કચ્છ
ખાવડા નજીક વિશ્વના સૌથી મોટા ગ્રીન એનર્જી પાર્કનું નિર્માણ પુરજોશમાં
ગુજરાતના ભુજના ખાવડા પાસેના કરીમ શાહી ગામના મીઠાના રણમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના રિન્યુએબલ એનર્જી પાર્કના નિર્માણ સ્થળ પર સોલાર પેનલ ઇન્સ્ટોલેશન માટેના સપોર્ટ સ્ટ્રક્ચર પર કામદારો શિકંજો કસી રહ્યાં છે. ભારતને પાકિસ્તાનથી અલગ કરતા વિશાળ મીઠાના રણના ખુલ્લા વિસ્તારમાંથી ઉભરી રહેલો આ પ્રોજેક્ટ હવેથી ત્રણ વર્ષ પૂર્ણ થશે ત્યારે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ હશે.
સૌર અને પવન ઉર્જા પ્રોજેક્ટ એટલો મોટો હશે કે તે અવકાશમાંથી દેખાશે, પ્રોજેક્ટ સાઇટની સૌથી નજીકના ગામના નામ પરથી ખાવરા રિન્યુએબલ એનર્જી પાર્ક તરીકે ઓળખાશે.
આ સ્થળ પર હજારો કામદારો થાંભલાઓ લગાવે છે જેના પર સોલાર પેનલ લગાવવામાં આવશે. સ્તંભો સંપૂર્ણ રીતે સંરેખિત કોંક્રિટ કેક્ટસની જેમ વધે છે તમારી જ્યાં સુધી આંખો જોઈ શકે ત્યાં સુધી આ નજારો તમે જોઈ શકો છો. અન્ય કામદારો વિશાળ વિન્ડ ટર્બાઇન સ્થાપિત કરવા માટે પાયો બનાવી રહ્યા છે; તેઓ બાંધકામ સામગ્રીનું પરિવહન, સબસ્ટેશન બનાવવા અને અનેક કિલોમીટર સુધી તારોનું ઝૂમખું તૈયાર કરશે. અદાણીએ આજે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, અમે વિશ્વના સૌથી મોટા ગ્રીન એનર્જી પાર્કનું નિર્માણ કરી રહ્યા છીએ ત્યારે રિન્યુએબલ એનર્જીમાં ભારતના પ્રભાવશાળી પગલામાં નિર્ણાયક ભૂમિકા ભજવવા બદલ ગર્વ અનુભવીએ છીએ. પડકારરૂૂપ આ રણમાં 726 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો આ સ્મારક પ્રોજેક્ટ અવકાશમાંથી પણ જોઈ શકાય છે. અમે 20 મિલિયન ઘરોને પાવર આપવા માટે 30ૠઠ જનરેટ કરીશું. ઉપરાંત, માત્ર 150 કિમી દૂર અમારી કર્મભૂમિ મુન્દ્રામાં, અમે સૌર અને પવન માટે વિશ્વની સૌથી વધુ વ્યાપક અને સંકલિત નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ. સોલાર એલાયન્સ અને આત્મનિર્ભર ભારત પહેલ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરીને, ટકાઉ ઉર્જા તરફની ભારતની સફરમાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂૂપ છે.
જ્યારે આ પ્રોજેક્ટ પૂર્ણ થશે, ત્યારે પ્રોજેક્ટ સિંગાપોર જેટલો મોટો હશે, જે 726 ચોરસ કિલોમીટર (280 ચોરસ માઇલ)ને આવરી લેશે. ભારત સરકારનો અંદાજ છે કે તેના પર ઓછામાં ઓછા 2.26 બિલિયનનો ખર્ચ થશે.
ચાલુ ઈઘઙ28 ક્લાઈમેટ સમિટમાં રિન્યુએબલ એનર્જીમાં સ્થળાંતર એ મુખ્ય મુદ્દો છે. કેટલાક નેતાઓએ કોઈપણ અંતિમ કરારમાં વિશ્વભરમાં નવીનીકરણીય ઉર્જાને ત્રણ ગણો વધારવાના ધ્યેય માટે સમર્થન વ્યક્ત કર્યું છે જ્યારે કોલસો, તેલ અને કુદરતી ગેસના ઉપયોગ પર અંકુશ મૂક્યો છે, જે વાતાવરણમાં ગ્રહ-વર્મિંગ વાયુઓ ફેલાવે છે.
ગુજરાત માટે ગર્વની બાબત એટલે છે કે, પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં કચ્છના રણના મધ્યમાં થઈ રહી છે. રણ એ અક્ષમ્ય મીઠું રણ અને સૌથી નજીકના માનવ વસવાટથી ઓછામાં ઓછા 70 કિલોમીટર (43.5 માઇલ) દૂર દલદલ વાળી જમીન છે, પરંતુ દક્ષિણ એશિયાના બે દેશોને અલગ કરતી વિશ્વની સૌથી વધુ તનાવપૂર્ણ આંતરરાષ્ટ્રીય સરહદોમાંથી આ એક છે.
વાર્ષિક 30 ગીગાવોટ એનર્જી સપ્લાય કરશે
મુશ્કેલ પરિસ્થિતિઓ હોવા છતાં, અંદાજિત 4,000 કામદારો અને 500 એન્જિનિયરો પ્રોજેક્ટને આગળ ધપાવવા અને ચલાવવા માટે છેલ્લા ઘણા સમયથી કામચલાઉ કેમ્પમાં રહે છે. એકવાર પૂર્ણ થયા પછી તે વાર્ષિક 30 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી સપ્લાય કરશે, જે લગભગ 18 મિલિયન ભારતીય ઘરોને પાવર આપવા માટે પૂરતી છે. ભારતે દાયકાના અંત સુધીમાં 500 ગીગાવોટ સ્વચ્છ ઉર્જા સ્થાપિત કરવાનું અને 2070 સુધીમાં શુદ્ધ શૂન્ય ઉત્સર્જન સુધી પહોંચવાનું લક્ષ્ય રાખ્યું હોવાથી, આ પ્રોજેક્ટ સાઇટ વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશના બિન-કાર્બન ઉત્સર્જન સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પાદનમાં સંક્રમણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.ભારત હજુ પણ મોટાભાગે અશ્મિભૂત ઇંધણ, ખાસ કરીને કોલસા દ્વારા સંચાલિત છે, જે ભારતની 70% થી વધુ વીજળી ઉત્પન્ન કરે છે. રિન્યુએબલ એનર્જી હાલમાં ભારતની વીજળીની જરૂૂરિયાતોમાં લગભગ 10% યોગદાન આપે છે. આ દેશ હાલમાં ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ પછી ગ્રહ-વર્મિંગ વાયુઓનું ત્રીજું સૌથી મોટું ઉત્સર્જક છે.
કચ્છ
રણ મહોત્સવની ટેન્ડર પ્રક્રિયામાં વિલંબથી કચ્છના હોટેલ ઉદ્યોગકારોમાં ચિંતાની લાગણી
ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરવા બેઠકમાં વ્યક્ત કરાયો સૂર
કચ્છના ધોરડો ખાતે દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે ટેન્ટ સિટીના ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થતાં રણોત્સવ આયોજન લઈને ચિંતાના વાદળો ઘેરાયા છે. ભુજ ખાતે આજે કચ્છ હોસ્પિટાલિટી એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં રણોત્સવના આયોજન અને ટૂરિઝમ ઉદ્યોગને વિકાસ લગતા જરૂૂરી સૂચનો અંગે ચર્ચા કરવામાં આવી હતી. અને રણ મહોત્સવના આયોજન સામેના વિઘ્નો દૂર કરવા માંગણી કરાઈ હતી.
કચ્છના ધોરડોના સફેદ રણમાં યોજાતા રણોત્સવે લોકોમાં ભારે આકર્ષણ ઉભું કર્યું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવે છે. આ વર્ષે રણોત્સવના આયોજન લઈને અસમંજસની સ્થિતિ ઉભી થઈ છે. ટેન્ટસિટીના ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થવાના કારણે રણોત્સવના આયોજન અંગે મુંઝવણ ઉભી થઈ છે. કચ્છ હોસ્પિટાલિટી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની ગઈકાલે મહત્વની બેઠક મળી હતી. જેમાં રણોત્સવ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં લાગણી વ્યક્ત કરાઈ હતી કે, ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અમિતાભ બચ્ચનની સુંદર એડ બનાવીને રાષ્ટ્રીય ફલક પર પ્રસારિત કરવામાં આવી હતી, જેના લીધે કચ્છ સહિત ગુજરાતના પ્રવાસનને ભારે વેગ મળ્યો હતો. પુન: આ જુની એડ ચાલુ કરાવવી તેમજ અન્ય એક નવી એડ કોઈ સેલિબ્રિટી પાસે કરાવીને એને પણ ઈન્ડિયા લેવલે પ્રસારિત કરવામાં આવે અને રણોત્સવ દરમિયાન ગુજરાત ટુરિઝમ દ્વારા દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે, જેથી પ્રવાસીઓ કચ્છની સંસ્કૃતિને માણી શકે.
રણોત્સવ દરમિયાન ટેન્ટસીટીની બહાર આવેલા ગ્રામ હાટ માર્કેટ તેમજ વિવિધ એક્ટિવિટીનો દિવાળીથી પ્રારંભ કરવામાં આવે છે. અગાઉ પાટનગર ભુજ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં કચ્છ કાર્નિવલનું અદભુત આયોજન થતું હતું, જે પુન: ચાલુ કરવા માટે માગ કરી છે. રણોત્સવ દરમિયાન ધોરડો ખાતે ઓછામાં ઓછા પાંચથી છ નવા ઈવેન્ટ અથવા ફેસ્ટીવલ શોનું આયોજન કરવામાં આવે તો પ્રવાસીઓમાં આકર્ષણ ઉભું થઈ શકે તેમ છે.
કચ્છ
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
દેણાના કારણે પગલું ભર્યાની સ્યૂસાઇડ નોટ મળી
આંબિવલીમાં કરિયાણાની દુકાન ચલાવવાની સાથે જ ડિસ્ક જોકી (ઉઉં) તરીકે પણ કામ કરતા 48 વર્ષના નરેન્દ્ર વિકમાણીએ દેવું થઈ જવાથી હતાશ થઈને ગળાફાંસો ખાઈને રવિવારે જીવન ટૂંકાવી દીધું હતું. તેમણે મરતાં પહેલાં સુસાઇડ-નોટ લખી હતી અને એમાં લેણદારોને ઉદ્દેશીને લખ્યું હતું કે કરજ મેં લીધું હતું પણ હું એ ચૂકવી શક્યો નથી, પણ તમે મારી પત્ની કે મારા દીકરાને એ માટે હેરાનન કરતા.
મૂળ કચ્છના કોટડા (રોહા)ના કચ્છી વીસા ઓસવાળ જૈન જ્ઞાતિના નરેન્દ્ર વિકમાણી આંબિવલીમાં પરિવાર સાથે રહેતા હતા. તેમના પરિવારની કરિયાણાની દુકાન છે. તેમના એક સંબંધીએ કહ્યું હતું કે કરજ કંઈ બહુ વધારે નહોતું, પણ તેણે ઘરમાં કોઈને કહ્યું જ નહીં અને એકલો-એકલો મૂંઝાતો રહ્યો. તેના પરિવારમાં પત્ની અને 20 વર્ષના દીકરાનો સમાવેશ છે. દીકરો જોબ કરે છે. તેણે સુસાઇડ-નોટમાં લેણદોરોને કહ્યું છે કે મારી પત્ની અને દીકરાને હેરાન ન કરતા.
અન્ય એક સંબંધીએ કહ્યું હતું કે નરેન્દ્રભાઈના પિતા વલ્લભભાઈએ વર્ષો પહેલાં કરિયાણાની દુકાન ચાલુ કરી હતી. તેમને નરેન્દ્ર, જયેશ, ભાવેશ અને મનોજ એમ ચાર દીકરા હતા. જેમ-જેમ દીકરા મોટા થતા ગયા એમ પોતપોતાનો અલગ-અલગ વ્યવસાય કરતા ગયા. નરેન્દ્રભાઈ પિતાની દુકાન પણ ચલાવવાની સાથે ડિસ્ક જોકી પણ હતા. તેમણે એમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું હતું અને પછી એ ચલાવવા ટેમ્પો પણ લીધો હતો. થોડા જ વખતમાં તેઓ નરુ કા ઉઉં તરીકે ફેમસ થઈ ગયા હતા.
જોકે આ ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ થતું જતું હતું, પણ સામે પેમેન્ટ મોડું આવતું હોવાથી દેવું થતું જતું હતું. તેમણે જો કોઈને કહ્યું હોત તો રસ્તો નીકળી શક્યો હોત, પણ એવું થાય એ પહેલાં જ અંતિમ પગલું લઈ લીધું. રવિવારે સાંજે નીકળેલી તેમની અંતિમયાત્રામાં 50 કરતાં વધુ યુવાનો જોડાયા હતા.
કચ્છ
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
રાપર તાલુકાના ગાગોદર ગામે પાણીના ખાડામાં કપડા ધોતી વખતે અને ન્હાતી વખતે સાત બાળકો પાણીમાં ડુબવા લાગ્યા હતો. જે પૈકી સલેમાન ધોનાની દિકરી તથા ઉમરદિન ધોનાના પત્ની એવા સેનાજબેન (ઉ.વ. 24) તથા તેમના કુટુંબિ ભાઈ ફારૂૂક હબીબ ધોના (ઉ.વ. 16)નું મોત થયું હતું. જ્યારે અન્યોને બચાવી લેવાયા હતા.
કાનમેર ગામમાં રહી મજુરી કામ કરનાર પરિવારની મહિલાઓ સાથે આજે બપોરે બાળકો પણ કપડાં ધોવા, ન્હાવા ગયા હતા. ગામમાં પશ્ચિમ બાજુએ આવેલા પાણીના ખાડા પાસે આ પરિવારજનો બપોરે પહોંચ્યા હતા જેમાં બે મહિલાઓ કપડાં ધોઈ રહ્યાં હતા.
જ્યારે બાળકો થોડા આગળના ભાગે ન્હાઈ રહ્યાં હતા. ખાડામાં ન્હાતી વખતે ફારૂૂક આગળ નિકળી જતાં તે ડૂબવા લાગ્યો હતો. તેણે રાડા રાડ કરતાં તેના કુટુંબિ બહેન શેનાજ તેને બચાવવા ગયા હતા અને બંને પાણી ભરેલા ખાડામાં ડૂબવા લાગ્યા હતા. આ જોઈને પરિવારના અન્ય કિશોર, કિશોરીઓ તેમને બચાવવા જતાં સાત બાળકો ડૂબી રહ્યાં હતાં. રાડારાડના પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. આ સાત બાળકો પૈકી અમુકને તરતા આવડતા તે નિકળી ગયા હતા અને અન્યોને લોકોએ રસ્સી વડે બહાર ખેંચી લીધા હતા. જ્યારે મહિલા અને તેના કુટુંબિ ભાઈ ફારૂૂક પાણીમાં ગરક થયા હતા. બાદમાં આ બંનેને બહાર કાઢીને સારવાર અર્થે લઈ જવાતા ફરજ પરના તબિબો બંનેને મૃત જાહેર કરાયા હોવાનું ગાગોદરના પી.આઈ. બી. એ. સેંગલએ જણાવ્યું હતું. હર્ષોલ્લાસના ઈદ પર્વના બીજા દિવસે એકીસાથે ભાઈ-બહેનના મોતને પગલે સમગ્ર પંથકમાં ભારે માતમ છવાયો હતો.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ