અજિત પવારને લઇ જતા વિમાનમાં કોઇપણ પ્રકારની ખામી ન હતી: કંપનીએ હાથ ખંખેર્યા

બન્ને પાઈલટ અનુભવી હતા, ઓછી વિઝિબિલિટી હોવાની શંકા કરતી VSR કંપની મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર હવે નથી રહ્યા. બુધવારે સવારે બારામતીમાં થયેલા વિમાન દુર્ઘટનામાં…

બન્ને પાઈલટ અનુભવી હતા, ઓછી વિઝિબિલિટી હોવાની શંકા કરતી VSR કંપની

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર હવે નથી રહ્યા. બુધવારે સવારે બારામતીમાં થયેલા વિમાન દુર્ઘટનામાં અજિત પવાર, બંને પાઇલટ અને વિમાનમાં સવાર તમામ 5 લોકોના મોત થયા. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ વિમાન દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. વિમાન કંપની VSR એ પણ લેન્ડિંગ દરમિયાન રનવેની ખૂબ નજીક થયેલા અકસ્માત અંગે એક નિવેદન જારી કર્યું છે. કંપનીને શંકા છે કે ઓછી દૃશ્યતાને કારણે અકસ્માત થયો હશે.પવાર જિલ્લા પરિષદની ચૂંટણી માટે પ્રચાર કરવા માટે મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા. 45 મિનિટની ઉડાન પછી સવારે 8:50 વાગ્યે વિમાન ક્રેશ થયું. VSR એવિએશન લેસરજેટ 45 વિમાનમાં અજિત પવાર સહિત કુલ પાંચ લોકો સવાર હતા.

પવાર સાથે એક ઙજઘ, એક એટેન્ડન્ટ અને બે ક્રૂ મેમ્બર હતા. દિલ્હી સ્થિત VSR વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ VSR એવિએશન નામથી ચાર્ટર પ્લેન ચલાવે છે.અજિત પવાર જે વિમાનમાં સવાર હતા તે પણ આ કંપનીનું હતું. કંપનીના પ્રારંભિક પ્રતિભાવમાં કહેવામાં આવ્યું હતું કે વિમાન સંપૂર્ણપણે સલામત હતું અને બંને પાઇલટ ખૂબ અનુભવી હતા. કંપનીએ જણાવ્યું હતું કે અકસ્માત ઓછી દૃશ્યતાને કારણે થયો હોવાની શક્યતા છે. કંપનીએ જણાવ્યું હતું કે DGCA અકસ્માતની તપાસ કરી રહ્યું છે, અને તેનું ચોક્કસ કારણ તે પછી જ બહાર આવશે.

2011 માં સ્થાપિત, VSR નિયમિત હવાઈ સેવામાં નથી પરંતુ માંગ પર ગ્રાહકોને ખાનગી અને ચાર્ટર્ડ પ્લેન પૂરા પાડે છે. કંપની એર એમ્બ્યુલન્સ પણ ચલાવે છે. ઘણા અગ્રણી રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ કંપનીના વિમાનો ભાડે રાખે છે. તેના ડિરેક્ટર વિજયકુમાર સિંહ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *