કાલે ઉત્પત્તિ એકાદશી: ઉપાસના કરનાર મળશે સર્વ સિદ્ધિઓ

કારતક વદ અગિયારસ ને મંગળવાર તા 26.11.24 ઉત્પત્તિ એકાદશી છે ખાસ કરીને આ એકાદશી માટે નિયમ પ્રમાણે સોમવારે રાત્રિનું ભોજન કરવું જોઈએ નહીં એટલે કે…


કારતક વદ અગિયારસ ને મંગળવાર તા 26.11.24 ઉત્પત્તિ એકાદશી છે ખાસ કરીને આ એકાદશી માટે નિયમ પ્રમાણે સોમવારે રાત્રિનું ભોજન કરવું જોઈએ નહીં એટલે કે આગલા દિવસે રાત્રી એ પણ ફરાળ લેવું ત્યાર બાદ મંગળવારે દિવસે સવારના વહેલા ઊઠી નિત્ય કર્મ કરી અને વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું આખો દિવસ એકટાણું અથવા ઉપવાસ રહેવો. ભગવાનને નેવેદ્ય માં ફક્ત ફળો નો પ્રસાદ અને બદામ ધરાવવી બપોરના સૂવું નહીં રાત્રી ના 12 વાગ્યા સુધી નું જાગરણ કરવું સાંજના સમયે શ્રી કૃષ્ણ ભગવાનનું કીર્તન અને ભજન કરવા અથવા તો શ્રીકૃષ્ણ શરણમ મમ મંત્ર ના જપ કરવા ઉત્તમ રહેશે તથા એકાદશી ની કથા સાંભળવીએકાદશી ની વ્રત કથા : મુર નામના રાક્ષસે પ્રજાને રંજાડવા માંડી. દેવો પ્રજા ની મદદ ગયા. મુરે દેવોને પણ ન છોડયા . તેમનો પણ પરાજય કર્યો. ભગવાન વિષ્ણુ દેવો ની મદદ કરવા આવ્યા . પણ મુરે વિષ્ણુને પણ હરાવ્યા, વિષ્ણુ હારીને બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા . મુર તેમની પાછળ દોડયો. ભગવાન એક ગુફામાં સૂતા હતા ત્યાં આ રાક્ષસ આવી પહોંચ્યો. રાક્ષસ જેવો વિષ્ણુને મારવા જતો હતો ત્યાં જ વિષ્ણુ ભગવાનના દેહમાંથી એક દેવી ઉત્પન્ન થયા.


તેમણે રાક્ષસને હણ્યો. દેવો ને પ્રજાને મુક્તિ અપાવી. આ દેવી તે જ ઉત્પત્તિ એકાદશી.. વિષ્ણુએ એકાદશીને કહ્યું : પ હું તારા પર પ્રસન્ન થયો છું . તારી ઇચ્છામાં આવે તે માંગી લે .! એકાદશીએ કહ્યું: પહું સર્વ તિથિઓમાં ઉત્તમ સર્વ વિઘ્નને હરનારી તથા બળ આપનારી બનું . જે મનુષ્યો મારા દિવસે પરમ ભક્તિથી ઉપવાસ કરશે તેને સર્વ સિદ્ધિઓ મળશે…..
બોધ
ઉત્પતિ એકાદશી નો બોધ

જો તમે સાચું કાર્ય કર્તા હો સાચા લોકો ની મદદ કરતા હો તેમાં કોઈપણ જાતની મુસીબત આવે તોપણ ડરવું નહીં અંતે સત્ય કાર્ય થઈ ને જ રહેશે અ ેટલે કે સત્યનો વિજય થઈને જ રહેશે વિષ્ણુ ભગવાન પણ દેવતાઓની અને પ્રજા જનો ની મદદ કરવા ગયેલા આથી અંતે વિષ્ણુ ભગવાનનો જ વિજય થયેલો આમ સત્યનો વિજય થાય જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *