ગુજરાત
દ્વારકામાં જગત મંદિરે ધ્વજારોહણ કરી જન્મદિન ઉજવતા નિકાવાના પત્રકાર રાજુ રામોલિયા
કાલાવડ તાલુકાના પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામા પત્રકાર તરીકે ફરજ બજાવતા ગઈકાલે તેમના જન્મ દિવસ નિમિતે રાજુભાઈ રામોલિયા દ્વારા જગત મંદિર દ્વારકાધીસ ના શિખરે ધ્વજા ચઢાવી જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
કાલાવડ તાલુકાના નિકાવા ગામના વતની અને યુવા પત્રકાર રાજુભાઈ રામોલિયાના જન્મદિવસ નિમિત્તે દ્વારકા નગરીમાં દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી દ્વારકાધીશની ધ્વજા રોહણનો કાર્યકમ ભવ્ય રીતે ગઈ કાલે ઉજવ્યો હતો. આ ધ્વજારોહન કાર્યક્રમમાં અનેક રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ, સંતો મહંતો, પત્રકારોે, સગા સંબંધીઓ તેમજ બહોળી સંખ્યામાં યુવાનો અને વડીલો ભાઈઓ બહેનો સાથે ઉપસ્થિત રહ્યા હતા.
ધ્વજારોહણના આગલા દિવસે સાંજે ધ્વજા પૂજન દ્વારકા નિવાસી પટેલના ગોર ઠાકર તેજસ હરિચંદ્ર દ્વારા વિધિ વિધાન સાથે રામોલિયા પરિવારને ધ્વજા પૂજન કરાવ્યું હતું. તેમજ પરિવાર દ્વારા આયોજિત હે રાસોત્સવમા આમંત્રિત મહેમાનો અને મિત્રમંડળ મન મૂકી રાસ રમ્યા હતા.
અને રાત્રિના 12:00 વાગ્યે જન્મદિવસની ઉજવણી દ્વારકાધીશ ના નાદ સાથે કેક કાપી મિત્રો સાથે જન્મદીનની ભવ્ય ઉજવણી કરી હતી. જન્મ દિનની ઉજવણીમા રાજકીય અને સામાજીક ક્ષેત્રે રાજુભાઈ રામોલિયાના યોગદાનની પ્રશંસા કરી તેમના દીર્ઘાયુ અને તંદુરસ્તી માટે સૌ કોઇ એ શુભકામનાઓ પાઠવી હતી.વધુમાં તાલુકાના લોકોનું કહેવું છે કે રાજુભાઈ રામોલિયા એ દિવસ અને રાત ફિલ્ડમા રહી કાલાવડ તાલુકાના પ્રશ્નોને વાચા આપવાના સતત પ્રયત્નો કર્યા છે. જેની સૌ કોઇ એ નોંધ લઈ બિરદાવ્યા હતા.સવારે શોભાયાત્રામા ધ્વજાજી સાથે દ્વારકા નગરીની શેરીઓમાં ડી.જે.ના તાલ સાથે સૌ કોઈ જૂમી ઉઠ્યા હતા. અને દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી જગત મંદિરના શિખરે ધ્વજા લહેરાવવામાં આવી હતી. અને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.આ કાર્યક્રમમાં રામોલિયા પરિવારના તમામ પરિવારજનો, સંતો મહંતો,રાજકીય મહાનુભાવો, પત્રકારો,સામાજિક અગ્રણીઓ, મિત્રમંડળ, સગાવ્હાલાઓ તેમજ નિકાવા થી અને બહાર ગામો માથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બપોરે મહાપ્રસાદ નું ભવ્ય આયોજન કર્યું હતું.
ક્રાઇમ
ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ
ખંભાળિયામાં રહેતા એક મુસ્લિમ પરિવારના સગીર દ્વારા પોતાના ફઈ ઉપર દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ સામે આવ્યો છે.
ખંભાળિયા શહેરના આ ચકચારી બનાવની જાણવા માટે વિગત મુજબ શહેરના એક વિસ્તારમાં રહેતા સગીર વયના કિશોર દ્વારા પોતાના પુખ્ત વયના ફઈબા ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ બનાવને અનુલક્ષીને અહીંના ડી.વાય.એસ.પી. ડો. હાર્દિક પ્રજાપતિ તેમજ પી.આઈ. બી.જે. સરવૈયાની ટીમ દ્વારા ફરિયાદ દાખલ કરવા તેમજ સગીર વયના કિશોરની અટકાયત કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.
ભોગ બનનાર આ મુસ્લિમ યુવતી અસ્થિર મગજની હોવાનું પણ બહાર આવ્યું છે. આ બનાવમાં સગીરના કાકા દ્વારા અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને અનુલક્ષીને પોલીસ દ્વારા સગીર વયના કિશોરની અટકાયત કરી, આ દુષ્કર્મ કેસમાં કપડાં સહિતના અન્ય પુરાવાઓ એકત્ર કરાયા હતા. સાથે સાથે ભોગ બનનાર યુવતીનું પણ મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું.
આજના ડિજિટલ અને મોબાઈલના યુગમાં સગીર વયના કિશોર દ્વારા ફઈ સાથે દુષ્કર્મ કરવાના આ બનાવે સભ્ય સમાજમાં ભારે ચર્ચા જગાવી છે.
ગુજરાત
કાલાવડના આંબેડકર નગરમાં જાતિ પ્રત્યે હડધૂત કરી યુવાન પર 4નો તલવારથી હુમલો
અગાઉના ઝઘડામાં વચ્ચે પડવાના મન દુ:ખથી કરાયો હુમલો
જામનગર જિલ્લાના કાલાવડ માં રહેતા એક દલિત યુવાન પર જૂની અદાવત ના મન દુ:ખના કારણે તલવાર- ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે એક દંપતિ સહિત ચાર સામે ફરિયાદ નોંધાવાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડમાં આંબેડકર નગરમાં રહેતા કરણ ભીખાભાઈ ધમમર નામના 21 વર્ષના યુવાને પોતાના ઉપર તલવાર -ધોકા-લાકડી જેવા હથિયાર વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે કાલાવડમાં રહેતા અશોકભાઈ અને તેની પત્ની ભાવનાબેન ઉપરાંત બે પુત્ર કરણ અશોકભાઈ અને અર્જુન અશોકભાઈ સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે ઇજાગ્રસ્ત યુવાન ને હોસ્પિટલમાં ખસેડાયો છે, અને તેને 15 ટાંકા લેવા પડ્યા છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાનના મિત્ર અને આરોપી સાથે અગાઉ ઝઘડો થયો હતો, તેમાં વચ્ચે આવવા બદલ આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે તમામ આરોપીઓ સામે હુમલા તથા એસ્ટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
જી.જી. હોસ્પિટલના પ્રથમ માળેથી દર્દીએ લગાવી છલાંગ: બાલબાલ બચ્યો: અનેક ફ્રેક્ચર
પોતાના પરિવાર સાથે કોઇએ માથાકૂટ કરી હોવાની વાતથી ભાગવા ગયો
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રથમ માળેથી એક દર્દીએ પડતું મૂકી દેતાં ભારે દોડધામ થઈ હતી. જેને અસંખ્ય ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે, અને તેનો જીવ બચ્યો છે. અને ફરીથી ઓર્થોપેડિક વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે.પોતાના ગામમાં માથાકૂટ થઈ હોવાનું અને હત્યા જેવી ગંભીર ઘટના બની હોવાનો સંદેશો મળતાં પોતે છલાંગ લગાવવાની કબુલાત આપી હતી.આ બનાવ ની વિગત એવી છે કે જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા મગનભાઈ મકવાણા નામના 39 વર્ષના યુવાનને બીમારી સબબ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં કેસ બારીના ઉપરના રૂૂમમાં દાખલ કરાયા બાદ આજે સવારે તેણે બારીમાંથી છલાંગ લગાવી દઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં ભારે દોડધામ થઈ છે.
ઉપરના માળેથી નીચે પડેલી બે ખુરશીઓ પર પોતે પડ્યો હોય તેના શરીરમાં અનેક ફ્રેક્ચરો થયા છે, જ્યારે બંને ખુરશી ના ભુકા ભૂલી ગયા હતા. જેને ફરી થી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન મોટા થાવરીયા ગામમાં માથાકૂટ થયો હોવાનો અને તેના પરિવારજનો પર હુમલો થવાની તેમજ હત્યા જેવી ગંભીર ઘટના બની હોવાનું કહ્યું હોવાથી પોતે પણ જીવવા માંગતો ન હોવાથી આ છલાંગ લગાવી દેવાની કબુલાત આપી હતી. જેથી તબીબો વગેરે પણ આશ્ચર્યમાં મુકાયા હતા. સમગ્ર મામલામાં સિટી બી. ડિવિઝન પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.
-
આંતરરાષ્ટ્રીય2 days ago
SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા
-
ક્રાઇમ2 days ago
ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો
-
રાષ્ટ્રીય20 hours ago
10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની
-
આંતરરાષ્ટ્રીય20 hours ago
નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા
-
ગુજરાત2 days ago
પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ
-
ગુજરાત2 days ago
આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત