Connect with us

ગુજરાત

જય દ્વારકાધીશ, સખાવતી ઉદ્યોગપતિ મૌલેશભાઇ ઉકાણીનો આજે જન્મદિવસ

Published

on

100 થી વધુ સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા મૌલેશભાઇ ઉપર અભિનંદનવર્ષા

ધનના મદથી અલિપ્ત, પ્રતિષ્ઠાની એષણાથી અસંગ, પદના લોભથી અનાસક્ત એવા ભામાશા શ્રેષ્ઠીન મૌલેશભાઈ ઉકાણી ષષ્ટિપૂર્તિએ પહોંચ્યા છે. પ્ર4મી ઓક્ટોબરે 260 6 વર્ષ પૂરાં પૂરા કરીને કરીને 614 61મા વર્ષમાં મૌલેશભાઈએ આ અનોખા વ્યક્તિત્વથી સર્વસમાજમાં અનેરી લોકચાહના પ્રાપ્ત મ કરી છે. છે. વૈદિક વિધિ ષષ્ટિપૂર્તિ ભારતીય દર્શનમાં અનન્ય મહત્વ ધરાવે છે. ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ વચ્ચેનો સંક્રાંતિકાળ ષષ્ટિપૂર્તિ સંસારથી મુક્ત થઈને આધ્યાત્મિક ઉન્નતી તરફ ગતિ કરવાનો સમય છે. ષષ્ટિપૂર્તિએ માણસ ઈહલોક પ્રત્યેની આસક્તિ છોડીને પરલોક તરફ વાલે છે. પરંતુ મૌલેશભાઈ તો આ પહેલાંથી જ ધન, પદ, પ્રતિષ્ઠા અને પાવરની આસક્તિ છોડી ચુક્યા છે.


સર્વ સમાજ માટે કૈક કરી છૂટવા સદા તત્પર રહેતા મૌલેશભાઈ અગણિત સંસ્થાઓ સાથે જોડાયેલા છે. દ્વારકા જગત મંદિરના શ્રી દ્વારકાધિશ મંદિર એડમિનીસ્ટ્રેટીવ સમિતિના બોર્ડ મેમ્બર, પાટીદાર સમાજના આસ્થાસ્થાન એવા ટ્રસ્ટના ચેરમેન, , વિશ્વ વિશ્વ ઉમિયા ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાના ટ્રસ્ટી,સરદારધામ, વિશ્વ સીદસરના શ્રી ઉ 1 ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના પાટીદાર સેન્ટર, અમદાવાદના ટ્રસ્ટી, શ્રી ઉ 1 ઉમિયા માતાજી ) ટ્રસ્ટ ગાંઠીલાના ટ્ર ટ્રસ્ટી, ઊંઝા ઉમિયા માતાજી મંદિરના કમિટી મેમ્બર, ક્રિષ્ના સંસ્કાર વર્લ્ડ, વીવાયઓના પ્રમુખ, સૌરાષ્ટ્ર કોડની રીસર્ચ ઇન્સ્ટીટયુટ, રાજકોટના ટ્રસ્ટી, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ટ્રસ્ટ, રાજકોટના ટ્રસ્ટી, સરગમે ક્લબ, રાજકોટના સેક્રેટરી, ક્લબ યુવી રાજકોટના ચેરમેન, લેંગ લાયબ્રેરીના ટ્રસ્ટી, સૌરાષ્ટ્ર કચ્છ ડ્રગ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ, કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના ઉપપ્રમુખ, ફૂલછાબ માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી, કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના ટ્રસ્ટી, પટેલ સેવા સમાજ, રાજકોટના ટ્રસ્ટી ગુજરાત સ્ટેટ રોલ બોલ બેરીંગ એસોસીએશનના પ્રેસીડન્ટ, ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસીએશનના પ્રેસીડન્ટ, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી, આરકે યુનિવર્સીટીના ગવર્નીંગ બોડી મેમ્બર, સહિત 100થી વધુ સંસ્થાઓ અને એનજીઓ સાથે મૌલેશભાઈ સંકળાયેલા છે.

કોરોના કાળમાં રેશન કીટ વિતરણ હોય કે હરિદ્વારમાં ગરોબોને મફત સાયકલરીક્ષા આપીને પગભર કરવાનું કામ હોય, મૌલેશભાઈના હાથમાંથી દાનની સર્વની સતત વહેતી જ રહે છે.ગામડાઓમાં શાળાઓ બંધાવાવનું પવન કામ મૌલેશભાઈના હાથે થતું રહે છે. વિવિધ સંસ્થાઓ માટે મકાનો બનાવી આપવાની સખાવત હોય કે દ્વારકા અને સોમનાથમાં યાત્રાળુઓ માટે સમાજ બંધાવાનું કામ હોય, મૌલેશભાઈ છુટ્ટા હાથે સહાય આપતા રહે છે. વિવિધ ક્ષેત્રમાં અનેક એવોર્ડ મેળવવા છતાં તેઓ સદા હળવાફૂલ રહ્યા છે.


બીજાના દુ:ખે દુ:ખી થઇ જાય એટલા સહૃદય મૌલેશભાઇ સેવાના કામ કરતી વખતે નિરાભિમાનપણું જાળવી રાખે છે અને તેમના કર્મફળ દ્વારકાધિશને અર્પણ કરી દે છે. માત્ર પાટીદાર સમાજ જ નહીં, તમામ સમાજ અને ક્ષેત્રોમાં મૌલેશભાઈની સેવા અને દાનની સરવાણી વહેતી જ રહે છે. બધા સમાજને પોતાના માનતા મૌલેશભાઈ એટલે જ તમામને પોતીકા લાગે છે.


સંબંધો નિભાવવાની તેમની કળા એવી અદ્ભૂત છે કે મોટામાં મોટા માણસથી માંડીને નાનામાં નાનો માણસ તેમને પોતાના અંગત માને છે. અજાત શત્રુ મૌલેશભાઈ પ્રેમના માણસ છે, સ્નેહના માણસ છે.મૌલેશભાઇ એવી વ્યક્તિ છે જેને મળતા જ સામેવાળો ખુશ થઇ જાય, ફ્રેશ થઇ જાય. ગમે ત્યારે મળો તેમના મોં પર પહોળું સ્મિત હોય, ચહેરા પર આનંદ છલકતો હોય, અવાજમાં ઉષ્મા અનુભવાતી હોય, અંગ અંગમાંથી ઉર્જા નિતરતી હોય, હૈયામાંથી હુંફ ઉમટતી હોય, આંખમાં ચમક હોય અને પરમ શાંતિનું આભામંડળ હોય.

મૌલેશભાઇને કયારેય કોઇએ નિસ્તેજ, મૂડલેસ, થાકેલા, કંટાળેલા કે ઉતાવળમાં નહીં જોયા હોય, આનંદ અને ઉત્સાહ તેમના સ્થાયીભાવ છે, શાંતિ તેમનો સ્વભાવ છે. તે પોતાના ભાવમાં જ સ્થિર રહે છે, તેમાંથી તેમને ડગાવવા માટે ન તો સંજોગો સક્ષમ છે કે ન કોઇ મનુષ્ય. તેમનું હાસ્ય કોઇ છીનવી શકતું નથી, તેમની ખૂશી કોઇ ખૂંચવી શકતું નથી.

ગુજરાત

ટ્રાફિક માટે સમસ્યારૂપ બનેલા સર્કલો તોડવાનું શરૂ

Published

on

By

કોટેચા ચોક અને રૈયા ટેલિ. એક્સચેન્જના સર્કલ તોડી નાના કરાયા

ગ્રીનલેન્ડ ચોકડી, ભક્તિનગર, સોરઠિયાવાડી, જિલ્લા પંચાયત ચોક સહિત અન્ય સાત સર્કલો પણ તોડાશે

રાજકોટ શહેરમાં વકરી રહેલી ટ્રાફિક સમસ્યામાં રસ્તાઓ ઉપર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા ટ્રાફિક સર્કલો પણ જવાબદાર હોવાનો રિપોર્ટ આવતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી રસ્તા દબાવીને બનાવવામાં આવેલા મોટા સર્કલો તોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. અને આજે કાલાવડ રોડ ઉપરના કોટેચા સર્કલ ઉપરાંત 150 ફૂટ રીંગ રોડ પર આવેલા રૈયા ટેલીફોન એક્સચેન્જ સર્કલ તોડીને રસ્તા ખુલ્લા કરાયા હતાં અને આ સર્કલો નાના કરી ટ્રાફિક સમસ્યા હળવી કરવા કોર્પોરેશન દ્વારા પ્રયાસો શરૂ કરાયા છે.


આ સિવાય શહેરના અન્ય સાત સર્કલો પણ તોડી નાના કરવામાં આવનાર છે. જેમાં ગ્રિનલેન્ડ ચોકડી, ભક્તિનગર સર્કલ, આજીડેમ સર્કલ, સોરઠિયાવાડી સર્કલ, ચૂનારાવાડ ચોક સર્કલ, જિલ્લા પંચાયત ચોક સર્કલ અને આજી વસાહતમાં આવેલા અમૃલ સર્કલનો સમાવેશ થાય છે. આ સર્કલો પણ આગામી દિવસોમાં તોડીને નાના કરવામાં આવનાર છે.


મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યું હતુ ંકે, શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત પ્રયાસો ચાલી રહ્યા છે. તેના ભાગરૂપે શહેરના મુખ્યમાર્ગો ઉપર આવેલા મોટા સર્કલો તોડી નાના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખાસ કરીને શહેરના 9 જેટલા સર્કલો અગ્રતાના ધોરણે નાના કરવા પોલીસ દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી. જેના પગલે આજે કોટેચા ચોક સર્કલ અને રૈયા ટેલિફોન એક્સચેન્જ સર્કલ તોડી તેને રિડિઝાઈન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.


જ્યારે આગામી દિવસોમાં અન્ય સાત સર્કલો પણ તોડી પાડી રિડિઝાઈન કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, દર મહિને રાજકોટ મહાનગરપાલિકાના ઈજનેરો અને ટ્રાફિક પોલીસના અધિકારીઓ વચ્ચે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે બેઠક મળે છે. આ બેઠકમાં શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા અંગે ચર્ચા કરી જરૂરી આયોજનો કરવામાં આવે છે. જેના ભાગરૂપે 9 જેટલા સર્કલો અગ્રતાના ધોરણે તોડવા નિર્ણય લેવામાં આવ્યો છે.

Continue Reading

ક્રાઇમ

રાજ્યભરમાં EDના દરોડા, એકસાથે 23 સ્થળોએ સર્ચ ઓપરેશન, કરોડા રૂપિયાની ટેક્સ ચોરીના પાડયા દરોડા

Published

on

By

રાજ્યમાં દિવાળી પહેલાં જ EDએ 23થી વધુ જગ્યાઓ પર દરોડા પાડયા છે. બનાવતી કંપનીના મામલામાં હવે EDએ એન્ટ્રી કરી છે. અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, વેરાવળ ,રાજકોટ સુરત, કોડીનારમાં દરોડા પાડવામાં આવ્યા છે. EDએ નવેસરથી ફરિયાદ દાખલ કરી દરોડાનું ઓપરેશન હાથ ધર્યું છે. CGSTના કૌભાંડ અંગે રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં અમદાવદ, જુનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત કોડીનાર સહીત ૭ શહેરોના ૨૩ થી વધુ જગ્યાઓ પર ઇડીએ દરોડા પડ્યા હતા. 200થી વધુ નકલી કંપનીઓ ખોલીને કરોડોની ટેક્સ ચોરીના કેસમાં અમદાવાદ પોલીસ બાદ કેન્દ્રીય એજન્સી ત્રાટકી છે, આ કેસમાં અગાઉ ૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

કરોડો રૂપિયાના GST કૌભાંડ મામલે અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 5 આરોપીઓની ધરપકડ કરી છે. બોગસ કંપની બનાવીને બોગસ બિલિંગ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. અગાઉ અબ્દુલ હાફિઝ, અબ્દુલ કાદરી, એઝાઝ માલદાર, ધ્રુવીના સંચાલક દેવરાણી સહિત પાંચની ધરપકડ કરી હતી.

Continue Reading

ક્રાઇમ

ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ

Published

on

By

ખંભાળિયામાં રહેતા એક મુસ્લિમ પરિવારના સગીર દ્વારા પોતાના ફઈ ઉપર દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ સામે આવ્યો છે.

ખંભાળિયા શહેરના આ ચકચારી બનાવની જાણવા માટે વિગત મુજબ શહેરના એક વિસ્તારમાં રહેતા સગીર વયના કિશોર દ્વારા પોતાના પુખ્ત વયના ફઈબા ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ બનાવને અનુલક્ષીને અહીંના ડી.વાય.એસ.પી. ડો. હાર્દિક પ્રજાપતિ તેમજ પી.આઈ. બી.જે. સરવૈયાની ટીમ દ્વારા ફરિયાદ દાખલ કરવા તેમજ સગીર વયના કિશોરની અટકાયત કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.

ભોગ બનનાર આ મુસ્લિમ યુવતી અસ્થિર મગજની હોવાનું પણ બહાર આવ્યું છે. આ બનાવમાં સગીરના કાકા દ્વારા અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને અનુલક્ષીને પોલીસ દ્વારા સગીર વયના કિશોરની અટકાયત કરી, આ દુષ્કર્મ કેસમાં કપડાં સહિતના અન્ય પુરાવાઓ એકત્ર કરાયા હતા. સાથે સાથે ભોગ બનનાર યુવતીનું પણ મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું.

આજના ડિજિટલ અને મોબાઈલના યુગમાં સગીર વયના કિશોર દ્વારા ફઈ સાથે દુષ્કર્મ કરવાના આ બનાવે સભ્ય સમાજમાં ભારે ચર્ચા જગાવી છે.
Continue Reading
રાષ્ટ્રીય54 seconds ago

બહુચરાઈ હિંસાના આરોપીઓ આવ્યા સામે,મુખ્ય આરોપી સરફરાઝનું એન્કાઉન્ટર,નેપાળ ભાગી રહ્યા હતા

ગુજરાત10 mins ago

ટ્રાફિક માટે સમસ્યારૂપ બનેલા સર્કલો તોડવાનું શરૂ

આંતરરાષ્ટ્રીય34 mins ago

પૂર્વ PM શેખ હસીના પર લટકી ધરપકડની તલવાર!! બાંગ્લાદેશની કોર્ટે 18 નવેમ્બર સુધીમાં હાજર થવાનો આદેશ

રાષ્ટ્રીય53 mins ago

રેલવેમાં વેઈટિંગની સમસ્યાનો અંત આવશે, હવે રિઝર્વેશન ટિકિટ 60 દિવસ પહેલા જ બુક થશે.

આંતરરાષ્ટ્રીય56 mins ago

ફ્રેન્કફર્ટથી મુંબઈ આવી રહેલી વિસ્તારાની ફ્લાઈટને મળી બોમ્બની ધમકી, છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

ક્રાઇમ1 hour ago

રાજ્યભરમાં EDના દરોડા, એકસાથે 23 સ્થળોએ સર્ચ ઓપરેશન, કરોડા રૂપિયાની ટેક્સ ચોરીના પાડયા દરોડા

રાષ્ટ્રીય2 hours ago

સલમાનખાનની હત્યાનું કાવતરું ઘડવા બદલ બિશ્નોઈ ગેંગના શૂટરની ધરપકડ

રાષ્ટ્રીય2 hours ago

બાંગ્લાદેશમાંથી ભારત આવેલા શરણાર્થીઓને મળશે નાગરિકતા, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

ક્રાઇમ2 hours ago

કોચે 13 વર્ષની ખો-ખો ખેલાડી પર દુષ્કર્મ , ટ્રેન મોડી પડવાના બહાને હોટલમાં લઈ ગયો

Sports2 hours ago

IND VS NZ: માત્ર 46 રનમાં જ ટીમ ઈન્ડિયા ઓલઆઉટ, એશિયામાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો શરમજનક રેકોર્ડ

આંતરરાષ્ટ્રીય2 days ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ક્રાઇમ2 days ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

રાષ્ટ્રીય22 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

આંતરરાષ્ટ્રીય22 hours ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

આંતરરાષ્ટ્રીય2 days ago

પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ

આંતરરાષ્ટ્રીય2 days ago

ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા

ગુજરાત2 days ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત2 days ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

આંતરરાષ્ટ્રીય2 days ago

ઇજિપ્તમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસનો અકસ્માત, 12 લોકોનાં મોત, 33 ગંભીર

ગુજરાત23 hours ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

Trending