આજે ભૂલથી પણ હોલિકા દહનની પવિત્ર અગ્નિમાં ન નાખતા આ 5 વસ્તુઓ, જીવનમાં વધી જશે મુશ્કેલીઓ

    આજે પવિત્ર હોળીનો તહેવાર સમગ્ર રાજ્ય સહિત સમગ્ર દેશના લોકો આ રંગોથી ભરેલા આ તહેવારની ઉજવણી ધામધૂમ પૂર્વક કરતા હોય છે. હોલિકા દહનના…

 

 

આજે પવિત્ર હોળીનો તહેવાર સમગ્ર રાજ્ય સહિત સમગ્ર દેશના લોકો આ રંગોથી ભરેલા આ તહેવારની ઉજવણી ધામધૂમ પૂર્વક કરતા હોય છે. હોલિકા દહનના દિવસે લોકો હોલિકા ની પવિત્ર અગ્નિમાં છાણાંની માળા, તલ અને સૂકા નારિયેળ ચઢાવતા જોવા મળે છે. ચાલો જાણીએ હોલિકા દહનમાં શું ના ચઢાવવું?

હોલિકાના પવિત્ર અગ્નિમાં ગંદા કપડા, ટાયર કે પ્લાસ્ટિકની વસ્તુઓ ન નાખવી. એવું માનવામાં આવે છે કે આ હોળી માતાનું અપમાન કરે છે અને પર્યાવરણ માટે પણ સારું નથી.

હોલિકાની અગ્નિમાં પાણી સાથે નારિયેળ ન નાખવું જોઈએ. તેમાં માત્ર સૂકું નારિયેળ અર્પણ કરવું જોઈએ. અન્યથા કુંડળીમાં ચંદ્રની સ્થિતિ બગડે છે.

હોલિકા દહનમાં ફર્નિચરમાંથી તૂટેલી લાકડાની વસ્તુઓને બાળવી ન જોઈએ. તેનાથી શનિ, રાહુ અને કેતુનો અશુભ પ્રભાવ વધે છે. તેથી આ વસ્તુઓને હોલિકા અગ્નિમાં નાખવાથી બચવું જોઈએ.

કેટલાક લોકો હોલિકા દહનના અગ્નિમાં મીઠી વાનગીઓ અથવા ગુજિયા પણ ચઢાવે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ હોલિકા દહનના દિવસે કંઈક આવું કરો છો, તો ધ્યાનમાં રાખો કે તેની સંખ્યા ત્રણ ન હોવી જોઈએ.

સૂકા ઘઉંના અને સૂકા ફૂલ હોલિકા અગ્નિમાં ન નાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી હોલિકા દહનનું શુભ ફળ મળતું નથી, બલ્કે જીવનમાં દુર્ભાગ્ય વધવા લાગે છે. આવી સ્થિતિમાં હોલિકા દહનના દિવસે આ વાતનું ખાસ ધ્યાન રાખવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *