રાજકોટના મહિલા કોલેજ અંડર બ્રિજમાં ચાર માસ પૂર્વે આંતક મચાવનાર કહેવાતા મહંત યોગી ધરમનાથ ઉર્ફે જીજ્ઞોશ નવીનચંદ્ર ધામેલિયાના વાગુદળ જવાના રસ્તે વડ-વાજડી ગામની સીમમાં આવેલા આશ્રમમાં મળેલા બે છોડ ગાંજાના હોવાનો રીપોર્ટ આવતા આ મામલે મેટોડા પોલીસમાં મહંત સામે રૂૂ.64900ની કિમતનનો 6 કિલો 490 ગ્રામ ગાંજા અંગે ગુનો નોંધ્યો છે.
ચાર માસ પૂર્વે ગત તા 3/9/2024ના રોજ કાલાવડ રોડ ઉપર આતંક મચાવનાર કહેવાતા મહંત અને તેના કહેવાતા ત્રણ શિષ્યો વિરૂૂધ્ધ રાજકોટ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ ગ્રામ્ય એસઓજીના પી.આઈ પારગી અને પીએસઆઈ બી.સી.મિયાત્રા અને તેમની ટીમે મહંત યોગી ધરમનાથ ઉર્ફે જીજ્ઞોશ ધામેલિયાના વડ-વાજડી ગામની સીમમાં સરકારી ખરાબાની જમીનમાં દબાણ કરી બનાવી લીધેલા આશ્રમમાં એફએસએલ અધિકારી અને સરકારી પંચોને લઇને ગત તા 4/9/2024ના રોજ દરોડો પાડ્યો હતો જેમાં તપાસ કરતાં બે છોડ મળી આવ્યા હતાં. આ બંને છોડ ગાંજાના જ છે કેમ તે જાણવા માટે ગાંધીનગર એફએસએલમાં પૃથક્કરણ અર્થે મોકલાયેલ છોડ ગાંજાના હોવાનો રીપોર્ટ આવતા આ મામલે એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એસઓજીએ જે તે વખતે રૂૂ.64900ની કીમતનો 6 કિલો 490 ગ્રામ ગાંજો કબજે કર્યો હતો.
