વધારાના દાખલા માટે ચૂકવવો પડશે લાકડા જેવો ચાર્જ
રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ નોંધણી વિભાગમાં આજથી પ્રથમ પાંચ દાખલા મફત આપવાનો પ્રારંભ કરાયો હતો.
કોર્પોરેશન દ્વારા જન્મ કે મરણના પ્રથમ પાંચ દાખલા નિ:શુલ્ક આપવાનો નિર્ણય લેવાયો હતો જે મુજબ આજથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જયારે પાંચથી વધારે કોઇને જન્મના દાખલા જોઇતા હોય તો દરેક દાખલા દિઠ રૂા.50 ફી નક્કી કરવામાં આવી છે. અગાઉ વધારાના દાખલાની ફી માત્ર રૂા.પાંચ હતી તે વધારીને હવે રૂા.20 કરી નાખવામાં આવી છે.
જયારે મૃત્યુના પાંચ દાખલા મફત અપાયા બાદ વધારાના દરેક દાખલા દિઠ રૂા.50ની ફી વસુલવામાં આવનાર છે.
