Connect with us

ગુજરાત

ગોંડલ યુનિયન બેન્કના નિવૃત્ત કર્મચારી સાથે રૂપિયા 4.91 લાખની ઠગાઇ

Published

on

ગઠિયાએ બેન્ક એકાઉન્ટ બંધ કરી દેવાનો ડર બતાવી લિંક મોકલી રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા

ગોંડલમાં રહેતા યુનિયન બેન્કના નિવૃત કર્મચારીને એકાઉન્ટ બંધ થઇ જવાનો ડર બતાવી સાયબર ગઠીયાએ લીંક મોકલી એપ્લીકેશન ધરાર ડાઉનલોડ કરાવી બેન્કના નિવૃત કર્મચારી અને તેમના પત્નીના એકાઉન્ટમાંથી રૂા.4.91 લાખ ટ્રાન્ફર કરી છેતરપીંડી કરતા આ મામલે ગોંડલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો મુજબ, ગોંડલ અક્ષરધામ સોસાયટી શેરી નં.5 બ્લકો નં.61જીમાં રહેતા અને ગોંડલની યુુનિયન બેંકના નિવૃત કર્મચારી વિનોદભાઇ મોહનભાઇ ગુજરાતી (ઉ.વ.62) સાથે થયેલી છેતરપીંડી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હોય. જેમાં જણાવ્યા મુજબ તેમના મોબાઇલ નંબર ઉપર અજાણ્યા મોબાઇલમાંથી વોટ્સએપમાં મેસેજ આવ્યો હતો.

જેમાં તમારા બેન્કની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ઇન્સ્ટોલ કરવાનું જણાવ્યું હતું અન્યથા તમારું યુનિયન બેન્કનું એકાઉન્ટ બંધ થઇ જશે તેમ મેસેજ આવ્યો હતો. વિનોદભાઇએ વોટ્સએપમાં આવેલી યુનિયન બેન્કની એપ્લિકેશનની લીંક ખુલ્લી હતી અને થોડી બાદ તેમના તથા તેમની પત્નીના એકાઉન્ટમાંથી અલગ-અલગ રૂપિયા 4.91 લાખ ટ્રાન્ફર થયાનો મેસેજ આવ્યો હતો. જે બાબતે તેમણે યુનિયન બેન્કનો સંર્પક કરતા આવી કોઇ લીંક બેન્ક મોકલતી નહીં હોવાનુ જણાવ્યું હતું. જેથી તેમણે આ અંગે સાયબર ક્રાઇણ હેલ્પલાઇનમાં ફરિયાદ કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.


તપાસમાં જાણવા મળ્યું કે, આ ગઠીયાએ વિનોદભાઇ અને તેમના પત્ની ગીતાબેનના એકાઉન્ટમાંથી કોટક, એચડીએફસી, જમ્મુ-કાશ્મીર અને કેનેરા બેન્કમાં રક્મ ટ્રાન્ફર કરાવી હોવાનું ખુલ્યું હતું. આ મામલે ગોંડલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. બેન્કના નિવૃત કર્મચારીને આ ગઠીયાએ શીકાર બનાવ્યા હોય જે બબાતે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ છે. છેતરપીડી કરતી ટોળકી અવનવા કીમિયા અજમાવી સરકારી અને બેન્કના કર્મચારીઓને પણ નીશાન બનાવે છે.

ગુજરાત

જામજોધપુરના વસંતપુર ગામના વૃધ્ધનો ગળેફાંસો ખાઇ આપઘાત

Published

on

By

એકલવાયુ જીવન અને બિમારીથી કંટાળી ભરેલુ પગલું

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વસંતપુર ગામમાં રહેતા એક બુઝુર્ગે કે પોતાની બીમારી થી કંટાળી જઇ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરના વસંતપુર ગામમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા છગનભાઈ કચરાભાઈ કણસાગરા નામના 65 વર્ષના પટેલ બુઝુર્ગ કે જેઓ છેલ્લા કેટલાક સમયથી એકલું અટૂલું જીવન ગુજારતા હતા, અને ડાયાબિટીસ ની બીમારી થી પીડાતા હતા. જેનાથી કંટાળી જઈ તેઓએ પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.


આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ ગોવિંદભાઈ કચરાભાઈએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે બનાવના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.


મકાન માલિક સામે ગુનો
જામનગર નજીક વિસ્તારમાં એક મકાન માલિકે પોતાના 26 જેટલા રૂૂમ કે જેમાં પર પ્રાંતીય લોકોને ભાડેથી રાખ્યા હતા, પરંતુ તે તમામ ભાદુઆત ની નોંધ નજીકના પોલીસ સ્ટેશનમાં કરી ન હતી અને બેદરકારી રાખવી હતી. જેથી પંચકોષી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા તપાસણી દરમિયાન સમગ્ર બાબત ધ્યાનમાં આવતાં પોલીસે જાતે ફરિયાદી બની મકાનમાલિક હનીફ કરીમભાઈ ખફી સામે બી. એન. એસ. કલમ 223 મુજબ ગુનો નોંધ્યો છે.

Continue Reading

ગુજરાત

જી.જી.હોસ્પિટલના સર્જરી વિભાગમાં તબીબોની અછતથી દર્દીઓ હેરાન

Published

on

By

ફરજ બજાવતા તબીબો પર કામનું ભારણ: ખાલી જગ્યાઓ પર તબીબોની નિમણુંક કરાવવા સ્થાનિક નેતાગીરી જાગશે?

જામનગરની જીજી હોસ્પિટલ સૌરાષ્ટ્રભરમાં નામના ધરાવે છે, પરંતુ અહીં ખાટલે મોટી ખોડ એ છે કે, તબીબોની સંખ્યા પર્યાપ્ત નથી, જેને કારણે ફરજો બજાવતાં તબીબો પર ખૂબ જ વર્કલોડ રહે છે, જી.જી. હોસ્પિટલના સર્જરી વિભાગમાં તબીબોની ભારે અછત સર્જાઈ છે. જ્યાં સર્જરી વિભાગ મા એક સમયે 22 તબીબો હતા ત્યાં હાલ માત્ર 8 તબીબો જ કામ કરી રહ્યા છે. આથી આ વિભાગમાં કામનું ભારણ વધી ગયું છે અને દર્દીઓને સારવાર મળવામાં વિલંબ થઈ રહ્યો છે. ઓપરેશન પેન્ડિંગ રહેવાથી દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તબીબોની ખાલી જગ્યાઓ ભરવા માટે સરકાર અને સ્થાનિક નેતાગીરી પાસે લોકો માંગ કરી રહ્યા છે. સર્જરી વિભાગ હોસ્પિટલનું અતિ મહત્વનું અંગ છે અને અહીં તબીબોની અછતને કારણે દર્દીઓનું જીવન જોખમમાં મુકાઈ શકે છે.


બીજી તરફ અપૂરતા તબીબોને લીધે હજારો દર્દીઓની પ્રાથમિક સારવાર, ઇમર્જન્સી સેવાઓ, ક્રિટિકલ કન્ડિશન દરમિયાન સર્જરી, ઓપરેશન સહિતના કામોમાં એટલે કે સારવારમાં ભારે વિલંબ થઈ રહ્યો હોય, સરકારે તબીબોની ખાલી જગ્યાઓ ભરવા તાકીદે ધ્યાન આપવું જોઇએ એવી લોકલાગણી વ્યક્ત થઈ રહી છે.
અત્યંત આધારભૂત સૂત્રના જણાવ્યા અનુસાર, જી.જી. હોસ્પિટલના સર્જરી વિભાગમાં તબીબોની મોટી ઘટ છે.

સરકારે કેટલાંક ખાનગી તબીબોને અહીં કોન્ટ્રેક્ટ પર રાખ્યા હતાં અને એક તબક્કે આ સર્જરી વિભાગમાં તબીબોની સંખ્યા 22 હતી, જે આજે ઘટીને લગભગ ત્રીજા ભાગની થઈ ગઈ છે, હાલ સર્જરી વિભાગમાં માત્ર 8 જ તબીબો કાયમી ફરજ પર છે. 22 પૈકી 14 તબીબ જતાં રહ્યા છે. જે પૈકી અમુક ખાનગી તબીબોના કોન્ટ્રાકટ પૂર્ણ થઈ ગયા છે અને ફરી આ કોન્ટ્રેક્ટ રિન્યુ નથી થયા. અમુક તબીબોને આ નોકરી પસંદ ન આવી હોય, જતાં રહ્યા છે. ખાલી જગ્યાઓ પર નવા 14 તબીબોની નિયુક્તિ આજની તારીખે થવા પામી નથી, જેથી હાલના કાર્યરત 8 તબીબોએ 22 તબીબોની જવાબદારીઓ વહન કરવી પડી રહી છે.


અત્રે ઉલ્લેખનિય છે કે, સર્જરી વિભાગ કોઈ પણ હોસ્પિટલ માટે અતિ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ વિભાગ હોય છે. જેમના ઓપરેશન ફરજિયાત રીતે કરવા જ પડે એવા દર્દીઓ આ વિભાગમાં સતત આવતાં હોય છે. ઘણાં બધાં પ્રકારના અકસ્માતોમાં ભાંગતૂટ થયેલાં કેસ આવતાં હોય, મારામારીમાં ઘવાયેલા સેંકડો દર્દીઓ આવતાં હોય, આ ઉપરાંત વિવિધ રોગોને કારણે શરીરના જુદાં જુદાં અંગોની સર્જરી કરવાની હોય એવા પણ ઘણાં દર્દીઓ આ વિભાગમાં હોય છે અને સતત આવતાં પણ હોય છે.

જેને કારણે આ વિભાગમાં તબીબો સતત વ્યસ્ત રહેતાં હોય, એમાં પણ જ્યાં 22 ની જગ્યાએ માત્ર 8 તબીબો પર બધી જ જવાબદારીઓ હોય ત્યાં કલ્પના કરો, તબીબોની શારીરિક અને માનસિક હાલત કેવી થઈ જાય ! અને, સતત દબાણ હેઠળ કામ કરતાં આ તબીબોના સેંકડો દર્દીઓએ કેટલી દુવિધાઓમાંથી પસાર થવું પડતું હશે ?! રાજ્યના આરોગ્ય વિભાગે તાકીદે યોગ્ય કરવું જોઈએ અને સ્થાનિક નેતાગીરીએ પણ આ બાબતે સંવેદનશીલતાનો પરિચય કરાવવો જોઈએ એવી વેદનાઓ આ વિભાગની દીવાલો વચ્ચે કણસી રહી છે અને ઈચ્છી રહી છે.

Continue Reading

ગુજરાત

જીયાણા ગામે કૂવામાંથી નવજાત શિશુની લાશ મળી

Published

on

By


રાજકોટ નજીક જીયાણા ગામની સીમમાં એક વાડીના કુવામાંથી બે દિવસની નવજાત બાળકીની લાશ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં વાડીમાલીકે જાણ કરતા પોલીસે ગુનો નોંધી બાળકીને કુવામાં ફેકી જનારની શોધખોળ શરૂ કરી છે. કોઈએ પાપ છુપાવવા માટે બાળકીને કુવામાં ફેંકી દીધાનું પોલીસ માની રહી છે.


મળતી વિગતો મુજબ રાજકોટના જીયાણા ગામે રહેતા શૈલેષભાઈ ખોડાભાઈ લીંબાસિયાની વાડીના કુવામાં એક બાળકની લાશ તરતી હોવાની જાણ શૈલેષભાઈએ જીયાણા ગામના સરપંચ જયસુખભાઈ મનસુખભાઈ મેટાણીને કરતા જયસુખભાઈએ એરપોર્ટ પોલીસને જાણ કરતા પીએસઆઈ એસએસ જાડેજા સહિતનો સ્ટાફ જીયાણા ગામે દોડી ગયો હતો. શૈલેષભાઈ લિંબાસિયાની વાડીના કુવામાં પડેલી લાશને બહાર કાઢી ફોરેન્સીક પોસ્ટમોટર્મ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે. પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ લાશ બે દિવસની બાળકીની છે. નવજાત બે દિવસની માસુમ બાળકીને કુવામાં ફેંકી દેનાર અને તેની માતા બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. કોઈએ પાપ છુપાવવા માટે નવજાતને કુવામાં ફેંકી દીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ મામલે હાલ પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. બે દિવસની માસુમને મોતના મુખમાં ધકેલી દેનાર તે કઠોર જનેતા બાબતે પણ પોલીસે આસપાસના ગામમાં તપાસ શરૂ કરી છે. જીયાણા ગામના શેલૈષભાઈ ખોડાભાઈની વાડીના કુવામાં આ બાળકીની લાશ મળી હોય ત્યાં આસપાસ વાડી વિસ્તારમાં રહેતા મજુરોની પૂછપરછ કરી તેમજ જીયાણા ગામના સીસીટીવી ફૂટેજના આધારે આ મામલે એરપોર્ટ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Continue Reading
ગુજરાત17 seconds ago

જામજોધપુરના વસંતપુર ગામના વૃધ્ધનો ગળેફાંસો ખાઇ આપઘાત

ગુજરાત3 mins ago

જી.જી.હોસ્પિટલના સર્જરી વિભાગમાં તબીબોની અછતથી દર્દીઓ હેરાન

ગુજરાત4 mins ago

જીયાણા ગામે કૂવામાંથી નવજાત શિશુની લાશ મળી

ક્રાઇમ8 mins ago

રાજકોટના સોની વેપારી સાથે રૂા.2.56 કરોડની ઠગાઈ

ગુજરાત9 mins ago

માતાના મઢે દર્શને જતા પદયાત્રીનું અજાણ્યા ટેમ્પોની ઠોકરે મોત

ક્રાઇમ10 mins ago

દેવભૂમિ દ્વારકામાં ગૌવંશની હત્યાથી અરેરાટી

ગુજરાત11 mins ago

તળાજાના જુના સાંગાણા ગામના બે સિંહ મહેમાન બન્યા

ક્રાઇમ13 mins ago

હળવદમાં આસ્થા ટેક્નો પ્લાસ્ટ કંપનીમાં આધેડ સહિત 3 ઉપર 6 શખ્સોનો હુમલો

ગુજરાત15 mins ago

ખંભાળિયામાં કારમાં ગરબા વગાડતા જતા યુવાન પર હુમલો, મારી નાખવાની ધમકી

ગુજરાત16 mins ago

ઉપલેટાના નિલાખા ગામે વેણુ નદીમાં નહાવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત

આંતરરાષ્ટ્રીય2 days ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ક્રાઇમ2 days ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

રાષ્ટ્રીય18 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

આંતરરાષ્ટ્રીય18 hours ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

આંતરરાષ્ટ્રીય2 days ago

પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ

આંતરરાષ્ટ્રીય2 days ago

ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા

ગુજરાત2 days ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત2 days ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

આંતરરાષ્ટ્રીય2 days ago

ઇજિપ્તમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસનો અકસ્માત, 12 લોકોનાં મોત, 33 ગંભીર

ગુજરાત2 days ago

વીજચોરી અંગે તપાસમાં ગયેલા પીજીવીસીએલના કર્મચારી ઉપર છેડતીનો આરોપ મૂકી હુમલો

Trending