રામનગર-ઉધમપુર હાઈવે પર કાર્ગોટ નજીક પેસેન્જર બસના ચાલકે કાબુ ગુમાવતાં નીચે ખાબકી, બચાવ કાર્ય ચાલુ
જમ્મુ અને કાશ્મીરના કાગોર્ટ નજીક રામનગર-ઉધમપુર હાઇવે પર આજે એક પેસેન્જર બસ પલટી જતાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે જેમને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, અને અધિકારીઓ બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચ્યા છે. જોકે, બચાવ કામગીરી હજુ ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની ધારણા છે.
સ્થાનિકો દ્વારા આપવામાં આવેલી પ્રારંભિક માહિતી મુજબ, રામ નગર વિસ્તારમાં કાગોર્ટ ગામ નજીક બસના ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો અને રસ્તા પરથી લપસી ગયો, જેના કારણે બસ પલટી ગઈ. સ્થાનિકોએ જણાવ્યું હતું કે દૂરના ગામથી ઉધમપુર જઈ રહેલી બસ વધુ ઝડપે દોડી રહી હતી જેના કારણે આ અકસ્માત થયો હતો.
વરિષ્ઠ અધિકારીઓ બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે, અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટએ ઘટનાની નોંધ લીધી છે, અધિકારીઓને ઇજાગ્રસ્તોને ઝડપી સારવાર પૂરી પાડવા સૂચના આપી છે.
ઉધમપુરમાં સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલની ટીમોને પણ એલર્ટ કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહે પણ ઉધમપુર જિલ્લા કમિશનર મિંગા શેરપા સાથે અકસ્માત અંગે વાત કરી હતી, અને ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. ઉધમપુરના લોકસભા સાંસદ સિંહે કહ્યું હતું કે તેઓ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.
