સૌરાષ્ટ્ર
કોડીનારના પીઆઇ, બે ફોજદાર સહિતના સ્ટાફ સામે ગુનો નોંધી સમન્સ કાઢતી કોર્ટ
કોડીનારના આર.ટી.આઇ. કાર્યકર્તા મહેશભાઈ મકવાણાને કોડીનાર પોલીસે એક કેસના આરોપી તરીકે અટક કરી કોડીનાર પોલીસ સ્ટેશનમાં તેમની સાથે ગેર વર્તણુક કરી માર મારતા આ અંગે મહેશભાઈ મકવાણાએ કોડીનારના પી.આઈ. તથા બે પી.એસ.આઇ.સહિત પોલીસ કરમી સામે ધોરણસર ફરિયાદ દાખલ કરવા કોડીનાર કોર્ટમાં જજ સમક્ષ રૂૂબરૂૂ ફરિયાદ કરતા કોડીનાર કોર્ટના જજે મહેશભાઈની પોલીસ વિરુદ્ધની ગેરત વર્તણુક અંગેની ફરિયાદના આધાર પુરાવા તથા પોલીસની ગેરવર્તણુકના સાધનિક કાગળોને ધ્યાને લઈ કોડીનાર પોલીસના પી.આઇ.તથા બે પી એસ. આઇ તથા અન્ય પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધી આ તમામ સામે સમન્સ કાઢતા કોડીનાર પોલીસ બેડામાં ચર્ચા સાથે ચકચાર મચી ગઈ છે.
કોડીનાર પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નંબર 1118600 2230877/2023ના કામના આરોપી મહેશભાઈ મકવાણાની અટક કરીને પોલીસ સ્ટેશનને લઈ ગયેલા જ્યાં કોડીનાર પોલીસે તેમને માર મારવા ઉપરાંત ગેરવર્તણૂક કરીને જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા જે અંગે મહેશભાઈ મકવાણાએ કોડીનારના વિદ્વાન જજ સમક્ષ રૂબરૂ ફરિયાદ કરતા જજએ મહેશભાઈની પોલીસ વિરુદ્ધની ગેરવર્તનો અંગેની ફરિયાદ નોંધ લઇ સાધનિક કાગળો સાથે સેશન્સ જજ વેરાવળને રિપોર્ટ કરવામાં આવતા સેશન જજ દ્વારા ક્રિમિનલ મેન્યુઅલ પેરા 14 મુજબની ગેર વર્તણુક અંગેની તપાસની કાર્યવાહી કરવા માટે કોડીનાર કોર્ટને આદેશ કરતા કોડીનાર કોર્ટે સમગ્ર ફરિયાદ હકીકતની ઝીણવટ ભરી તપાસ કર્યા બાદ અભિપ્રાય આપ્યો હતો કે પોલીસ કસ્ટડીમાં ફરિયાદી સાથે ગેરવર્તન થયેલ છે.
તે બાબતે કાગળ ઉપરના તમામ પુરાવા ધ્યાને લઈ સેશન્સ જજ વેરાવળ દ્વારા આ બનાવની આગળની કાર્યવાહી કરવા આદેશ કરતા ફરિયાદી મહેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ ફરિયાદ મુજબ કોડીનાર પોલીસ સ્ટેશનના પી.આઈ ભોજાણી, પી.એસ.આઇ બાટવા, પી.એસ.આઇ. ચાવડા પોલીસ કર્મી હિતેશભાઈ વાળા પ્રકાશભાઈ ચાવડા પ્રતાપભાઈ પરમાર કૃપાલસિંહ પરમાર સહિતના સામે આઇપીસી કલમ 323 504 506 (2) 114 તથા પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટની કલમ 3(1)આર અને 3(1) એસ મુજબ ગુન્હા સબ સમસ કાઢી ગેરવર્તકની ફરિયાદ સ્પેશિયલ કેસ તરીકે નોંધવામાં આવતા ચકચાર જાગી છે.
ગુજરાત
મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન બંધ પડતા અનેક મુસાફરો રઝળ્યા
રફાળેશ્ર્વર-મકનસર વચ્ચે અચાનક ડેમુ ટ્રેન બંધ પડી ગઇ, વંદે ભારત ટ્રેનમાં પણ ચડવા દેવામા ન આવતા મુસાફરોમાં રોષ
આજે વહેલી સવારે મોરબીથી છ વાગ્યે ઉપડેલી મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન રફાળેશ્વર અને મકનસર વચ્ચે બંધ પડી જતા અંદાજે 300થી 400 જેટલા મુસાફરો અટવાઈ ગયા હતા. મોટાભાગના મુસાફરો વાંકાનેરથી ઇન્ટરસિટી સહિતની કનેકટિંગ ટ્રેન પકડવા માટે ડેમુમાં મુસાફરી કરી રહ્યા હોય ડેમુ ખોટવાતા તમામ મુસાફરો રઝળી પડ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીથી વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં કાયમી કોઈને કોઈ ધાંધિયા હોય છે ત્યારે ગુરુવારે વહેલી સવારે 6 વાગ્યે મોરબીથી ઉપડેલી ડેમુ ટ્રેન રફાળેશ્વર અને મકનસર વચ્ચે ખટકાઈ જતા વાંકાનેર રેલવે સ્ટેશનથી ઇન્ટરસિટી તેમજ અન્ય લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી માટે નીકળેલા 300થી 400 જેટલા મુસાફરો હેરાન પરેશાન થઇ ગયા હતા.
બીજી તરફ માંડ કરીને વાંકાનેર પહોંચેલ ડેમુ ટ્રેનના મુસાફરોને અમદાવાદ જવા માટે વંદે ભારત ટ્રેનમાં પણ ચડવા દેવામાં ન આવતા મુસાફરોમાં રોષ વ્યાપી ગયો હતો. મુસાફરોની હેરાનગતિ મામલે વાંકાનેર સ્ટેશન પ્રબંધકે પણ ઉડાઉ જવાબ આપતા આ મામલે ઉચ્ચકક્ષાએ ફરિયાદો કરવામાં આવી હતી.
કચ્છ
રણ મહોત્સવની ટેન્ડર પ્રક્રિયામાં વિલંબથી કચ્છના હોટેલ ઉદ્યોગકારોમાં ચિંતાની લાગણી
ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરવા બેઠકમાં વ્યક્ત કરાયો સૂર
કચ્છના ધોરડો ખાતે દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે ટેન્ટ સિટીના ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થતાં રણોત્સવ આયોજન લઈને ચિંતાના વાદળો ઘેરાયા છે. ભુજ ખાતે આજે કચ્છ હોસ્પિટાલિટી એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં રણોત્સવના આયોજન અને ટૂરિઝમ ઉદ્યોગને વિકાસ લગતા જરૂૂરી સૂચનો અંગે ચર્ચા કરવામાં આવી હતી. અને રણ મહોત્સવના આયોજન સામેના વિઘ્નો દૂર કરવા માંગણી કરાઈ હતી.
કચ્છના ધોરડોના સફેદ રણમાં યોજાતા રણોત્સવે લોકોમાં ભારે આકર્ષણ ઉભું કર્યું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવે છે. આ વર્ષે રણોત્સવના આયોજન લઈને અસમંજસની સ્થિતિ ઉભી થઈ છે. ટેન્ટસિટીના ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થવાના કારણે રણોત્સવના આયોજન અંગે મુંઝવણ ઉભી થઈ છે. કચ્છ હોસ્પિટાલિટી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની ગઈકાલે મહત્વની બેઠક મળી હતી. જેમાં રણોત્સવ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં લાગણી વ્યક્ત કરાઈ હતી કે, ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અમિતાભ બચ્ચનની સુંદર એડ બનાવીને રાષ્ટ્રીય ફલક પર પ્રસારિત કરવામાં આવી હતી, જેના લીધે કચ્છ સહિત ગુજરાતના પ્રવાસનને ભારે વેગ મળ્યો હતો. પુન: આ જુની એડ ચાલુ કરાવવી તેમજ અન્ય એક નવી એડ કોઈ સેલિબ્રિટી પાસે કરાવીને એને પણ ઈન્ડિયા લેવલે પ્રસારિત કરવામાં આવે અને રણોત્સવ દરમિયાન ગુજરાત ટુરિઝમ દ્વારા દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે, જેથી પ્રવાસીઓ કચ્છની સંસ્કૃતિને માણી શકે.
રણોત્સવ દરમિયાન ટેન્ટસીટીની બહાર આવેલા ગ્રામ હાટ માર્કેટ તેમજ વિવિધ એક્ટિવિટીનો દિવાળીથી પ્રારંભ કરવામાં આવે છે. અગાઉ પાટનગર ભુજ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં કચ્છ કાર્નિવલનું અદભુત આયોજન થતું હતું, જે પુન: ચાલુ કરવા માટે માગ કરી છે. રણોત્સવ દરમિયાન ધોરડો ખાતે ઓછામાં ઓછા પાંચથી છ નવા ઈવેન્ટ અથવા ફેસ્ટીવલ શોનું આયોજન કરવામાં આવે તો પ્રવાસીઓમાં આકર્ષણ ઉભું થઈ શકે તેમ છે.
ગુજરાત
પુત્રના મૃત્યુના કલાકોમાં જ માતાનું હૃદય બેસી ગયું
જામનગરમાં બીમાર પુત્રના મોતના સમાચાર સાંભળીને આઘાતમાં સરી પડેલી માતાએ પણ અંતિમ શ્વાસ લેતા અરેરાટી મચી ગઈ છે. 24 કલાકમાં જ માતા-પુત્રના મોતના પગલે પરિવારમાં શોકની લાગણી ફેલાયેલ છે.
મળતી વિગતો મુજબ ડો. બક્ષીના દવાખાના પાસે રહેતા સાવન વસંતભાઇ કનખરા એકાદ વર્ષથી પેરાલીસિસ એટેક બાદ તેઓ પથારીવસ હતા. જેનુ ગઇકાલે નિધન થયું હતું. યુવાને ગઈકાલે આખરી શ્વાસ લીધા બાદ પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા.
મૃતક યુવાનની અંતિમવિધિમાં જોડાયા હતા. ભારે રોકકળ વચ્ચે અંતિમક્રિયા કરાયાના ગણતરીની કલાકોમાં મૃતક યુવાનના માતા ભાનુબેન વસંતભાઇ કનખરાને હાર્ટ એટેક આવ્યો હતો. પુત્રના મોતના આઘાતમાં માતાનું હદય થંભી જતાં તેનું પણ કમકમાટીભર્યું મોત થયું હતું.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત2 days ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
રાષ્ટ્રીય15 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ2 days ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત2 days ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો