rajkot
થર્ટી ફર્સ્ટ પૂર્વે પોલીસનું સઘન વાહન ચેકિંગ : 17 પીધેલા ઝડપાયા
ગુજરાતમાં નવા વર્ષને ઉજવણી વચ્ચે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે.થર્ટી ફર્સ્ટને લઈ તમામ શહેરોમાં પોલીસની વ્યવસ્થા ગોઠવાઈ છે. અને સુરક્ષા અને ટ્રાફિકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં તમામ જગ્યાએ વાહનોની સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.તેમજ ગયા વર્ષની જેમ આ વર્ષે એન્ટી ડ્રગ કીટનો ઉપયોગ કરવામાં આવે તો નવાઈ નહીં.
થર્ટી ફર્સ્ટ એટલેકે નવા વર્ષની ઉજવણીમાં તહેવારની દારૂૂ પી ઉજવણી કરવાની જાણે પ્રથા પડી ગઈ હોય તેમ દારૂૂ ઢીંચીને છાકટાવેળા કરતા શખ્સો સામે પોલીસે કોમ્બીંગ હાથ ધર્યું હતું જેમાં નશામાં કાર કે બાઈક ચલાવતા કે લથડિયા ખાતા 17 નબીરાઓ પોલીસની ઝડપે ચડી ગયા હતા.પોલીસે અલગ અલગ જગ્યાએથી નશાની હાલતમાં હીતેષભાઈ પાલજીભાઈ મકવાણા(રહે. બેડી ગામ હડમતીયા રોડ આંબેડકર નગર મહાદેવ ના મંદીર થી આગળ),આશુતોષ પ્રફુલભાઈ રાઠોડ(રહે.મોચી બજાર તિલક પ્લોટ શેરી નં.-03 નિમુબહેનના મકાનમા ભાડેથી),ભાવેશભાઈ લાખાભાઈ કુગસીયા(રહે.મોરબી રોડ જુના જકાતનાકા પાસે ખોડીયાર પાર્ક શેરી નં.-01 નસ્ત્રજય મુરલીધરસ્ત્રસ્ત્ર મકાન),રાજુભાઈ લાલબહાદુરભાઈ ભગત(રહે.મામાવાડી નવાગામ,આણંદપર),રફીકભાઇ ઇસ્માઇલભાઇ શેખ(રહે.સદર બજાર,ક્રુષ્ણચોક પિયુષ પ્રકાશની બાજુમાં મોટીટાકી ચોક રાજકોટ),રધુવીર રમેશભાઇ નિશાદ,કિશન વિરજીભાઇ ચારોલા(રહે. મનહરપુર-2 ઉમૈયાધાર દ્રારકાધીશ પેટ્રોલપંપ સામેં),હરેશભાઇ તુલશીભાઇ વાળા(રહે. શ્યામનગર-3 જય મેલડી મા મંદિર ગાંધીગ્રામ આર.સી.કે.પાર્ક સામે),રોહીતભાઇ જેઠાભાઇ બાબરીયા(રહે.ન્યુ 150 ફુટ રિંગ રોડ અટલ સરોવર પાસે લાઇટ હાઉસ વિંગ -4 ક્વાર્ટર નં.203),હનુમાનપ્રસાદ નગેન્દ્રપ્રસાદ શર્મા,:
ચંદ્વેશભાઇ ચેતનભાઇ ચૌહાણ(રહે.ગૌતમનગર શેરી નં.03 શકિતી ડેરી પાછળ અમીન માર્ગ),ભરત લાભુ મેર,પ્રકાશ જીવણ કોળી,વિવેક પ્રવીણ બોરડ,કિશન હસમુખ પાતાણી,બાવકુ મોહન મકવાણા અને શૈલેષ નંદલાલને પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા.
જ્યારે ઓવર સ્પીડમાં વાહન ચલાવતા મહેશ અંકોલીયા,આદિલ ફિરોજ શેખ,લલિત લાલચંદ ખુમનાણી અને અમુભાઈ ભખોડીયાને ઝડપી લીધા હતા.તેમજ આ તકે થર્ટી ફર્સ્ટ અનુસંધાને શહેરમાં કોઈ જગ્યા પર માથાકૂટ ન થાય માટે મોડી રાત સુધી પેટ્રોલિંગ કરવામાં આવશે તેમજ જાહેર માર્ગો પર નશો કરી નીકળી પડતા શખ્સોને પકડી લોક અપ ભેગા કરી કડક કાર્યવાહી કરવા સીપી રાજુ ભાર્ગવે તમામ થાણા અધિકારીને સૂચના આપી દીધી છે.
થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ રાત્રે 12:30 પછી બંધ, ક્લબો-ફાર્મમાં પોલીસ બનશે મહેમાન
રાજકોટ શહેરમાં 31 ડિસેમ્બરની રાત્રે 2023ને બાય બાય અને વર્ષ 2024ના નવા વર્ષના વેલકમ માટે ઠેર ઠેર ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કોઈ પણ પ્રકારે અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ રીતે લોકો નવા વર્ષની ઉજવણી કરે તે માટે શહેર પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. આ સાથે 12.30 વાગ્યા સુધીની સમય મર્યાદામાં કાર્યક્રમ પૂર્ણ કરી દેવા સૂચના આપવામાં આવી છે. આ દિવસોમાં પોલીસની અલગ અલગ ટીમ દ્વારા ખાસ ચેકિંગ પણ કરવામાં આવશે, તેમજ ખાસ ડ્રીંક એન્ડ ડ્રાઈવનું આયોજન પણ કરવામાં આવશે.રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, આગામી 31મી ડિસેમ્બરને લઈ રાજકોટ શહેર તેમજ જિલ્લા ખાતે જુદા જુદા પાર્ટી લોન્સ તેમજ ક્લબ ખાતે ન્યૂ યર પાર્ટીનું આયોજન કરાયુ છે. ત્યારે જુદા જુદા ક્લબમાં પાર્ટીને રાત્રિના 12:30 વાગ્યા સુધી મંજૂરી આપવામાં આવશે. તેમજ પોલીસ દ્વારા તમામ ક્લબ તેમજ પાર્ટી લોન્ચ ખાતે વોચ પણ ગોઠવવામાં આવશે. શહેર પોલીસ દ્વારા ડ્રીંક એન્ડ ડ્રાઈવનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત પીધેલી હાલતમાં કાર તેમજ બાઈક ચલાવનારા વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવી રહ્યા છે.
નબીરાઓને ઝડપની મજા મોંઘી પડી, પોલીસે પીછો કરી કાર પકડી
ગઈકાલે રાત્રે રેસકોર્સ રીંગ રોડ પર નબીરાઓને કાળા કાચવાળી નંબર પ્લેટ વગરની કારની ઝડપની મજા મોંઘી પડી હતી. પોલીસે પીછો કરી ચાર નબીરાઓને પકડી પાડ્યા બાદ પીધેલા નથી ને તેની ચકાસણી કર્યા બાદ કાયદાનું ભાન કરાવ્યું હતું. નબીરાઓ દારૂના નશામાં રેસકોર્સ રીંગ રોડે પુરઝડપે કાર ચલાવતા હોવાની આશંકાએ પોલીસે કારનો પીછો કરી રેસકોર્સ રીંગ રોડ પર જ કાળા કાચવાળી કાર પકડી પાડી હતી. કારમાં સવાર ચાર લવરમુછીયા યુવાનના પોલીસે બ્રેથ એનેલાઈઝર દ્વારા ટેસ્ટ કર્યા હતા જેમાં ચારેય યુવક પીધેલા નથી ને તેની ખરાઈ કર્યા બાદ ઓવરસ્પીડ કાળા કાચ અને નંબર પ્લેટ તેમજ ડ્રાયવીંગ લાયસન્સ પણ નહીં હોવાના કારણે ચારેય યુવકને કાયદાનું ભાન કરાવ્યું હતું.
rajkot
મનપાના આસિસ્ટન્ટ ટીપીઓ રાજેશ મકવાણા અંતે સસ્પેન્ડ
ગુજરાત મિરર, રાજકોટ તા.5
મહાનગરપાલિકામાં આસી. ટીપીઓ તરીકે ફરજ બજાવતા અને ત્યાર બાદ અન્ય વિભાગમાં બદલી પામેલા રાજેશ મકવાણાએ અગ્નિકાંડ બાદ ટાઉનપ્લાનિંગ શાખાના રજીસ્ટારમાં ચેડા કરતા તેની ધરપકડ કરવામાં આવેલ આથી નિયમ મુજબ મ્યુ.કમિશનરે આજરોજ તેમને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર જારી કર્યો હતો.
અગ્નિકાંડ બાદ મકવાણાની વોર્ડ નં.10 માં જવાબદારી નહી હોવા છતાં પણ તેઓ દ્વારા બનાવ બાદ ટાઉન પ્લાનિંગ શાખા વેસ્ટઝોનનાં રજીસ્ટર સાથે ચેડા કરી બનાવટી દસ્તાવેજો બનાવી પુરાવાઓનો નાશ કરવો, સરકારી રેકર્ડમાં ચેડા કરવા, સરકારી તપાસને ગેરમાર્ગે દોરવી, વિગેરે જેવી સરકારી કર્મચારીને ન છાજે તે પ્રકારની કાર્યવાહી કરેલ હોવાનું ધ્યાને આવેલ છે, જે ફરજ પ્રત્યેની ખૂબ મોટી ગંભીર પ્રકારની ગેરવર્તણૂક, બેદરકારી, શીથીલતા અને નિષ્કાળજી સાબિત થયેલ છે.
સસ્પેન્શન સમય દરમિયાન મજુકર અર્ધપગારી રજા પર હોય અને જે પગાર મેળવે તે પગાર જી.સી.એસ.આરની ક્લમ 151ની જોગવાઇ અનુસાર નિર્વાહ ભથ્થા તરીકે મેળવશે. રાજેશ નરશીભાઇ મકવાણાએ સસ્પેન્શ સમય દરમ્યાન સામાન્ય વહીવટ વિભાગ (જી.એ.ડી.)માં નિયમિતપણે હાજરી પુરવાની રહેશે. હાલ મજકુર કર્મચારી જ્યુડિશિયલ કસ્ડીમાં હોય, તે સમયગાળા પુરતું હાજરી પુરવામાંથી મુક્તિ આપવામાં આવે છે તેમજ સસ્પેન્શન સમય દરમ્યાન કોઇપણ જગ્યાએ ખાનગી નોકરી કે ધંધો કરી શકશે નહીં અને તે બાબતનું પ્રમાણપત્ર દર માસે નિર્વાહ ભથ્થાની ચુકવણી કરતા પહેલા લગત શાખાધિકારીએ મકવાણા પાસેથી મેળવવાનું રહેશે.
rajkot
રાજકોટ નજીક પીપળિયા ગામે ધમધમતી નકલી શાળા ઝડપાઇ
ગુજરાત મિરર, રાજકોટ,તા.5
ગુજરાતમાં બે વર્ષથી નકલી કચેરીઓ, નકલી બીયારણો, નકલી અધિકારીઓ સહીત નકલી ખાદ્ય ચીજો પકડાઇ રહી છે. ત્યારે શિક્ષણમાં પણ વિદ્યાર્થીઓ સાથે ચેડા કરવામાં આવી રહ્યું હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. રાજકોટમાં માલીયાણ નજીક આવેલ પીપળીયા ગામમાંથી કોઇપણ જાતની મંજુરી વગર ધમધમતી નકલી શાળા ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નકલી શાળાને શીલ મારવામાં આવ્યું છે અને શાળા ચલાવતા દંપતીને પકડીને તેની સામે કડક કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ અંગે તાલુકા પ્રાથમીક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે રાજકોટ તાલુકાના માલીયાસણ નજીક આવેલ પીપળીયા ગામની નવીનનગર સોસાયટીમાં ચાર દુકાનો ભાડે રાખી અને મધ્યપ્રદેશનું દંપતી સંદિપ તિવારી અને તેની પત્ની કાત્યાની તિવારી કોઇપણ મંજુરી વગર દરરોજ 1 થી 10ની માન્યતા વગરની ગૌરી પ્રિ-પ્રાયમરી શાળા ચલાવી રહ્યા હોવાની ફરીયાદ મળતા શિક્ષણ વિભાગ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાં સમગ્ર હકિકત સામે આવી છે. હાલ શિક્ષણ વિભાગ દ્વારા મધ્યપ્રદેશના દંપતીની અટકાયત કરાઇ છે અને તેમની પુછતાછ કરવામાં આવી રહી છે. તેમજ તેમની સામે કડક કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
વધુમાં અધિકારીએ કહ્યું હતું કે ચાર દુકાનમાં ચાલતી શાળાને શીલ મારી દેવામાં આવ્યું છે. દરોડા દરમિયાન ત્યાંથી ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતા 29 જેટલા વિદ્યાર્થીઓ મળી આવ્યા હતા. તેઓને હાલ માન્યતા પ્રાપ્ત શાળાઓમાં દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેઓનું શિક્ષણ ન બગડે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા કટીબધ્ધતા દાખવવામાં આવી છે અને તેમને ન્યાયીક રીતે માન્યતા પ્રાપ્ત શાળાઓમાં શિક્ષણ આપવામાં આવશે.
વધુમાં અધિકારીએ કહ્યું હતું કે મધ્યપ્રદેશનું આ દંપતી એક મોડસ ઓપરેન્ડી ચલાવતું હતું જેમાં અહીં શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતા હતા અને તેમની પાસેથી ફી ઉઘરાવી લેવામાં આવતી હતી. ત્યારબાદ માન્યતા પ્રાપ્ત શાળાઓમાં તેઓના એડમીશન કરવામાં આવતા હતા. માન્યતા પ્રાપ્ત શાળાઓ સાથે તેઓનું સેટલમેન્ટ ચાલતું હતું જેમાં કેટલાક ટકા ફીનો હિસ્સો આ શાળાઓને આપવામાં આવતું હતું. આ કૌભાંડ 2018થી શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી મળતા જ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા દરોડા પાડી તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગના નાક નીચે છેલ્લા છ વર્ષથી ધમધમતી નકલી શાળા ઝડપાતા વાલીઓમાં પણ રોષ ભભુકી ઉઠયો છે. 2018થી એડમીશન લેનાર અને ત્યાં અભ્યાસ કરી ચુકેલા વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે પણ વાલીઓમાં તંત્ર સામે સવાલ ઉઠયો છે. શિક્ષણ વિભાગની આંખ આડા કાન કરવાની વૃતિને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઇ રહ્યા હોવાની વ્યથા વાલીઓ ઠાલવી હતી.
rajkot
સૌ.યુનિ.ના ત્રીજા ઇન્ચાર્જ કુલપતિ બનતા ડો.ડોડિયાડો.નિલાંબરીબેન દવેને હટાવાયા
2018માં ચાર મહિના ડો.ડોડિયા કરી ચૂક્યા છે વહીવટ; ત્રણ નામો રદ કરી નવા મગાવાયા
ગુજરાત મિરર, રાજકોટ તા.5
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સતત ત્રીજા ઇન્ચાર્જ કુલપતિની નિયુક્તિ કરવામાં આવી છે. ડો.નિલાંબરીબેન દવેને હટાવી અને ડો.કમલ ડોડીયાને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. ડો.કમલ ડોડીયાએ આજે ઇન્ચાર્જ તરીકેનો ચાર્જ સંભાળી અને વહીવટી કામનો પ્રારંભ કરી દીધો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમ સાયન્સ ભવનના અધ્યક્ષ ડો.નિલાંબરીબેન દવેને ઓક્ટોબર 2023ની આસપાર ઇન્ચાર્જનો હવાલો સોંપાયો હતો પરંતુ આઠ મહિનામાં જ શિક્ષણ વિભાગ દ્વારા તેમની પાસેથી ઇન્ચાર્જનો હવાલો પરત ખેંચી લેવામાં આવ્યો છે અને તેમના સ્થાને ફરી એક વખત રાજકોટ પી.ડી.યુ. મેડિક્લ કોલેજના ઓપ્થેલ્મોલોજી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો.કમલ ડોડીયાને ઇન્ચાર્જ કુલપતિનો ચાર્જ સોંપાયો છે.
ડો.કમલ ડોડીયા અગાઉ 2018માં ફેબ્રુઆરી મહિનાથી મે-2018 ચાર માસ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકે વહીવટ કરી ચૂક્યા છે. તે સમયે મેડિક્લમાં પાસ થવા માટે રૂા.2.50 લાખની માંગણી કરતો સુરેન્દ્રનગરથી સી.યુ.શાહ મેડિક્લ કોલેજનો વિડીયો વાઇરલ થયો હતો અને તે સમયે આંતરિક ખેંચતાણ થતા ભાજપના એક તત્કાલીન સિન્ડિકેટ સભ્ય દ્વારા ડો.કમલ ડોડીયા વિરૂદ્ધ મોરચો માંડયો હતો અને તેમને હટાવવામાં આવ્યા હતા. ત્યારે ફરી વખત તેમને ચાર્જ સોંપવામાં આવતા અને આ મુદ્દે કેમ્પસમાં ચર્ચા થઇ રહી છે.
માત્ર આઠ માસમાં જ હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડો.નિલાંબરીબેન દવેને હટાવી લેતા અનેક ચર્ચાઇ જોર પક્ડયું છે. તેમાં કેટલાક નિતિ વિષયક નિર્ણયો લેવામાં નબળા પૂરવાર થયા છે. અગાઉ પણ તેઓ ઇન્ચાર્જ તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યા છે. વર્તમાનમાં પણ પેપરો લીક થયા હતા. કોલેજ જોડાણની 500થી ફાઇલો હતી. નિર્ણય વગર જ પેન્ડિંગ પડી છે. ઉપરાંત ચીફ એકાઉન્ટ ઓફિસરના બદલે ઓડિટરની નિયુક્તિ કરી નાખી તેમજ પીએચ.ડીની પરીક્ષા મોડી લધી. નવા કાયદા મુજબ એક્ઝિયુટીવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના મોડી કરી હોવા સહિત અનેક કામગીરી ક્ષતિ રહીત રહી હોવાની ચર્ચા.
શિક્ષણ વિભાગ દ્વારા સર્ચ કમિટી રચી અને તેના દ્વારા નામો મોકલવામાં આવ્યા હતા. જેમાં ડો.સચિન પરીખ, ડો.નિલાંબરીબેન દવે અને ડો.મુર્થીના નામ મોકલવામાં આવ્યા હતા. પરંતુ તમામ નામો રિજેક્ટ કરાયા છે અને કમીટીને ફરીથી નામો મોકલવા સુચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રાજકારણને સંભાળી શકે અને શિક્ષણ વ્યવસ્થા સુધારી શકે તેવા કાયમી કુલપતિ સરકારને હજુ મળ્યા નથી. છેલ્લા ઘણા સમયથી શિક્ષણના બદલે રાજકારણ વધી ગયું છે અને ભાજપ સામે ભાજપનું જુથ જ સક્રિય બન્યું છે ત્યારે સરકાર પણ મુંઝવણમાં મુકાઇ ગઇ હોવાની ચર્ચા શિક્ષણવિદોમાં થઇ રહી છે.
ફેબ્રુઆરી-2022થી સૌરાષ્ટ્ર યુનિ.માં ઇન્ચાર્જનો વહીવટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સતત ત્રીજા ઇન્ચાર્જ કુલપતિને વહીવટ સોંપાયો છે. અગાઉ 2022માં ડો.નિતિન પેથાણીની ત્રણ વર્ષની ટર્મ પૂર્ણ થતા તેમના સ્થાને ઇન્ચાર્જ તરીકે ફેબ્રુઆરી-2022માં આંકડાશાસ્ત્રના અધ્યક્ષ ડો.ગીરીશ ભિમાણીને ચાર્જ સોંપાયો હતો અને તેઓ દોઢ વર્ષ રહ્યા બાદ તેમને હટાવી અને ડો.નિલાંબરીબેન દવેને ચાર્જ સોંપાયો હતો. આમ છેલ્લા અઢી વર્ષ ચાર્જમાં વહીવટ થયા બાદ ત્રીજી વખત પણ ઇન્ચાર્જને ચાર્જ સોંપાયો છે.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ