રાજસ્થાનમાં શાળાની છત ધરાશાયી થતાં 7 બાળકોનાં મોત, 28 ગંભીર

રાજસ્થાનના ઝાલાવાડમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. અહીં પ્રાર્થના સમયે જ એક શાળાની છત તૂટી પડવાથી ઘણા બાળકો ફસાયા હોવાની આશંકા છે. અકસ્માત બાદ…

રાજસ્થાનના ઝાલાવાડમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. અહીં પ્રાર્થના સમયે જ એક શાળાની છત તૂટી પડવાથી ઘણા બાળકો ફસાયા હોવાની આશંકા છે. અકસ્માત બાદ છત નીચે દટાયેલા બાળકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 5 બાળકોના મોત થયા છે. જયારે 40 બાળકો કાટમાળ નીચે દબાયાની આશંકા છે.

મામલો રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના મનોહરથાણા બ્લોકનો છે. શુક્રવારે સવારે અહીં સ્થિત પીપલોડી સરકારી શાળામાં એક મોટો અકસ્માત થયો હતો, જ્યાં શાળાની ઇમારત ધરાશાયી થવાથી 5 બાળકોના દુ:ખદ મોત થયા હતા અને 30 થી વધુ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ તરત જ, ગ્રામજનો અને શાળાના કર્મચારીઓએ મળીને કાટમાળ નીચે દટાયેલા બાળકોને બહાર કાઢ્યા હતા. તમામ ઘાયલોને મનોહરથાણા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી 11 બાળકોને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. રાહત કાર્ય ચાલુ છે અને કાટમાળ દૂર કરવા માટે જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આજે સવારે શાળાના બાળકો વર્ગખંડમાં અભ્યાસ કરી રહ્યા હતા. આ દરમિયાન શાળાની જર્જરિત દિવાલ ધરાશાયી થઈ ગઈ. અકસ્માત બાદ લગભગ 25 બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા. દટાયેલા બાળકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કાટમાળ નીચે દટાયેલા બાળકોને બહાર કાઢવા માટે સ્થાનિક લોકો બુલડોઝર સાથે પ્રયાસો પણ કરી રહ્યા છે.

ઝાલાવાડ જિલ્લાના મનોહર પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલોદ ગામમાં આ અકસ્માત પ્રકાશમાં આવ્યો છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે શાળાની છત ઘણા સમયથી જર્જરિત થઈ રહી હતી અને સતત ભારે વરસાદને કારણે છત તૂટી પડવાની શક્યતા હતી. ગંભીર રીતે ઘાયલ બાળકોને ઝાલાવાડ જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ગામલોકો પણ કાટમાળ દૂર કરવામાં બચાવ ટીમ સાથે સંપૂર્ણ રીતે જોડાયેલા છે. આ શાળા પીપલોદ ગામમાં બનાવવામાં આવી હતી. માહિતીમાં એ પણ ખુલાસો થયો છે કે કાટમાળ નીચે દટાયેલા બધા બાળકો 7મા ધોરણના હતા. અકસ્માત સમયે બાળકો તેમના વર્ગમાં અભ્યાસ કરી રહ્યા હતા.

મામલાની ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપતા શિક્ષણમંત્રી

આ અકસ્માત અંગે રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરનું નિવેદન બહાર આવ્યું છે. તેમણે કહ્યું કે તમામ બાળકોની સારવાર સરકારી ખર્ચે થવી જોઈએ અને આ મામલાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવશે. દિલાવરે કહ્યું કે જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરવામાં આવી છે અને તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ સાથે, આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે પણ વાત કરવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *