તા. 14 ડિસેમ્બરથી શરૂૂ થયેલા ધનુર્માસ દરમ્યાન બેટના દ્વારકાધીશ મંદિરમાં સમગ્ર માસ દરમ્યાન ઠાકોરજીના નિત્યક્રમમાં જરૂૂરી ફેરફાર નોંધાય છે.
ત્યારે દ્વારકા યાત્રાધામમાં ભાવિકોની ખાસ ભીડ રહેતી હોય, આ માસ દરમ્યાન ચાર અલગ અલગ દિવસોએ ધનુર્માસની પરંપરાનુસાર ઠાકોરજીનો નિત્યક્રમ યોજાય છે. જે ક્રમ મુખ્યત્ત્વે ગુરૂૂવાર તથા મંગળવારે કરવામાં આવે છે.
જગતમંદિરના પૂજારીના જણાવ્યાનુસાર આ વખતે તા. 16, 23 અને 25 મી ડિસેમ્બર તેમજ 8 જાન્યુઆરી 2026 ના રોજ જગતમંદિરમાં ધનુર્માસ અનુસાર ઠાકોરજીનો નિત્યક્રમ રહેશે. ધનુર્માસમાં ઠાકોરજીને સૂર્યોદય પહેલાં અભિષેકનું મહત્ત્વ હોય. તા. 16 મી ડિસેમ્બરે ધનુર્માસ ક્રમનો પ્રથમ દિવસ હોય, ઠાકોરજીની મંગલા આરતી સવારે 5:30 વાગ્યે કરવામાં આવી હતી.
બાદમાં સૂર્યોદય પહેલા ઠાકોરજીને સ્નાનાદિ અભિષેક ક્રમ થશે. ધનુર્માસના ચાર દિવસોમાં જગતમંદિરમાં સવારે 5:30 થી 10:30 સુધીમાં સાત ભોગ તથા બે આરતીનો ક્રમ યોજાય છે. સવારે 9:45 વાગ્યે ઠાકોરજીને રાજભોગ અર્પણ કરાય છે અને 10:30 વાગ્યે અનોસર (મંદિર બંધ) થાય છે. સાંજનો ક્રમ નિત્યક્રમ અનુસાર યોજવામાં આવે છે.
