ભારત-ઇંગ્લેન્ડ T-20 સીરિઝની આજે ત્રીજી મેચ, ટીમ ઇન્ડિયાને ડ્રોની તક

  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચવાળી ટી-20 સિરીઝની ત્રીજી મેચ આજે (ભારતીય સમય મુજબ રાત્રે 10.00 વાગ્યાથી) રમાશે અને એ જીતીને ટીમ ઇન્ડિયાએ શ્રેયસ…

 

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચવાળી ટી-20 સિરીઝની ત્રીજી મેચ આજે (ભારતીય સમય મુજબ રાત્રે 10.00 વાગ્યાથી) રમાશે અને એ જીતીને ટીમ ઇન્ડિયાએ શ્રેયસ ઐયરને તેની કેપ્ટન્સીની પ્રથમ જીત આપવાની રહેશે. જોકે એમાં ખુદ શ્રેયસે પણ અસરદાર પર્ફોર્મ કરી બતાવવું પડશે. આયરલેન્ડમાં તેના નેતૃત્વમાં ભારત બન્ને ટી-20 મેચ હાર્યું હતું અને ઇંગ્લેન્ડ માં ભારત 0-1થી પાછળ છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટી20ની સીરિઝની ત્રીજી મેચ નોટિધમમાં રમાશે. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા જો આ મેચ હારી જાય છે તો ટી20ના ઈતિહાસમાં પહેલી વખત આવું થશે. જે સતત 5 ટી20 મેચ જીત્યા વગર પૂર્ણ કરશે.આ પહેલા અય્યરની કેપ્ટનશીપમાં રમાયેલી છેલ્લી 4 ટી20 મેચમાં ભારતને 3 મેચમાં હાર મળી છે. જ્યારે 1 મેચનું પરિણામ આવ્યું ન હતુ. આ આંકડાની સાથે છેલ્લા 5 વર્ષમાં પહેલી વખત આવું થયું છે. જ્યારે ટીમ ઈન્ડિયા સતત 4 ટી20 મેચ રમ્યા બાદ એક પણ મેચ જીતી શકી નથી.

ભારત આજે જીતશે તો સિરીઝ જીતવાનો કે ડ્રો કરાવવાનો મોકો રહેશે, પણ જો ભારત હારી જશે તો સિરીઝ જીતી નહીં શકે અને બ્રિટિશરો શ્રેણી હારા નહીં શકે, કારણકે ત્યાર બાદ માત્ર બે ટી-20 મેચ બાકી રહેશે. વૈભવ સૂર્યવંશીને શનિવારે ડેબ્યૂ કરવાની સુવર્ણ તક મળી હતી. જોકે તે બે છગ્ગા ફટકાર્યા બાદ 14 રનના પોતાના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. હવે ફરી મંગળવારે આ ટેલન્ટેડ ટીનેજરની આકરી પરીક્ષા થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *