ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખ મૌલાના રશિદીએ બંડ પોકાર્યો
કેન્દ્ર સરકારે સત્તાવાર પ્રસંગોએ “વંદે માતરમ” ના તમામ છ શ્ર્લોક વગાડવા અથવા ગાવાનું ફરજિયાત બનાવ્યું છે, જેનો મુસ્લિમ સંગઠનો અને સમુદાયના નેતાઓએ વિરોધ કર્યો છે. વંદે માતરમ અંગે, મૌલાના સાજીદ રશીદીએ કહ્યું, “અમે અમારા માથા ઉતારીશું, પરંતુ રાષ્ટ્રગીતમાંથી ચોક્કસ પંક્તિઓ નહીં વાંચીએ.”
કેન્દ્ર સરકારે રાષ્ટ્રગીત ’વંદે માતરમ’ અંગે નવી માર્ગદર્શિકા જારી કરી છે, જેમાં રાષ્ટ્રગીત ’જન ગણ મન’ ની જેમ જ વંદે માતરમનું સન્માન કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. નવા પ્રોટોકોલ હેઠળ, તમામ સરકારી કાર્યક્રમોમાં રાષ્ટ્રગીતના તમામ છ શ્ર્લોક વગાડવામાં આવશે અથવા ગાવામાં આવશે. આનાથી મુસ્લિમ નેતાઓએ વિરોધ દર્શાવ્યો છે.
ઓલ ઈન્ડિયા ઇમામ એસોસિએશનના પ્રમુખ મૌલાના સાજિદ રશીદીએ વંદે માતરમના તમામ શ્ર્લોકો ગાવાનો વિરોધ વ્યક્ત કર્યો છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું, “આપણે આપણા માથા કાપી શકીએ છીએ, પરંતુ રાષ્ટ્રગીતની તે ચોક્કસ પંક્તિઓ (બાકીની ચાર પંક્તિઓ) ગાઈશું નહીં.
રાષ્ટ્રગીત પહેલાં વંદે માતરમના બધા છ શ્ર્લોકો વાંચવાનું ફરજિયાત બનાવવા અંગે સમાચાર એજન્સી અગઈં સાથે વાત કરતા મૌલાના સાજિદ રશીદીએ કહ્યું કે વંદે માતરમ 1937 થી વિવાદનો વિષય રહ્યો છે. 1937 માં, તે સમયના અગ્રણી નેતાઓ, જેમ કે અબુલ કલામ આઝાદ અને હુસૈન અહેમદ મદની, એ કોંગ્રેસ પાર્ટીને પત્ર લખીને કહ્યું હતું કે વંદે માતરમની કેટલીક પંક્તિઓ તેમની (મુસ્લિમ સમુદાયની) ધાર્મિક માન્યતાઓની વિરુદ્ધ છે. ત્યારબાદ કોંગ્રેસે એક ઠરાવ પસાર કર્યો અને વંદે માતરમમાંથી તે પંક્તિઓ દૂર કરી.
તેમણે વધુમાં કહ્યું કે 2016 ના સુપ્રીમ કોર્ટના ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે જે વ્યક્તિ વંદે માતરમ વાંચતી વખતે ઊભો ન રહે તેને દેશદ્રોહી ગણવામાં આવશે નહીં. તેમનું માનવું છે કે રાષ્ટ્રગીતમાં જે પંક્તિઓ દેશને “મા દુર્ગા” અને “મા સરસ્વતી” તરીકે દર્શાવે છે તે આપણી ધાર્મિક માન્યતાઓની વિરુદ્ધ છે. મુસ્લિમો પોતાના જીવનનું બલિદાન આપી શકે છે પરંતુ પોતાની ધાર્મિક માન્યતાઓ સાથે સમાધાન કરી શકતા નથી. ભલે આપણા માથા કાપી નાખવામાં આવે, આપણે રાષ્ટ્રગીતની તે ચોક્કસ પંક્તિઓ નહીં ગાઈએ. જો કોઈ આપણા પર આ હુકમ લાદવાનો પ્રયાસ કરશે, તો આપણે તેને સહન નહીં કરીએ. મુસ્લિમો રાષ્ટ્રગીતની તે ચોક્કસ પંક્તિઓ નહીં ગાઈએ.
