યુપીમાં કાર-ટ્રક અકસ્માતમાં એક જ પરિવારના 4 સહિત 8ના મોત

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં દેવા-ફતેહપુર રોડ પર સોમવારે મોડી રાત્રે થયેલા ભયાનક રોડ અકસ્માતમાં ઝવેરીના પરિવારના તમામ સભ્યો સહિત કુલ 8 લોકોના મોત થયા છે. કલ્યાણી…

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં દેવા-ફતેહપુર રોડ પર સોમવારે મોડી રાત્રે થયેલા ભયાનક રોડ અકસ્માતમાં ઝવેરીના પરિવારના તમામ સભ્યો સહિત કુલ 8 લોકોના મોત થયા છે. કલ્યાણી નદીના પુલ પર એર્ટિગા કાર અને ટ્રક વચ્ચે થયેલી સામસામેની ટક્કર એટલી ગંભીર હતી કે કાર સંપૂર્ણપણે નાશ પામી ગઈ હતી. પરિવાર કાનપુરના બિથૂરથી ગંગામાં સ્નાન કરીને પરત ફરી રહ્યો હતો.

મૃતક પરિવાર ફતેહપુર કોતવાલી વિસ્તારના મુન્શીગંજ વિસ્તારનો રહેવાસી હતો. પ્રદીપ કુમાર સોની (60) સોમવારે રાત્રે કાનપુરના બિથુરથી પોતાના પરિવાર સાથે પવિત્ર નદીના દર્શન કરીને અને ગંગામાં સ્નાન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. ફતેહપુર કોતવાલી વિસ્તારના કુટલુપુર ગામ નજીક કલ્યાણી નદીના પુલ પર તેમની એર્ટિગા કાર એક ઝડપી ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં કાર કચડી ગઈ હતી. પ્રદીપ કુમાર સોની, તેમની પત્ની માધુરી રસ્તોગી (58), પુત્રો નીતિન (35) અને નૈમિષ (15), તેમજ બાલાજી ઉર્ફે મહેશ મિશ્રા (55) અને ડ્રાઇવર શ્રીકાંત શુક્લા (50)નું ઘટનાસ્થળે જ દુ:ખદ મૃત્યુ થયું હતું. ગંભીર રીતે ઘાયલ 55 વર્ષીય ઇન્દ્રપાલ અને 15 વર્ષીય વિષ્ણુને લખનૌ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બાદમાં તેમનું મોત નીપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *