વિસાવદરના મેઈન બજારમાં આવેલી આસ્થા જ્વેલર્સમાં ચોરીની ઘટના સામે આવી છે. દુકાનના માલિક કાન્તીભાઈ ગીરધરભાઈ ભુવાએ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ગત 25 માર્ચના રોજ સાંજે સાત વાગ્યાના સુમારે બે અજાણી મહિલાઓ દુકાનમાં ગ્રાહક બનીને આવી હતી. તેમણે બુટ્ટીઓ જોવાનું કહ્યું હતું. આ દરમિયાન દુકાનદારની નજર ચૂકવીને 17 જોડી સોનાની બુટ્ટીઓની ચોરી કરી હતી. ચોરાયેલી બુટ્ટીઓનું કુલ વજન 63.300 ગ્રામ છે અને તેની કિંમત રૂૂપિયા 1,98,000 થાય છે.
માતૃ શક્તિ સોસાયટીમાં રહેતા 59 વર્ષીય કાન્તીભાઈ ભુવાએ ઘટના બાદ દોઢ મહિના પછી પોલીસ ફરિયાદ નોંધાવી છે. વિસાવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.પી. વાઘેલાએ આ મામલે તપાસ શરૂૂ કરી છે.
