રાજા દશરથ ગૈયા લૂટાને, કંગના લૂટાવે તીનો મૈયા, જન્મે હૈ રામ રઘુરૈયા, રાજકોટ મેં બાજે બધૈયા

  રાજકોટમાં ગઇકાલે રવિવારે રામનવમીની ઠેરઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિતે શહેરમાં રામ અવતારને જીવંત કરતા ફલોટસ સાથે વિવિધ ધાર્મિક સંસ્થાઓના કાર્યકરો મોટી…

 

રાજકોટમાં ગઇકાલે રવિવારે રામનવમીની ઠેરઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિતે શહેરમાં રામ અવતારને જીવંત કરતા ફલોટસ સાથે વિવિધ ધાર્મિક સંસ્થાઓના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને જયશ્રીરામના નારા લગાવી વાતાવરણ ધર્મમય બનાવી દીધું હતું. આજ રીતે કાલાવડ રોડ ઉપર આવેલ ઇસ્કોન મંદિરમાં રામ નવમી મહોત્સવ અને શ્રીશ્રી રાધા નીલમાધવ ધામના 22માં બ્રહ્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેનો 1.50 લાખથી વધુ લોકોએ લાભ લીધો હતો. અંદાજે એક લાખ લોકોએ મહાપ્રસાદ લીધો હતો. (તસવીર: મુકેશ રાઠોડ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *