ભાવનગર
જમાઇ બન્યો જમ: ભાવનગરમાં સસરાની છરીના ઘા ઝીંકી હત્યા
તળાજા તાલુકાના બોરડી ગામનું દંપતી બાઈક ઉપર સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે સીંમત પ્રસંગે જઈ બપોરના અરસા દરમિયાનપરત ફરી રહ્યું હતું. તે વેળાએ આસરાણા ગામથી આગળ પહોંચતા રાજુલા તાલુકાના કુંભારીયા ગામે રહેતા જમાઈએ જમ બનીને આવી પત્નીને તેડી ગયાની અદાવતે સસરા ઉપર હુમલો કરી છરીના આડેધડ ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાસી છુટયો હતો. ઉક્ત બનાવના પગલે ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
મળતી વિગત મુજબ,તળાજા તાલુકાના બોરડી ગામે રહેતા વાલ્મિકી સમાજના છનાભાઈ ચિથર દાઠિયા અને તેમના પત્ની સુરેખાબેન છનાભાઈ અન્ય પરિવારના સભ્યો સાથે છનાભાઈના ભાઈની દીકરીની દીકરી સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે પરણાવેલ હોય જ્યા તેણીના શ્રીમત પ્રસંગે પરિવાર ગયો હતો અને બપોરના અરસા દરમિયાન પોતાના ગામ બોરડી ગામે પરત ફરી રહ્યા હતા. તે વેળાએ દંપતી બાઈક ઉપર આવી રહ્યા હતા.જ્યારે અન્ય પરિવાર જનો ઈકો કારમાં પાછળ આવી રહ્યા હતા. ત્યારે મહુવા તાલુકાના આસરાણા ગામ નજીક પહોંચતા તેના જમાઈ રાજુલા તાલુકાના કુંભારીયા ગામે રહેતા તુલસી ખીમજીભાઈ ચૌહાણે તેના પત્નીને માર માર્યો હોય જેથી છનાભાઈ તેની દીકરીને કુંભારીયા ગામેથી તેનીને લઈ આવ્યા હતા. જેની દાઝ રાખી જમાઈ તુલસીએ સાસુ અને સસરા છનાભાઈને આંતરી ઉશ્કેરાઈ છનાભાઈને બેથી ત્રણ છરીના જીવલેણ ઘા ઝીંકી દઈ ગંભીર ઈજા પહોંચાડી ફરાર બન્યો હતો.
દરમિયાન ઈજાગ્રસ્ત છનાભાઈને તાત્કાલીક સારવાર અર્થે મહુવા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યા ફરજ પરના ડોકટરે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા. ઉક્ત બનાવના પગલે ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. જ્યારે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. ઉક્ત બનાવ સંદર્ભે મૃતક છનાભાઈના પત્ની સુરેખાબેને મોટા ખુંટવડા પોલીસ સમક્ષ તેના જમાઈ તુલસી ખીમજીભાઈ ચૌહાણ (રે. કુંભારીયા, તા. રાજુલા) વિરુધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આઈપીસી. 302 સહીતની કલમો તળે ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી હતી. જ્યારે મૃતક છનાભાઈના મૃતદેહને પેનલ પીએમ અર્થે ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખસેડાયો હતો.
ગુજરાત
ભાવનગરમાં રાજ્યના પ્રથમ અનાજ ATMનો પ્રારંભ: લાભાર્થીઓને લાંબી લાઇનમાંથી મુક્તિ
દેશના સામાન્ય અને ગરીબ પરિવારોને સરકાર દ્વારા રેશનશોપ મારફતે અનાજ આપવામાં આવી રહ્યું છે. આ સુવિધાને આધુનિક બનાવતા હવે સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને 24X47માં કોઈપણ સમયે લાઈનોમાં ઉભા રહ્યા વગર અનાજ મળી શકે તેવા અન્નપૂર્તિ એટીએમ સેવાનો રાજ્યમાં પ્રથમવાર ભાવનગર ખાતે કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે.
સામાન્ય અને ગરીબ પરિવારોની સુવિધામાં વધારો કરવા ભારત સરકાર તત્પર છે અને આવા પરિવારોની સુવિધામાં વધારો કરતા આજે સ્માર્ટ એફ.પી.એસ પાઇલટ પ્રોજેકટ અંતર્ગત રાજ્યના પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ (ગ્રેઇન એટીએમ)નો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કરચલીયા પરા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા, ભીખુસિંહજી પરમાર- અન્ન અને પુરવઠા મંત્રી ગુજરાત સરકાર તેમજ એલિઝાબેથ ફૌરે-યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ, ક્ધટ્રી પ્રતિનિધિ સહિતના લોકોની ઉપસ્થિતિમાં આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ અન્નપૂર્તિ એટીએમ 24 કલાક કાર્યરત રહેશે અને જેમ લોકોને એટીએમમાંથી 24ડ7 મળી શકે છે તેમજ કોઈપણ રેશનકાર્ડ ધારક કે જે થંબ સિસ્ટમથી જોડાયેલ છે તે ત્યાં આવી પોતાનો અંગુઠો લગાવી તેને મળવા પાત્ર રેશનનો જથ્થો પ્રાપ્ત કરી શકશે. ભારત સરકાર દેશના 80 કરોડ લોકોને ફ્રી રાશન આપી રહ્યું છે ત્યારે સામાન્ય અને ગરીબ પરિવારના લોકો કે જે મજૂરી કે અન્ય કામો વડે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેને લાઈનોમાં નહીં ઉભું રહેવું પડે અને પોતાના અનુકૂળ સમયે આ સ્થળ પર આવી પોતાનું રાશન મેળવી શકશે.
જેમાં રાજ્ય ઉપરાંત પરપ્રાંતીય તમામ નોંધાયેલા લોકો આ અનાજ મેળવવાના પાત્ર રહેશે. તેમજ કોઇપણ રેશનકાર્ડ ધારકને ઓછું વજન કે અન્ય કોઈ ફરિયાદમાંથી મુક્તિ મળશે.સાચા અર્થમાં ગરીબોનું દર્દ સમજનાર આ સરકારના આવા પ્રેરણાદાયી પગલાંને આવકાર્યું હતું. હાલ આ મશીનમાંથી ઘઉ અને ચોખા મળી રહ્યા છે.
ગુજરાત
ભાવનગરમાં 10 હજારનો ફાળો આપો કહી વેપારીની દુકાનોમાં લુખ્ખા તત્ત્વોની તોડફોડ
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ: વેપારીઓમાં રોષ
શહેરના ડોન ચોક વિસ્તારમાં નવરાત્રીનો ફાળો ઉઘરાવવા આવેલા લોકોએ વેપારીઓને માર મારી દુકાનમાં તોડફોડ કરી હતી. આ અંગે પોલીસ કંન્ટ્રોલને જાણ કરવા ફોન કરતા ફોન ઉપાડ્યો નહી જ્યારે બી ડિવીઝનમાં રૂૂબરૂૂ ગયેલા વેપારીઓને તેમનો માત્ર ફોન નંબર લઇ તગેડી મુક્યા હતા. શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે ત્યારે પોલીસ તંત્રએ ફરિયાદ પણ નહી લેતા વેપારીઓમાં રોષ વ્યાપેલ છે.
આ અંગે મળતી માહિતી મુજબ શહેરના ડોન ચોક વિસ્તારમાં કેટલાક લોકો મેઘાણી સર્કલમાં નવરાત્રીની ઉજવણી કરવાના છે તેમ કહી ફાળો ઉઘરાવવા નિકળ્યા હતા.વેપારીઓ દર વર્ષની જેમ 1000 રૂૂપિયાનો ફાળો આપવા તૈયાર હતા પણ ઓછામાં ઓછા 10,000નો ફાળો આપવાનું દબાણ કરતા વેપારીઓએ ના પાડી દેતા આ લુખ્ખા તત્વોએ વેપારીઓની દુકાનમાં તોડફોડ કરી હતી.
આ અંગે પોલીસ કંન્ટ્રોલે 100 નંબર પર ફોન ઉપાડ્યો ન હતો. જ્યારે ત્રણ વેપારી બી ડિવીઝન પોલીસ સ્ટેશને રૂૂબરૂૂ જતા ઇન્ચાર્જ પી.આઇ.એ ફરિયાદ કે, અરજીની જરૂૂર નથી તેમ કહી વેપારીઓના ફોન નંબર લઇ તેમને તગેડી મુક્યા હતા એમ વેપારીઓએ જણાવેલ છે. આ અંગેના સીસીટીવી ફુટેજ પણ વેપારીઓ પાસે ઉપલબ્ધ છે. જ્યારે આ બનાવ અંગે પી.આઇ. જે.કે.ડામોરે જણાવ્યું હતું કે, વેપારીઓએ કરેલી ફરિયાદ બાબતે તપાસ ચાલી રહી છે. વેપારીઓએ તેઓ પોલીસ સ્ટેશન આવશે તેમ જણાવ્યું છે એટલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત
ભાવનગરમાં ચાલુ ટ્રેને ઉતરવા જતાં ઘવાયેલા યુવાનનું મોત
બાન્દ્રાથી ભાવનગર આવી રહેલી ટ્રેનમાં ધોળા જંક્સન ખાતે ચાલુ ટ્રેને ઉતારવા જતા એક શખ્સનું મોત નિપજ્યુ હતું બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ બાન્દ્રાથી ભાવનગર આવી રહેલી ટ્રેન ધોળા જંકશન પ્લેટફોર્મ નંબર 2 ઉપર પહોંચી રહી હતી ત્યાં એક શખ્સ ચાલુ ટ્રેને ઉતારવા જતા પગ લપસતાં ટ્રેન હેઠળ આવી જતા મોત નીપજ્યું હતું. બનાવ બનતા જ રેલવે પોલીસ તેમજ આરપીએફનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.
જાણવા મળ્યા મુજબ રાહુલસીંગ ભીમસીંગ ઉ.વ.32 રહે.લુધિયાણા,પંજાબ નામના પરપ્રાંતીય શખ્સને બોટાદ સ્ટેશને ઉતારવાનું હતું પરંતુ તે સુઈ રહેતા ધોળા આવી ગયું હતું અને ધોળા ખાતે પ્લેટફોર્મ નંબર 2 ઉપર બાંદ્રા ટ્રેન પહોંચી ત્યાંજ ચાલુ ટ્રેને ઉતારવા જતા પગ લાપસી ગયો હતો અને ટ્રેન હેઠળ આવી જતા મોત નીપજ્યું હતું. મૃતક યુવાન લાઠીદડ ગમે લોખંડ કટિંગનું કામ કરતો હોવાનું જાણવા મળેલ છે.બનાવ અંગે રેલવે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત2 days ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય14 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ2 days ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત2 days ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો