભાઈ ભાયાણી પરિવારનું સન્માન કરવામાં આવ્યુ હતુ. આગામી ડીસેમ્બરમાં યોજાનારા શ્રી સવા શતાબ્દી મહોત્સવ પૂર્વ રાજકોટ ખાતે ઉમાભવનનું લોકાર્પણ અને દાતાઓના સન્માન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પુરૂશોતમભાઇ રૂપાલાએ પ્રાસંગિક પ્રવચન ર્ક્યુ હતું.
પ્રાસંગીક ઉદ્બોધન કરતા ઉમિયા માતાજી સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયાએ જણાવ્યુ હતુ કે આગામી 2પથી 28 ડીસેમબર દરમ્યાન ઉમિયાધામ સિદસર ખાતે યોજાનાર શ્રી સવા શતાબ્દી મહોત્સવની સાથે-સાથે પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે રૂૂા. પ00 કરોડની ત્રીજી સમૃધ્ધી યોજના અમલી બનાવાય છે જે અંતર્ગત ઉમિયા ધામ સિદસર ખાતે રૂૂા. 60 કરોડ, રાજકોટના ઇશ્વરીયા ખાતે શૈક્ષણીક પ્રોજેકટ માટે રૂૂા. 125 કરોડ, રાજકોટમાં ગોવાણી કુમાર છાત્રાલયના નવનિર્માણ માટે રૂૂા. 40 કરોડ તથા અમદાવાદમાં 1000 દિકરા-દિકરીઓ માટે છાત્રાલય નિર્માણ માટે રૂૂા. 1રપ કરોડના કાર્યો થશે. ઉમિયાધામ સિદસરના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયાએ શ્રી સવા શતાબ્દી મહોત્સવ થકી પાટીદાર સમાજને એક છત્ર હેઠળ લાવી સહીયારા પુરૂૂષાર્થ થકી સમાજ ઉપયોગી પ્રવૃત્તિની કેડી કંડારવા આહવાન કર્યુ હતુ.
ઉમિયાધામ સિદસરના ચેરમેન મૌલેશભાઈ ઉકાણીએ ઉમાભવનના દાતાઓની દિલેરીને બિરદાવતા કહયુ હતુ કે પૈસાના ત્રણ પ્રકાર છે. પૈસા વેડફવા, પૈસા વાપરવા, અને પૈસાને વાવવા આ તમામ માં પૈસાને દાન દ્વારા ’વાવી’ સહભાગી થનાર દાતાઓ ઉતમ સમાજ વ્યવસ્થામાં મદદરૂૂપ બને છે તેમ જણાવ્યુ હતુ. પાટીદાર સમાજમાં સમૃધ્ધિ યોજનાના વિચારને 1999 માં અમલી બનાવનાર પૂર્વ કલેકટર અને ઉમિયાધામ સિદસરના ટ્રસ્ટી બી.એચ.ધોડાસરા એ સામાજીક, શૈક્ષણીક, આરોગ્યલક્ષી, સેવાકીય, પ્રવૃત્તિ માટે સમૃધ્ધિ યોજનાનું મહત્વ સમજાવ્યુ હતુ, ઉમા ભવનના મુખ્યદાતા જીવનભાઈ ગોવાણી એ જણાવ્યુ હતુ કે નાનપણમાં માતા જેઠીબેન ગોવાણીની શીખ તેમના માટે પ્રેરણારૂૂપ બની હતી કે ’કુંવા માંથી જેટલું પાણી ઉલેચશો તેટલું નવું આવશે’ બસ ત્યારથી જીવનભાઈ તથા ગોવાણી પરિવાર તેમની સંપતિ સમાજ ઉપયોગી કાર્યોમાં દાન કરે છે.
ઉમિયાધામ સિદસરના મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ એ લોકાર્પણ તથા દાતા સન્માન સમારોહમાં સ્વાગત પ્રવચનમાં ડીસેમ્બર-2024, માં ઉમિયાધામ ખાતે યોજાનારા સવા શતાબ્દી મહોત્સવની માહીતી આપી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ચીમનભાઈ શાપરીયા, અરવિંદભાઈ પટેલ, નંદલાલભાઈ માંડવીયા, નાથાભાઇ કાલરીયા, વલ્લભભાઈ વડાલીયા ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટી કૌશીકભાઈ રાબડીયા, તથા આભારવિધિ ટ્રસ્ટી રમેશભાઈ રાણીપા એ કરી સમગ્ર કાર્યક્રમ વ્યવસ્થા ઉમિયા પરિવાર મહિલા સંગઠન પ્રમુખ સરોજબેન મારડીયા, મનસુખભાઈ કાલરીયા, ઓધવજીભાઈ ભોરણીયા, બ્રિજેશ રોજીવાડીયા, અતુલ દેત્રોજા, પીયુષ સીતાપરા સહીતની ટીમે સંભાળી હતી.
ક્રાઇમ
ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ
ખંભાળિયામાં રહેતા એક મુસ્લિમ પરિવારના સગીર દ્વારા પોતાના ફઈ ઉપર દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ સામે આવ્યો છે.
ખંભાળિયા શહેરના આ ચકચારી બનાવની જાણવા માટે વિગત મુજબ શહેરના એક વિસ્તારમાં રહેતા સગીર વયના કિશોર દ્વારા પોતાના પુખ્ત વયના ફઈબા ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ બનાવને અનુલક્ષીને અહીંના ડી.વાય.એસ.પી. ડો. હાર્દિક પ્રજાપતિ તેમજ પી.આઈ. બી.જે. સરવૈયાની ટીમ દ્વારા ફરિયાદ દાખલ કરવા તેમજ સગીર વયના કિશોરની અટકાયત કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.
ભોગ બનનાર આ મુસ્લિમ યુવતી અસ્થિર મગજની હોવાનું પણ બહાર આવ્યું છે. આ બનાવમાં સગીરના કાકા દ્વારા અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને અનુલક્ષીને પોલીસ દ્વારા સગીર વયના કિશોરની અટકાયત કરી, આ દુષ્કર્મ કેસમાં કપડાં સહિતના અન્ય પુરાવાઓ એકત્ર કરાયા હતા. સાથે સાથે ભોગ બનનાર યુવતીનું પણ મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું.
આજના ડિજિટલ અને મોબાઈલના યુગમાં સગીર વયના કિશોર દ્વારા ફઈ સાથે દુષ્કર્મ કરવાના આ બનાવે સભ્ય સમાજમાં ભારે ચર્ચા જગાવી છે.
ગુજરાત
કાલાવડના આંબેડકર નગરમાં જાતિ પ્રત્યે હડધૂત કરી યુવાન પર 4નો તલવારથી હુમલો
અગાઉના ઝઘડામાં વચ્ચે પડવાના મન દુ:ખથી કરાયો હુમલો
જામનગર જિલ્લાના કાલાવડ માં રહેતા એક દલિત યુવાન પર જૂની અદાવત ના મન દુ:ખના કારણે તલવાર- ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે એક દંપતિ સહિત ચાર સામે ફરિયાદ નોંધાવાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડમાં આંબેડકર નગરમાં રહેતા કરણ ભીખાભાઈ ધમમર નામના 21 વર્ષના યુવાને પોતાના ઉપર તલવાર -ધોકા-લાકડી જેવા હથિયાર વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે કાલાવડમાં રહેતા અશોકભાઈ અને તેની પત્ની ભાવનાબેન ઉપરાંત બે પુત્ર કરણ અશોકભાઈ અને અર્જુન અશોકભાઈ સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે ઇજાગ્રસ્ત યુવાન ને હોસ્પિટલમાં ખસેડાયો છે, અને તેને 15 ટાંકા લેવા પડ્યા છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાનના મિત્ર અને આરોપી સાથે અગાઉ ઝઘડો થયો હતો, તેમાં વચ્ચે આવવા બદલ આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે તમામ આરોપીઓ સામે હુમલા તથા એસ્ટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
જી.જી. હોસ્પિટલના પ્રથમ માળેથી દર્દીએ લગાવી છલાંગ: બાલબાલ બચ્યો: અનેક ફ્રેક્ચર
પોતાના પરિવાર સાથે કોઇએ માથાકૂટ કરી હોવાની વાતથી ભાગવા ગયો
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રથમ માળેથી એક દર્દીએ પડતું મૂકી દેતાં ભારે દોડધામ થઈ હતી. જેને અસંખ્ય ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે, અને તેનો જીવ બચ્યો છે. અને ફરીથી ઓર્થોપેડિક વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે.પોતાના ગામમાં માથાકૂટ થઈ હોવાનું અને હત્યા જેવી ગંભીર ઘટના બની હોવાનો સંદેશો મળતાં પોતે છલાંગ લગાવવાની કબુલાત આપી હતી.આ બનાવ ની વિગત એવી છે કે જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા મગનભાઈ મકવાણા નામના 39 વર્ષના યુવાનને બીમારી સબબ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં કેસ બારીના ઉપરના રૂૂમમાં દાખલ કરાયા બાદ આજે સવારે તેણે બારીમાંથી છલાંગ લગાવી દઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં ભારે દોડધામ થઈ છે.
ઉપરના માળેથી નીચે પડેલી બે ખુરશીઓ પર પોતે પડ્યો હોય તેના શરીરમાં અનેક ફ્રેક્ચરો થયા છે, જ્યારે બંને ખુરશી ના ભુકા ભૂલી ગયા હતા. જેને ફરી થી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન મોટા થાવરીયા ગામમાં માથાકૂટ થયો હોવાનો અને તેના પરિવારજનો પર હુમલો થવાની તેમજ હત્યા જેવી ગંભીર ઘટના બની હોવાનું કહ્યું હોવાથી પોતે પણ જીવવા માંગતો ન હોવાથી આ છલાંગ લગાવી દેવાની કબુલાત આપી હતી. જેથી તબીબો વગેરે પણ આશ્ચર્યમાં મુકાયા હતા. સમગ્ર મામલામાં સિટી બી. ડિવિઝન પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.
-
આંતરરાષ્ટ્રીય2 days ago
SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા
-
ક્રાઇમ2 days ago
ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો
-
રાષ્ટ્રીય20 hours ago
10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની
-
આંતરરાષ્ટ્રીય20 hours ago
નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા
-
ગુજરાત2 days ago
પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ
-
ગુજરાત2 days ago
આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત