આઈપીએલની 2025ની સિઝનમાં પ્રથમ સદી ફટકારનાર ઈશાન પોતાની વાત કરી હતી. એક ખેલાડીએ ખરાબ સમયમાં શું કરવું જોઈએ તેના વિશે પણ વાત કરી હતી.
ટીમની બહાર રહ્યાનું દર્દ ઈશાન કિશનની અંદર હોય તેવું લાગે છે. તેણે કહ્યું કે વિશ્વમાં તમારા વિશે તો ઘણી વાતો થવાની. તમારે તેના તરફ ધ્યાન દેવાની જરૂૂર નથી. કારણે કે તમારા માટે એ કંઈ કામનું નથી. માત્ર રમતનો આનંદ લો અને તમારી જાત પર વિશ્વાસ રાખો. એ તમે જ જાણો છો કે તમે શું છો. તમે જ જાણો છો કે તમે બેસ્ટ છો. તમારે મેદાન પર ઉતરીને જ એ લોકોને બતાવવાનું છે કે તમે શું છો.
મેદાન પર આપેલી ફ્લાઈંગ કીસ મે મારા ચાહકોને અને મારો ભાઈ સ્ટેડિયમમાં હતો તેને આપી હતી. હું ખૂબ જ સખત પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તૈયારી ખૂબ સારી હતી, અને મારો આત્મવિશ્વાસ વધી ગયો છે.
