31 ડિસેમ્બર સુધી મુસાફરોને મળશે સુવિધા
મુસાફરોની વધતી માંગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-વેરાવળ પેસેન્જર ટ્રેનમાં અસ્થાયી રૂૂપે 11 વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન સં. 59421 (રાજકોટ વેરાવળ પેસેન્જર)માં આજથી 31 ડિસેમ્બર અને ટ્રેન સં. 59422 (વેરાવળ- રાજકોટ પેસેન્જર)માં 1 નવેમ્બરથી 01 જાન્યુઆરી 2026 સુધી 11 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.
આ અસ્થાયી વધારો આગામી તહેવારોના સમયગાળા દરમિયાન મુસાફરોની વધુ ભીડને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, જેથી મુસાફરોને મુસાફરી દરમિયાન વધુ સુવિધા મળી શકે અને તેમની યાત્રા સરળ અને સુરક્ષિત બની શકે.
