બાબા સાહેબ વિશે અપમાનજનક ટિપ્પણી બદલ અમિત શાહ સામે કાર્યવાહીની આપની માંગ

  જામનગર શહેરમાં આમ આદમી પાર્ટીએ ભારતના ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સંસદમાં ડો. બાબા સાહેબ આંબેડકર વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ…

 

જામનગર શહેરમાં આમ આદમી પાર્ટીએ ભારતના ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
સંસદમાં ડો. બાબા સાહેબ આંબેડકર વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ગૃહમંત્રી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જિલ્લા પોલીસ વડાને આવેદન પાઠવ્યું છે.

આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢાની આગેવાની હેઠળ પાર્ટીના કાર્યકરોએ જિલ્લા પોલીસ કચેરીએ પહોંચી આવેદન આપતાં જણાવ્યું હતું કે, ગૃહમંત્રી જેવા ઉચ્ચ પદ પર બેઠેલા વ્યક્તિ દ્વારા આ પ્રકારની ટિપ્પણી કરવી એ દેશના સંવિધાનના નિર્માતાનું અપમાન છે.

આમ આદમી પાર્ટી આવા કૃત્યનો ઉગ્ર વિરોધ કરે છે અને ગુનેગારને કાયદાના કઠોર હાથે સોંપવાની માંગ કરે છે.
આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જણાવ્યું હતું કે, ડો. બાબા સાહેબ આંબેડકર દલિત સમાજના મહાન નેતા હતા અને તેમણે દલિતોના ઉત્થાન માટે આખું જીવન સમર્પિત કર્યું હતું. તેમના વિચારો અને કાર્યો આજે પણ પ્રેરણાદાયી છે.

આવા મહાન વ્યક્તિ વિશે અપમાનજનક ટિપ્પણી કરવી એ દેશના સંવિધાન અને લોકશાહીનું અપમાન છે. આમ આદમી પાર્ટીએ સરકારને આ મામલે ગંભીર કાર્યવાહી કરવાની માંગ કરી છે અને જો આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *