Uncategorized
4 રાજ્યોના છ આરોપીઓએ લખી હતી સ્મોક એટેકની સ્ક્રિપ્ટ
ગઈકાલે દેશની સંસદમાંથી સુરક્ષામાં ખામીના આવા સમાચાર આવ્યા, જેણે સમગ્ર દેશને ચોંકાવી દીધો. ચાર લોકોએ મળીને સંસદની સુરક્ષાને વીંધીને ગેસ એટેક કર્યો.. સંસદની અંદર અને બહાર ધુમાડો દ્વારા વિરોધ અને હુમલો કરવામાં આવ્યો, જેને જોતા 22 વર્ષ પહેલા 13 ડિસેમ્બરની તારીખ ફરી એક વાર ટ્રેન્ડ થવા લાગી.
સંસદમાં અને બહાર હંગામો કરનારા આરોપીઓના નામ ખુલ્યા છે તેમાં સાગર શર્મા, મનોરંજન ડી શર્મા, નીલમ, અમેલ શિંદે સામેલ છે. લોકસભાની અંદરથી ધરપકડ કરાયેલા સાગર શર્મા અને મનોરંજન ડી. સાગર શર્મા લખનૌના રહેવાસી છે, જ્યારે 35 વર્ષીય મનોરંજન કર્ણાટકના બેંગલુરુનો રહેવાસી છે. મનોરંજન એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. તે જ સમયે, સંસદની બહારથી ધરપકડ કરાયેલ મહિલાનું નામ નીલમ છે.
42 વર્ષની નીલમ હરિયાણાના જીંદની રહેવાસી છે અને હિસારમાં અભ્યાસ કરે છે. જ્યારે 25 વર્ષીય અમોલ શિંદે મહારાષ્ટ્રના લાતુરનો રહેવાસી છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે ચારેય એકબીજાને પહેલેથી ઓળખે છે.
સંસદમાં રચાયેલા આ કાવતરામાં 4 નહીં પરંતુ 6 પાત્રો હતા. જેમાંથી 4 પોલીસના હાથે તરત જ ઝડપાઈ ગયા હતા, જ્યારે લલિત ઝાની બાદમાં અટકાયત કરવામાં આવી હતી. વાસ્તવમાં, સંસદ પહોંચતા પહેલા ચારેય આરોપીઓ ગુરુગ્રામના સેક્ટર 7ની હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા લલિતના ઘરે રોકાયા હતા. એક આરોપી હજુ ફરાર હોવાનું કહેવાય છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર ષડયંત્રમાં સામેલ તમામ છ લોકો એકબીજાને ઓળખતા હતા. અત્યાર સુધીની માહિતી મુજબ આ તમામ યુવાનો ફેસબુક પર મિત્રો બની ગયા હતા.
આરોપી સાગર શર્માનો પરિવાર ઘણા સમય પહેલા દિલ્હીમાં રહેતો હતો અને 15 વર્ષ પહેલા લખનઉ શિફ્ટ થયો હતો. સાગરના પિતા સુથારનું કામ કરે છે. સાગર ઈ-રિક્ષા ચલાવે છે. સાગર બે દિવસ પહેલા દિલ્હી આવ્યો હતો. આરોપી મનોરંજન ગૌડા કર્ણાટકનો રહેવાસી છે. મનોરંજને પોતાનો અભ્યાસ મૈસૂરમાં કર્યો છે. મનોરંજન બેંગ્લોર કોલેજમાંથી એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું છે. મનોરંજન વિશે માહિતી મળી છે કે તેઓ સ્વામી વિવેકાનંદ વિશે ઘણું વાંચે છે. મનોરંજનના પિતાએ તેમના પુત્ર પરના આરોપો સામે દલીલ કરી અને કહ્યું કે તે એક સારો વ્યક્તિ છે અને તેનો કોઈ ખરાબ ઈરાદો નથી. અમોલ શિંદેની વાત કરીએ તો તે મહારાષ્ટ્રના લાતુરના એક ગામનો રહેવાસી છે. અમોલ શિંદે છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ ભરતી માટે પ્રયાસ કરી રહ્યો હતો. અમોલ શિંદે બે દિવસ પહેલા જ લાતુરથી દિલ્હી જવા રવાના થયા હતા. અમોલ શિંદેના માતા-પિતા લાતુરના જરીગાંવમાં મજૂરી કામ કરે છે.
નીલમ હરિયાણાના જીંદની રહેવાસી છે અને હિસારમાં પીજીમાં રહે છે. નીલમ ડાબેરી વિચારધારા તરફ ઝોક ધરાવે છે. તે ખેડૂતોના આંદોલનમાં પણ ખૂબ સક્રિય રહી છે. જ્યારે તેના પિતાની ઉચાણામાં મીઠાઈની દુકાન છે.
Uncategorized
શહેર-જિલ્લામાં દારૂ વેચનારાઓ પર પોલીસની ધોંસ
આઠ દરોડામાં ઈંગ્લિશ દારૂની નાની મોટી 11પ બાટલી ઝડપાઈ: નવ શખ્સોની અટકાયત
જામનગર શહેર તેમજ જિલ્લામાં પોલીસે જુદા જુદા 8 સ્થળોએ દારૂ અંગેના દરોડા પાડી કુલ ઈંગ્લીશ દારૂની નાની મોટી 11પ બોટલ કબજે કરી છે અને આઠ જેટલા શખ્સોની મુદામાલ સાથે ધરપકડ કરી છે.
જામનગર સીટી એ ડિવિઝન પોલીસે દિગ્વિજય પ્લોટ શેરી નંબર 42 માં રજા મેન્શન પાસે રહેણાંક મકાનમાં રેડ પડી હતી. આ દરમિયાન યોગેશ્વર રમણીકલાલ વિઠલાણીના રહેણાંક મકાનમાંથી 3500ની કિંમતની 7 બોટલ તથા 31 ચપલા દારૂ સહિત 6600નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેને પગલે પોલીસે વધુ તપાસ કરતા અશોક ઉર્ફે મિર્ચી ખટાઉભાઈ મંગે નામના શખ્સનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વધુમાં દારૂની બાતમીના આધારે સીટી એ ડિવિઝન પોલીસે કિસાન ચોકમાં આવેલ માલદે ભુવન શેરી નંબર ત્રણમાં રેડ પાડી હતી. આ વેળાએ 12000 ની કિંમતની 24 બોટલ દારૂના જથ્થા સાથે નીકળેલ કરણ ગુલાબભાઈ ડાભી નામના કોડીના દંગા પાસે સોનલ નગર મેઈન રોડ સર્કલ જામનગરમાં રહેતા શખ્સને પકડી પાડ્યો હતો.
આ ઉપરાંત પોલીસે દારૂ સંબંધીત વધુ એક દરોડો કિસાન ચોકમાં નંદા બ્રધર્સ વાળી ગલીમાં પાડ્યો હતો. જ્યાં રવિ અમરીશભાઈ ધેયડા નામના શખ્સના કબજામાંથી 24 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધી હતો.પોલીસે 12 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી આદરી છે. આ ઉપરાંત જામનગર શહેરના વિશ્રામ વાડી વિસ્તારમાં રહેતા ક્રિષ્ના ઉર્ફે એકો મહેન્દ્ર ગોરી ના રહેણાંક મકાનમાંથી એક બોટલ દારૂ મળી આવ્યો હતો. જોકે આરોપી હાજર મળ્યો ન હતો.
તેજ રીતે દિગ્વિજય પ્લોટ 58 માં આવેલ બાળકોના સ્મશાન પાસેથી સુરેશ ઉર્ફે સુરિયો ગંગારામ જોશી દારૂૂની બોટલ સાથે પકડાયો હતો. જ્યારે દર્શન ઉર્ફે ખેતો હરીશભાઈ ચાંદરાનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ આદરી છે. તો નાગર ચકલા પાસે જાહેરમાં દારૂની બાટલી સાથે નીકળેલા કૃણાલ મહેશભાઈ ઝીંઝુવાડીયાને પોલીસે પકડી પાડ્યો હતો.
મેઘપર પોલીસે મોટીખાવડી ગામે આવેલ નાગાર્જુન પેટ્રોલ પંપ પાછળ નરેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજાની ટ્રાન્સપોર્ટ ની ઓફિસમાં રેડ પડી હતી જ્યાં ત્રણ બોટલ દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. મેકર પોલીસે નરેન્દ્રસિંહ જાડેજા તેમજ નવલભાઇ ખેરાભાઈ બુજડ નામના બંને શખ્સોની અટક કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સીટીસી ડિવિઝન પોલીસે અંતરાશ્રમ ફાટક પાસે આવાસ કોલોની બ્લોક નંબર 51 માં બીપીન ઉર્ફે લાકડી કારાભાઈ મુછડીયાના મકાનમાં રેડ પડી હતી. જ્યાં તપાસ હાથ ધરતા 9200 ની કિંમતની 23 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પરિસ્થિતિ પારખી આરોપી બીપીન હાજર ન મળતા તેમને ફરારી જાહેર કરાયો છે.
Uncategorized
વડાપ્રધાનની સભા પહેલાં કાશ્મીરમાં અલગ-અલગ જગ્યાએ પાંચ આતંકી ઢેર
બારામુલ્લા અને કઠુઆમાં સેનાની કાર્યવાહી, બે જવાનની શહીદીનો બદલો લેવાયો
જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આજે સવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા, આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂૂ કરવામાં આવ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે ઉત્તર કાશ્મીર જિલ્લાના પટ્ટન વિસ્તારમાં ચક ટેપર કરીરીમાં ગોળીબાર શરૂૂ થયો હતો. આ ઓપરેશન હાલ ચાલુ છે.
Uncategorized
શહેરમાં ગાબડારાજ: પ્રજાના કલ્યાણ કરતાં ભ્રષ્ટાચારને પ્રાધાન્ય
સરકારે પ્રચાર-પ્રસારમાં આંકડાઓની માયાજાળ અને વાહવાહીને બદલે વાસ્તવિકતા પર ભાર મૂકવો જરૂૂરી..
જામનગર શહેર અને જિલ્લાના રસ્તાઓની હાલત દિનપ્રતિદિન વણસતી જાય છે. ભારે વરસાદ બાદ રસ્તાઓ ઉબડખાબડ બની ગયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો સ્થિતિ વધુ ગંભીર છે. લોકોને સ્વયંભૂ ખાડા પૂરવાની ફરજ પડી છે. શહેરી વિસ્તારોમાં સરકાર દ્વારા માર્ગોની મરામત માટે નાણા ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ નાણાંનો ઉપયોગ કેટલી હદે થશે તે અંગે શંકાઓ વ્યક્ત થઈ રહી છે.
સરકારી તંત્ર દ્વારા પ્રેસ રિલીઝ અને અન્ય માધ્યમો દ્વારા સતત માહિતી આપવામાં આવે છે, પરંતુ આ માહિતીમાં મોટાભાગે કરાયેલી કામગીરીની વાહવાહી અને આંકડાઓની માયાજાળ જોવા મળે છે. વાસ્તવિક સ્થિતિ અને સમસ્યાઓના કાયમી ઉકેલ માટે લેવામાં આવતા પગલાં અંગેની વિગતવાર માહિતી લોકોને મળતી નથી. મેયર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પંચાયતના પ્રમુખો, કલેક્ટરો વગેરેએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા વાસ્તવિક સ્થિતિ જાહેર કરવી જોઈએ અને સમસ્યાઓના કાયમી ઉકેલ માટેના પગલાં અંગેની માહિતી આપવી જોઈએ.
લોકો સરકારી તંત્ર પાસેથી વાસ્તવિક માહિતી અને કાર્યક્ષમ કામગીરીની અપેક્ષા રાખે છે. લોકો સરકારી તંત્રની ઢીલાશ અને ભૂલો સ્વીકારવા તૈયાર છે, પરંતુ તેને છુપાવવાના પ્રયાસો સામે વિરોધ કરે છે. સરકારી તંત્રને લોકોની અપેક્ષાઓને પૂરી કરવા માટે વધુ પારદર્શી અને જવાબદાર બનવું જરૂૂરી છે. વાસ્તવિક સ્થિતિ સ્વીકારવી અને તેના સંદર્ભમાં તત્કાળ પગલાં લેવા, કાયમી ઉકેલ માટેના પગલાં અંગેની વિગતવાર માહિતી લોકોને આપવી અને પ્રચાર-પ્રસારમાં આંકડાઓની માયાજાળ અને વાહવાહીને બદલે વાસ્તવિકતા પર ભાર મૂકવો જરૂૂરી છે.
પ્રશાસનિક અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા લોકો સાથે સીધો સંવાદ કરવો જોઈએ. જામનગર શહેર અને જિલ્લાના રસ્તાઓની દયનીય સ્થિતિ પાછળ સરકારી તંત્રનો ભ્રષ્ટાચાર જવાબદાર છે. પ્રજાનાં કલ્યાણ કરતાં ભ્રષ્ટાચારને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં પરિવર્તન લાવવા માટે લોકોએ એક થઈને સરકારને જવાબદાર બનાવવી પડશે.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત2 days ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
રાષ્ટ્રીય17 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ2 days ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત23 hours ago
લીંબડી નજીક 120 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાંથી સળિયા દેખાયા
-
ગુજરાત2 days ago
ભાવનગરમાં રાજ્યના પ્રથમ અનાજ ATMનો પ્રારંભ: લાભાર્થીઓને લાંબી લાઇનમાંથી મુક્તિ