ચોટીલાના નાનિયાણી ગામે પરિણીતાએ ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા મોત

મૃતકના એક વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા ચોટીલામાં આવેલ નાનીયાણી ગામે ઝુંપડામાં રહેતા નયનાબેન સાગરભાઇ ચૌહાણ નામના 21 વર્ષના પરિણીતાએ ઘાસમાં છાંટવાની ઝેરી દવા…

મૃતકના એક વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા

ચોટીલામાં આવેલ નાનીયાણી ગામે ઝુંપડામાં રહેતા નયનાબેન સાગરભાઇ ચૌહાણ નામના 21 વર્ષના પરિણીતાએ ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે રાજકોટની ગિરિરાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં તેમનું સારવારમાં મોત નીપજ્યું હતું.તેમના લગ્નને એક વર્ષ થયાં હતાં અને તેમનું માવતર ચોટીલાના મોલડીમાં આવ્યું છે.તે એક ભાઈ અને બે બહેનમાં મોટી અને પતિ ખેતીકામ કરે છે. જ્યારે બીજી ઘટનામાં ચોટીલાના તંબોડા ગામે રહેતા વાલજીભાઈ ભીમાભાઇ રાઘવાણી નામના 45 વર્ષના આધેડ આજે પોતાના વાડીએ પાણીની મોટરમાં છેડા આપતા હતા ત્યારે શોટ લાગતા તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *