ગુજરાત
નડિયાદ નજીક રેલવે ટ્રેક ઉપર પથ્થરો મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ ખળભળાટ
નડિયાદ અને ગોઠાજ રેલવે સ્ટેશન વચ્ચે અંધજ ગામની સીમમાં રેલવે પાટા પર ગઈકાલે કોઈ અજાણી વ્યક્તિઓએ મોટા પથ્થર મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવતા રેલવે તંત્ર દોડતું થયું છે. નડિયાદ ગ્રામ્ય પોલીસે આ મામલે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
નડિયાદ અને ગોઠાજ રેલવે સ્ટેશન વચ્ચે અંધજ ગામની સીમમાં અમદાવાદથી વડોદરા તરફ જતી રેલવે ટ્રેક પર ગઈકાલે કોઈ અજાણી વ્યક્તિઓએ ટ્રેનને અવરોધવાના આશયથી પાંચથી સાત કિલો વજનના મોટા મોટા પથ્થર ગોઠવી દીધા હતા. આ દરમિયાન રેલ્વે ટ્રેક પર સાંજના સમયે પુરપાટ પસાર થતી માલગાડી સાથે અથડાવાથી પથ્થર તૂટી રેલવે ટ્રેકની આજુબાજુ પડયા હતા. જે અંગે માલગાડીના પાઇલોટે મહેમદાવાદ રેલવે સ્ટેશન ખાતે જાણ કરી હતી જેના પગલે રેલવેના વડોદરા ડિવિઝનના સેક્શન ઇજનેર નવીનકુમાર ગુલાબચંદ રંજન સહિતના રેલવે વિભાગના અધિકારીઓ તેમજ નડિયાદ રેલવે પોલીસ ટીમ અને આરપીએફ ટીમ પણ ત્યાં દોડી ગઈ હતી. આ બનાવ સંદર્ભે નડિયાદ ગ્રામ્ય પોલીસે આ મામલે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ગુજરાત
ધોરાજીમાં માતાની સારવાર માટે વ્યાજે લીધેલા 12 લાખ ચૂકવી દીધા છતાં વ્યાજખોરોનો ત્રાસ
ચાર મહિલા વ્યાજખોર સહિત આઠ સામે ફરિયાદ નોંધાઈ
ધોરાજીમાં બહારપુરામાં રહેતી મહિલાને કોરોના દરમિયાન માતાની સારવાર માટે રૂપિયાની જરૂર પડતાં ચાર મહિલા સહિત આઠ વ્યાજખોરો પાસેથી પઠાણી વ્યાજે લીધેલા 12 લાખની રકમ મુદલ સાથે વ્યાજ પણ ચુકવી દીધા છતાં આ ટોળકીએ મહિલાને ધમકાવી વધુ વ્યાજની માંગણી કરતાં આ મામલે મહિલાએ ધોરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં ત્રણ મહિલા સહિત 8 સામે ગુનો નોંધાયો છે.
મળતી વિગતો મુજબ, ધોરાજીનાં બહારપુરમાં રહેતા મિતલબેન મહેન્દ્રભાઈ વિજુડાની ફરિયાદને આધારે બહારપુરાના જીવણભાઈ વાલાભાઈ સોંદરવા, રાજુભાઈ રમણીકભાઈ રાઠોડ, પ્રભાબેન બાબુભાઈ સુણા, ગીતાબેન ગૌતમભાઈ ચૌધરી, સ્વાતીબેન અંકીતભાઈ રાઠોડ, જયરાજ જાડેજા, સુરેન્દ્ર ઉકા મકવાણા અને લક્ષ્મીબેન સુરેશભાઈ ભાસ્કર સામે ગુનો નોંધાયો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, મિતલબેનના માતાને કોરોના પોઝીટીવ આવતાં સારવાર માટે રૂપિયાની જરૂર પડતાં અને કોરોના દરમિયાન મજુરી કામ મળતું ન હોય જેથી ઘર ચલાવવા માટે રૂપિયાની જરૂર હોય મિતલબેને જીવણભાઈ પાસેથી 30 ટકા વ્યાજે એક લાખ, રાજુભાઈ પાસેથી બે લાખ, પ્રભાબેન પાસેથી 10 ટકે 4 લાખ, ગીતાબેન ગૌતમભાઈ ચૌધરી પાસેથી એક લાખ, જયરાજ જાડેજા પાસેથી 99 હજાર, લક્ષ્મીબેન પાસેથી 30 ટકે બે લાખ એમ કુલ 12 લાખ રૂપિયા ઉચા વ્યાજે લીધા હતાં. જેનું સમયસર મુદલ સહિત વ્યાજ ચુકવી દીધા છતાં આ ટોળકીએ વધુ વ્યાજ વસુલવા મિતલબેનને ધમકી આપતાં આ મામલે ધોરાજી પોલીસમાં મિતલબેને ફરિયાદ નોંધાવી છે.
ગુજરાત
ગોંડલમાં ગૃહકલેશથી પરિવારનો માળો પિંખાયો: પરિણીતાનો આપઘાત
જસદણના ખડવાવડી અને પોરબંદરમાં ઝેરના પારખા કરનાર બે પરિણીતાના મોત
ગોંડલમાં રહેતી પરણીતાએ ગૃહકલેસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. પરણીતાનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં નાની બજાર વિસ્તારમાં રહેતી કુસુમબેન નિરવભાઈ પડિયા નામની 29 વર્ષની પરણીતાએ ગૃહકલેસથી કંટાળી છ દિવસ પૂર્વે ઝેરી દવા પી લીધી હતી. પરણીતાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. પરણીતાના મોતથી માસુમ પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
અન્ય બનાવમાં જસદણના ખડવાવડી ગામે રહેતી સોનલબેન પરબતભાઈ મેડ ઉ.વ.26એ પાંચ દિવસ પૂર્વે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. જ્યારે પોરબંદરમાં નગીનદાસ મોદી ભવન પાસે રહેતી કિંજલબેન ધવલભાઈ જેઠવા ઉ.વ. 25 એ અકળ કારણસર એસીડ પી લીધું હતું. બન્ને પરણીતાએ રાજકોટ સારવારમાં દમ તોડતા બન્ને પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
ખંભાળિયા નજીક ટ્રક અને છોટા હાથી વચ્ચે અકસ્માત: એકનું મોત
ભાટિયામાં પરપ્રાંતિય શ્રમિકનું વીજશોકથી મોત
ખંભાળિયા – દ્વારકા માર્ગ પર ગત સાંજે એક છોટા હાથી વાહન અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં છોટા હાથી વાહનમાં બેઠેલા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવની વિગત એવી છે કે ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 14 કિલોમીટર દૂર વડત્રા ગામ પાસે આવેલી હોટલ પાસે ટાટા કંપની મીઠાપુરમાં સિમેન્ટના પાઈપ ઉતારીને પરત આવી રહેલા જી.જે. 36 ટી. 4643 નંબરના એક ટ્રકના ચાલક લીલાભાઈ હરભમભાઈ અમર (ઉ.વ. 57, રહે. રાણાવાવ) ના ટ્રક સાથે જી.જે. 27 ટી.ટી. 7353 નંબરના એક કેરી છોટા હાથી વાહનના ચાલક જયરામ ભીખાભાઈ ભરવાડે પોતાનું વાહન પૂરઝડપે અને માનવ જિંદગી જોખમાય તે રીતે ચલાવતા ટ્રક સાથે પાછળના ભાગે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં તેની સાથે બેઠેલા દેવાભાઈ બાથાભાઈ ભરવાડનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પોતાને પણ શરીરના જુદા જુદા ભાગોમાં મૂઢ ઈજાઓ થવા પામી હતી.
આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે મેર લીલાભાઈ અમરની ફરિયાદ પરથી જયરામભાઈ ભીખાભાઈ ભરવાડ સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ મોટર વ્હિકલ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ એમ. એચ. ચૌહાણ દ્વારા હાથ ધરવામાં આવી છે.
જ્યારે બીજા બનાવમાં મધ્ય પ્રદેશ રાજ્યના ઇન્દોર જિલ્લાના મૂળ વતની અને હાલ ભાટિયા ગામે રહી અને મજૂરી કામ કરતા આકાશ સંતોષભાઈ ભુરીયા નામના 19 વર્ષના યુવાનને ગત તા. 16 ના રોજ ભાટિયામાં આવેલી એક ફેક્ટરીમાં મજુરી કામ કરતી વખતે ઇલેક્ટ્રીક મોટરને અડકી જતા તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ સંતોષભાઈ ભુરીયા (ઉ.વ. 42) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત2 days ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
રાષ્ટ્રીય18 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
રાષ્ટ્રીય2 hours ago
કાશી વિશ્વનાથન મંદિરમાં મંગળા આરતી દરમિયાન મોટી દુર્ઘટના, શોર્ટ સર્કિટના કારણે ગર્ભગૃહની ટોચ પર લાગી આગ
-
કચ્છ2 days ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત1 day ago
લીંબડી નજીક 120 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાંથી સળિયા દેખાયા
-
ક્રાઇમ20 hours ago
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો