ફ્રાંસની રાજધાની પેરિસમાં 14મા ભારત-ફ્રાન્સ સીઇઓ ફોરમને સંબોધતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા દાયકામાં તેમના નેતૃત્વ હેઠળ બનાવવામાં આવેલી સ્થિર અને અનુમાનિત નીતિની ઇકો-સિસ્ટમને કારણે ભારતને પસંદગીના વૈશ્વિક રોકાણ સ્થળ તરીકે પ્રકાશિત કર્યું. તેમણે કહ્યું કે રોકાણ માટે ભારત આવવાનો આ યોગ્ય સમય છે.
ભારત આવવાનો આ યોગ્ય સમય છે. દરેકની પ્રગતિ ભારતની પ્રગતિ સાથે જોડાયેલી છે. આનું ઉદાહરણ ઉડ્ડયન ક્ષેત્રમાં જોવા મળ્યું, જ્યારે ભારતીય કંપનીઓએ એરોપ્લેન માટે મોટા ઓર્ડર આપ્યા. અને, હવે, જ્યારે અમે 120 નવા એરપોર્ટ ખોલવા જઈ રહ્યા છીએ, ત્યારે તમે તમારા માટે ભવિષ્યની સંભાવનાઓની કલ્પના કરી શકો છો, પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું.
છેલ્લા દાયકામાં ભારતમાં જે પરિવર્તનો થયા છે તેનાથી તમે સારી રીતે વાકેફ છો. અમે સ્થિર અને અનુમાનિત નીતિની ઇકોસિસ્ટમ સ્થાપિત કરી છે. સુધારા, પ્રદર્શન અને પરિવર્તનના માર્ગને અનુસરીને, આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે, વડાપ્રધાને કહ્યું.
ભારતની સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાઓ પર ભાર મૂકતા પીએમએ કહ્યું, વૈશ્વિક મંચ પર અમારી ઓળખ એ છે કે આજે ભારત ઝડપથી પસંદગીનું વૈશ્વિક રોકાણ સ્થળ બની રહ્યું છે. અમે ભારતમાં સેમિક્ધડક્ટર અને ક્વોન્ટમ મિશન શરૂૂ કર્યું છે અને અમે સંરક્ષણ ક્ષેત્રે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘મેક ફોર ધ વર્લ્ડ’ને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ.
દરમિયાન, મોદી ગુગલના સીઇઓ સુંદર પિચાઇને મળ્યા હતા. પિચાઇએ આ મુલાકાત બાબતે જણાવ્યું હતું કે ભારતના ડિજિટલ પરિવર્તન માટે સાથે મળી કઇ રીતે કામ કરી શકીએ તેની ચર્ચા થઇ હતી.
