‘રોહિત શર્માને ટીમમાંથી બહાર કાઢવો જોઈએ’, TMC સાંસદે શમા મોહમ્મદને આપ્યું સમર્થન

  કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શમા મોહમ્મદને ક્રિકેટ કેપ્ટન રોહિત શર્મા વિશેની ટિપ્પણી બાદ ભારે ટ્રોલ કરવામાં આવી રહી છે, પરંતુ હવે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સૌગાતા…

 

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શમા મોહમ્મદને ક્રિકેટ કેપ્ટન રોહિત શર્મા વિશેની ટિપ્પણી બાદ ભારે ટ્રોલ કરવામાં આવી રહી છે, પરંતુ હવે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સૌગાતા રોય તેમના સમર્થનમાં આવ્યા છે. સૌગત રોયનું કહેવું છે કે રોહિત શર્મા ટીમમાં ન હોવો જોઈએ.

ANI અનુસાર, TMC સાંસદ સૌગતા રોયે કહ્યું, “રોહિત શર્મા વિશે જે કહેવામાં આવ્યું તેની સાથે હું સંપૂર્ણપણે સંમત છું. શમા મોહમ્મદે આ વાત રાજકારણી તરીકે નહીં પરંતુ એક દર્શક તરીકે કહી છે. રોહિત શર્માને કેટલા દિવસ માટે છૂટ આપવામાં આવશે. તેણે બે વર્ષમાં એકવાર સદી ફટકારી છે. તે 2, 5, 10 અને 20 રનમાં આઉટ થાય છે.”

સૌગત રોયે કહ્યું, “રોહિત શર્માને ન તો ટીમમાં સ્થાન મળવું જોઈએ અને ન તો તેને સરમુખત્યાર બનાવવો જોઈએ. કોંગ્રેસના નેતાએ જે પણ કહ્યું છે તે બિલકુલ સાચું છે. તેને પોતાના વજનની બિલકુલ પરવા નથી. આ લોકો માત્ર જાહેરાતોમાં જ મોડલ બને છે. સ્પોર્ટ્સમાં મોડલ નથી બનતા.’

https://x.com/ANI/status/1896470775206744414

જ્યારે સૌગતા રોયને પૂછવામાં આવ્યું કે તેના અનુસાર કયો ખેલાડી સારૂ રમે છે તો રોયે કહ્યું, “હાલમાં ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા નવા ખેલાડીઓ આવ્યા છે જે સારું રમી રહ્યા છે. જો આપણે ફિટનેસ પર નજર કરીએ તો જસપ્રીત બુમરાહ શ્રેષ્ઠ કેપ્ટન બની શકે છે. તે અત્યારે ઈજાગ્રસ્ત છે અને રમી રહ્યો નથી. નવા છોકરાઓમાં શ્રેયસ જેવા છોકરાઓ કેપ્ટન બની શકે છે, પરંતુ રોહિતને ટીમમાં સ્થાન મળવું જોઈએ નહીં.”

કોંગ્રેસ પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે રોહિત શર્મા વિશે ટિપ્પણી કરતા સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, ‘રોહિત એક ખેલાડી તરીકે જાડો છે. તેને વજન ઘટાડવાની જરૂર છે અને હા, તે ભારતનો અત્યાર સુધીનો સૌથી નિરાશાજનક કેપ્ટન.’

કોંગ્રેસ નેતા ડૉ. શમા મોહમ્મદે વિવાદ વધવા પર પોતાની પોસ્ટને લઈને સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે ‘મારી ટ્વીટ એક ખેલાડીની ફિટનેસને લઈને સામાન્ય ટ્વિટ હતી. જેમાં કોઈના મેદસ્વીપણાને મજાક બનાવવામાં આવી નથી. મારું હંમેશાથી માનવું રહ્યું છે કે ખેલાડીએ ફિટ હોવું જોઈએ અને મને લાગે છે કે રોહિત શર્મા થોડા જાડા છે. તો મે આ વિશે ટ્વિટ કરી દીધી. મારી ઉપર કારણ વિના નિશાન સાધવામાં આવી રહ્યું છે. મે તેમની પૂર્વ કેપ્ટન સાથે સરખામણી કરી અને આ મારો અધિકાર છે. આ કહેવામાં ખોટું શું છે? આ લોકતંત્ર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *